SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય બે પુત્રીઓને જોઈ. તે સાથે રત્નપાળને પણ જોઈને હર્ષ પામી મધુર વાણીથી તે બોલ્યો કે-૧૨ સાત્ત્વિકશેખર ! સાંભળો. પૂર્વે મેં એક શ્રેષ્ઠ નૈમિત્તિકને પૂછ્યું હતું કે-“મારી આ પુત્રીઓનો વર કોણ થશે ?' ત્યારે તેણે કહ્યું હતું કે–“નાગિલ નામનો એક દુષ્ટ વિદ્યાધર તમારી બન્ને પુત્રીઓનું અપહરણ કરશે. તે વિદ્યાવડે તેને ભસ્મરૂપ કરીને પાછી રસવડે તેને સ્ત્રી રૂપે કરશે. ત્યાં એક રત્નપાળ નામનો રાજા અકસ્માત આવી ચડશે. તેણે હાથમાં લીધેલા રસકુંપિકાના રસના પડેલા બિંદુઓથી તે પુત્રીઓ ભસ્મમાંથી સ્ત્રીરૂપ થશે. તે તમારી બન્ને પુત્રીઓનો પતિ થશે અને તેને સાંનિધ્ય કરનારો દેવ હસ્તિરૂપે થઈ નાગિલને ઉપાડી જઈને તેનો વિનાશ કરશે.” આ પ્રમાણે તે નૈમિત્તિકની વાણી અત્યારે સફળ થઈ છે તો હવે આ વિમાનમાં બેસીને તમે મારી સાથે વૈતાઢ્ય પર્વત પર ચાલો.” રત્નપાળ વિમાનમાં બેસીને પ્રયાણ કરે તેટલામાં શ્રાદ્ધદેવતા દેવરૂપે પ્રગટ થયો અને રત્નપાળને પ્રણામ કરીને બોલ્યો કે– હે ઉપકારી ! સાંભળો ! આ બે કન્યાઓની પ્રાપ્તિ કરાવવા હું તમને હસ્તિરૂપે થઈને અહી લઈ આવ્યો અને નાગિલને તે રૂપે જ ઉપાડી લઈ જઈને તેનો વિનાશ કર્યો. આ પ્રમાણે પૂર્વે જેના પર તમે ઉપકાર કર્યો છે તે દેવ થયેલો હું શ્રાવક છું. હવે આ રસની ઉત્પત્તિ અને પ્રભાવ કહું છું તે સાંભળો– પૂર્વે આ નાગિલે ૨૪ વર્ષ પર્યત કંદમૂળ ફળનો આહાર કરીને, અધોમુખ રહી ધૂમ્રપાન કરીને, બલિહોમાદિક સહિત મંત્રનો જાપ કરીને, ધરણેન્દ્રને પ્રસન્ન કર્યા હતા. તેથી તેણે આ રસનો કુંભ આપ્યો છે. આ રસના બિંદુમાત્રથી લોહનું સુવર્ણ થાય છે. સર્વ પ્રકારની પીડા શાંત થાય છે, કષ્ટ નાશ પામે છે, દિવ્યરૂપ પ્રાપ્ત થાય છે. મૂચ્છિત ને મૃતપ્રાયઃ થયેલ પ્રાણી ક્ષણમાત્રમાં ઊભો થાય છે. ભૂતપિશાચાદિ દુષ્ટ દેવો અને ગ્રહ, નક્ષત્ર તેમજ તારાઓ આ રસના સ્પર્શમાત્રથી વશ થાય છે, મહાનું અગ્નિ શમી જાય છે, સ્થાવર અને જંગમ વિષ નાશ પામે છે. આ રસ છાંટવાથી સર્વ વ્યાધિ શમી જાય છે અને સર્વ મનુષ્યો વશ થાય છે. આ રસનું તિલક કરીને સંગ્રામમાં જવાથી શત્રુ મિત્રપણાને પામે છે અને સિંહ તેમજ હસ્તિ વગેરે પશુઓ વશ થાય છે.” આ પ્રમાણે આ રસ બહુ જ પ્રભાવવાળો છે. તે તમને પુણ્યયોગે વિનાપ્રયાસે પ્રાપ્ત થયો છે. હું એ રસ તમને અર્પણ કરું છું. તેથી તે ગ્રહણ કરો. વળી અવસરે મને યાદ કરજો.” એમ કહીને તે દેવ અદશ્ય થયો. દેવનું સાંનિધ્ય જાણીને મહાબલ વિસ્મય પામ્યો. પછી પોતાની બે પુત્રીઓ સહિત રત્નપાળને પોતાના વિમાનમાં બેસાડીને વૈતાદ્યપર લઈ ગયો અને રત્નપાળની સાથે બને પુત્રીઓના વિવાહ કર્યા. પાણિગ્રહણ મહોત્સવ કર્યો. ધન્ય એવો રત્નપાળરાજા તે બન્ને વિદ્યાધરપુત્રીઓને પરણીને ત્યાં આનંદથી રહ્યો અને અત્યંત સુંદર સુખભોગ ભોગવવા લાગ્યો. અનેક વિદ્યાધરો તેની સેવા કરવા લાગ્યા. તે અવસરે ગગનવલ્લભપુરમાં સુગંધવલ્લભ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને હેમાંગદ નામે પુત્ર હતો અને સૌભાગ્યમંજરી નામે પુત્રી હતી. તે પુત્રી યૌવનાવસ્થા પામી ત્યારે અનેક મનુષ્યોને મોહ ઉત્પન્ન કરનારી થઈ. તેને તેની કુળદેવીએ સર્વવાંછિતને આપનારું એક
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy