SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો પલ્લવઃ ૧૩૯ ઉપાવાસ કરીને અને બાકીના પ્રભુએ છઠ્ઠ તપ કરીને કેવળજ્ઞાન મેળવ્યું છે. છ ઉપવાસ કરીને શ્રી ઋષભદેવ, બે ઉપવાસે શ્રી વીરપ્રભુ અને બાકીના પ્રભુ માસક્ષપણ કરીને મોક્ષે ગયા છે.) - જેમ શરીરના બાહ્ય ભાગ પર લાગેલા મળની શુદ્ધિ જળથી થાય છે, શરીરમાં આહારથી થયેલા મળની શુદ્ધિ ઔષધથી થાય છે, દુર્વચનરૂપ મળની શુદ્ધિ દિવ્યથી થાય છે, તેમ દુષ્કર્મ રૂપ મળની શુદ્ધિ તપ વડે થાય છે. જ્ઞાનીઓએ અનેક પ્રકારના તપો કહ્યા છે. તેમાં વિશ સ્થાનક તપ દ્વારા તીર્થંકર નામકર્મનો બંધ થાય છે. તે આ પ્રમાણે : 1. શ્રીઅરિહંતની પ્રતિમાની અંગપૂજા અને સ્તુતિ સ્તવનાદિવડે ભાવપૂજા કરવાથી જીવ વર્ણાદિવિરહિત મોક્ષ સ્થાનને પ્રાપ્ત કરે છે. (૧) સિદ્ધિ સ્થાનમાં રહેલા સિદ્ધોની સ્તુતિ કરવાથી, તેમના ઉત્સવ, પ્રતિજાગરણાદિ કરવાથી તેમજ તેમના ૩૧ ગુણો સ્તવવાથી બીજા પદનું આરાધન થાય છે. (૨) સમ્યપ્રકારે પ્રવચનથી ઉન્નતિ કરવી, ગ્લાન તેમજ ક્ષુલ્લક સાધુની સેવા કરવી, તેમજ જૈન શાસનની ભાવપૂર્વક ભક્તિ કરવી તે ત્રીજું સ્થાનક છે. (૩) ગુર ગુરુ મહારાજને હાથ જોડીને વસૂઆહારાદિ આપવું, તેમની અસમાધિ દૂર કરવી. તેમજ અન્ય પ્રકારે ભક્તિ કરવી તે ચોથું સ્થાનક છે. (૪). સ્થવિરો બે પ્રકારના છે–વયસ્થવિર ને ગુણસ્થવિર. તે બંનેની યથાયોગ્ય ભક્તિ કરવી તે પાંચમું સ્થાનક છે. (૫) બહુશ્રુત, સર્વસૂત્રઅર્થના જ્ઞાતા અને તત્ત્વશાળી એવા ઉપાધ્યાયની પ્રાસુક અન્નપાનાદિવડે ભક્તિ કરવી તે છઠું સ્થાનક છે. (૬) સદા ઉત્કૃષ્ટ તપ કરનારા તપસ્વી મુનિઓનું વિશ્રામણાદિ વડે વાત્સલ્ય કરવું તે સાતમું સ્થાનક છે. (૭) જ્ઞાનનો સતત ઉપયોગ રાખવો, દ્વાદશાંગીરૂપ આગમના સૂત્ર, અર્થ તેમજ ઉભયનું જ્ઞાન મેળવવું અને તે જ્ઞાનની ભક્તિ કરવી તે આઠમું સ્થાનક છે. (૮) શંકાદિ દોષરહિત અને ધૈર્યાદિ ગુણસહિત શમાદિ લક્ષણવાળા દર્શન અને દર્શનીની ભક્તિ કરવી–તેને ધારણ કરવું તે નવમું સ્થાનક છે. (૯) જ્ઞાનનો, દર્શનનો ને ચારિત્રનો વિનય તેમજ ઉપચાર–વિનય આ ચાર પ્રકારનો વિનય કરવો તે દશમું સ્થાનક છે. (૧૦) ઇચ્છા-મિચ્છાદિ દશ પ્રકારની સામાચારીનું તેમજ આવશ્યકાદિનું આરાધન કરવું તે અગ્યારમું ક્રિયા સ્થાનક છે. (૧૧). નવબ્રહ્મગુપ્તિ સહિત વિશુદ્ધ શીલવ્રતને નિરતિચારપણે પાળવું તે બારમું સ્થાનક એ છે. (૧૨)
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy