SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ શ્રી ધર્મવ્પદ્રુમ મહાકાવ્ય કરવાનું કામ સોંપતા આપને લજ્જા આવતી નથી ? ખરેખર કુસ્વામીની સેવાથી શૂરવીરનું શૂરાતન નિષ્ફળ જ જાય છે.' આમ કહીને તે નગરની બહાર નીકળ્યો તેથી દ્વારપાળે દ૨વાજા બંધ કરી દીધા. ધીર નગરની બહાર રહીને અત્યંત વિષાદ કરવા લાગ્યો. તેણે નગરમાંથી સુભટોને બોલાવવાનું વિચાર્યું, પણ તે ન બન્યું. તેથી તેણે વિચાર્યું કે—ભયંકર રાત્રિમાં શિયાળોથી પણ હું ભય પામું છું. હવે હું કોને કહું અને ક્યાં જાઉં ? આ વનમાં મને શરણભૂત કોણ થશે ?' આ પ્રમાણે વિચારતા કંઠે આવેલા પ્રાણવાળો તે પગલે પગલે મૂર્છા પામવા લાગ્યો. ત્યારબાદ તેણે વિચાર્યું કે—‘કોઈ ઊંચા ઝાડ ઉપર ચડીને આ રાત્રી તો વ્યતીત કરું, પછી સવારે જે થવાનું હશે તે થશે.' આ પ્રમાણે વિચારીને તે કોઈક ઝાડ ઉપર ચડ્યો. તેટલામાં પેલો સિંહ દાઢ કકડાવતો અને બુત્કાર કરતો અનુક્રમે ત્યાં જ આવ્યો અને પેલા ઝાડ પાસે આવતાં ત્યાં મનુષ્યની ગંધ આવવાથી તે ઝાડ નીચે જ બેઠો. તેને જોઈને ધ્રુજતા એવા ધીરના હાથમાંથી ભાલું એકદમ નીચે પડ્યું. તે તીક્ષ્ણ ભાલો સિંહના મર્મસ્થાનમાં વાગવાથી અને ધીરના પુણ્યોદયથી એક મુહૂર્તમાં તે સિંહ મૃત્યુ પામ્યો. પ્રભાતે ધીર ધ્રુજતો ધ્રુજતો વૃક્ષ પરથી નીચે ઊતર્યો, તેટલામાં તેના મિત્ર જેવા કાગડાઓએ સિંહના શરીર ઉપર બેસીને તે મૃત્યુ પામેલ છે એમ સમજાવ્યું. પછી ડરતાં ડરતાં પોતાનું ભાલું ખેંચી લઈને ત્યાંથી દૂર જઈ વિશેષ વાત કરનારા જનોને તેણે અભિમાનપૂર્વક કહ્યું કે—‘રે જનો ! નગરમાં જાઓ, જઈને રાજાજીને તેમજ મારી ઇર્ષ્યા કરનારાઓને આ વાત કહો અને મારી કૃપાથી હવે નગરલોકો નિર્ભયપણે રહો.' લોકોએ જઈને રાજાને હકીકતનું નિવેદન કરીને કહ્યું–‘હે દેવ ! ધીરશિરોમણિ ધીર બળવાનસિંહને મારીને નગરના દ્વાર પાસે ઊભો છે અને તમારા તરફથી માન મળવાની આશા રાખે છે.' લોકો પાસેથી એ વાત સાંભળીને પ્રસન્ન થયેલો રાજા પોતે જ તેની સામે ગયો અને માનધારી ધીરને મોટા મહોત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યો. પછી રાજાએ આપેલા દેશનું સ્વામીપણું ભોગવતો, લોકોમાં પરાક્રમી તરીકે વિખ્યાતિ પામેલો અને વાણીમાં શૂરવીર એવો ધીર પૂર્વના પુણ્યવડે વિશેષ વિશેષ લક્ષ્મીને મેળવનાર થયો. ‘પુણ્યવડે મનુષ્યને અસંભાવ્ય વાત પણ સંભવે છે. જુઓ ! મોટા મોટા પર્વતો પણ શું રામચંદ્રના પુણ્યથી સમુદ્રમાં નથી તર્યા ? તર્યા છે.' ધર્મ, અર્થ અને કામ—આ ત્રણ પુરુષાર્થ કહ્યા છે. તે ત્રણમાં ધર્મ પુરુષાર્થ મુખ્ય છે. તે જ સેવા યોગ્ય છે. ધર્મથી અર્થની પ્રાપ્તિ થાય છે, ધર્મથી કામની પ્રાપ્તિ પણ થાય છે અને ધર્મથી પરિણામે મોક્ષ પણ મળે છે. સર્વ વસ્તુ ધર્મની આરાધનમાં રહેલી છે. જેની ઉપર ધર્મ પ્રસન્ન છે, તેને તે અન્ય વસ્તુના આકર્ષક મંત્ર તુલ્ય થાય છે. રાજલક્ષ્મી વગેરે સુખની પ્રાપ્તિ તેને દુર્લભ નથી. હે રાજન્ ! સાંસારિક સુખ અને રાજ્યાદિ આ સર્વ જીવો પૂર્વે અનંતીવાર પ્રાપ્ત કરેલાં છે તેમાં કાંઈ આશ્ચર્ય નથી, માટે હવે તો ધર્મની આરાધનામાં એવી પ્રવૃત્તિ કરો કે જેથી મોક્ષની પ્રાપ્તિ થાય.” આ પ્રમાણેની ગુરુભગવંતની દેશના સાંભળીને સંસારની અસારતા જાણી રાજા મોક્ષની
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy