SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ ચતુર્થ પલ્લવ પૂછવું? પાણી વહી ગયા પછી બંધ શું બાંધવો ? અને પાણી પીધા પછી ઘર પૂછવાથી શું ? તો પણ તે સતી પાસે જઈને મારા દૂષણ સંબંધી ક્ષમા માંગુ અને તેના શાપથી મારા આત્માને મુક્ત કરું” આ પ્રમાણે વિચારી તરત જ સતી પાસે ગયો અને પોતાનો અપરાધ ખમાવીને કહ્યું કે-“હે માતા ! મારી ઉપર અનુગ્રહ કરી મને શાપથી મુક્ત કરો, કેમકે ઉત્તમ પુરુષો દીર્ઘરોષી હોતા નથી. છેલ્લા છતાં, પીલ્યા છતાં, ઉકાળ્યા છતાં ઈશુ મિષ્ટ રસને જ આપે છે, તેમ સજ્જન પુરુષ પીડા પમાડવા છતાં પણ મધુર વચનો જ બોલે છે.” આ પ્રમાણે કહીને પછી તે નગરના સર્વ લોકોને એકઠા કરીને તેણે તેમની સમક્ષ કહ્યું કે-“હે લોકો ! મારું વચન સાંભળો ! મેં આ સતીની સાથે વચનમાત્રથી પણ પાપ કર્યું તો તેનું ફળ મને તત્કાળ મળ્યું, મારું મકાન બળીને ભસ્મ થઈ ગયું, કુટુંબ નાશ પામ્યું, વૈરીઓએ રાજય લઈ લીધું. આ સતીએ મારા નિમિત્તે જ રવિને પણ ખંભિત કરી દીધો છે.” આ પ્રમાણે કહીને તે સતીના પગમાં પડ્યો; તેથી સતીએ તેને શાપમુક્ત કર્યો અને કહ્યું કે–સુખેથી તારે નગરે જા, મારા આશિર્ષથી તને તારું રાજ્ય અને લક્ષ્મી પાછા મળશે. તારા વિનયથી હું તુષ્ટમાન થઈ છું. ખરેખર વિનય મોટો ગુણ છે.” તે કહ્યું છે કે–વિનય ધર્મરૂપ વૃક્ષનું મૂળ છે, ઇન્દ્ર અને રાજાની લક્ષ્મીરૂપી લતાના કંદરૂપ છે, સૌંદર્યને આહ્વાન કરવાની વિદ્યા છે, સમસ્ત ગુણનિધિને વશ કરવામાં યોગચૂર્ણ જેવો છે, સિદ્ધ આજ્ઞાના મંત્રતુલ્ય છે, તેમજ યંત્રતંત્રાદિને પ્રાપ્ત કરાવનાર મણિની ઉત્પતિમાં રોહણાચલ તુલ્ય છે, સમસ્ત અનર્થના શત્રુરૂપ છે. આવો વિનય ત્રણ જગતમાં શું શું શ્રેય નથી કરતો?” ત્યારબાદ તે વિદ્યાધર પોતાને નગરે ગયો અને રાજ્યલક્ષ્મી પામીને સુખી થયો. સૂર્ય અસ્ત પામ્યો અને સતીનો જયજયકાર થયો, તે સતી શીલના પ્રભાવથી સર્વત્ર વિખ્યાત થઈ. શીલથી રાજા કિંકરપણું સ્વીકારે છે અને દેવો પણ તેનો આદેશ માથે ચડાવે છે.* “હે મિત્ર ! તે કારણે જ હું તને કહું છું કે જો શૃંગારસુંદરી તારા ઉપર કોપાયમાન થશે તો તને મહાઅનર્થ થશે. એ મહાસતી રાણીનો તો વિનય કરવા યોગ્ય છે. તું પરસ્ત્રીગમનના પાપથી સાતમી નરકે જઈશ એવું મને લાગે છે. કહ્યું છે કે–“કષ્ટના એક નિવાસસ્થાન તુલ્ય, કુળને શ્યામ કરવા માટે કાજળ તુલ્ય અને લોકોમાં નિંદાના સ્થાન તુલ્ય પદારાગમન કોઈપણ રીતે શોભાસ્પદ નથી.” બીજી અનેક સ્ત્રીઓ પોતાને સ્વાધીન હોવા છતાં જે મનુષ્ય પરદાનાલંપટ હોય છે તે કાગડા જેવો જાણવો. કારણકે કાગડો પોતાની પાસે પાણીથી ભરેલું આખું સરોવર હોવા છતાં સ્ત્રીઓના ઘડાના જળમાંથી જ પાણી પીએ છે. મહાભારતમાં કહ્યું કે–“રાવણ લંકાનો સ્વામી હતો, દશ મુખવાળો હતો ત્રણ ખંડનો અધિપતિ હતો, લાખો રાક્ષસોની સેનાનો સ્વામી હતો, તથા ઈન્દ્રજિત્ જેવા પુત્રોથી સંપન્ન હતો આ પ્રમાણે રાવણ આટલો વિશિષ્ટ હોવા છતાં એક નિર્ધન, પરિવારવિનાના વનમાં રહેનારા અને મનુષ્ય માત્ર એવા રામચંદ્ર તેને અત્યંત તેજ વડે જીતી લીધો તે જનકપુત્રી સીતાના ઉત્તમ શીલનો જ અપૂર્વ પ્રભાવ સમજવો.”
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy