SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૭ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ કરવા યોગ્ય છે. સાતેય અધ્યાયમાં જો પૃથગુ, પૃથક્ પાઠ કરવામાં નહિ આવે અર્થાત્ સમૂહમાં રહેલા પાઠને નિશ્ચિત રૂપથી પૃથક્ માનવામાં નિહ આવે તો અવયવપક્ષમાં પણ સંદેહ થશે. કારણ કે ‘“ફળીયસૌ’” શબ્દ સમૂહ સ્વરૂપ છે. હવે આ સમૂહમાં જો પૃથક્ પાઠ માનવામાં નહિ આવે તો “” અનુબંધ “” પ્રત્યય સંબંધી અવયવ મનાશે કે “વૅસ્' પ્રત્યય સંબંધી ? એ બાબતમાં શંકા થશે. આ પ્રમાણે અવયવ અથવા અનવયવ ઉભયપક્ષમાં શંકા થશે. વળી જ્યાં જ્યાં સંદેહ થશે ત્યાં ત્યાં આ પરિભાષાનું કથન પ્રાપ્ત થશે. વ્યાખ્યાનથી જ (કથનથી જ) વિશેષ અર્થની પ્રાપ્તિ થઈ જશે. શંકા ઉપસ્થિત થાય એટલા માત્રથી જ સૂત્ર, અસૂત્ર સ્વરૂપ બની જતું નથી. દા.ત. “મવતોરિનળીયસો” (૬/૩/૩૦) સૂત્રની ટીકામાં અમે જણાવીશું કે “” ત્ એ પૂર્વનાં ‘‘ફળ્’” પ્રત્યયનાં સંબંધમાં જ છે, પરંતુ પરનાં “યસ્” પ્રત્યયનાં સંબંધમાં નથી. આ વ્યાખ્યાનનાં (કથનનાં) કારણમાં અમે જણાવીએ છીએ કે અવયવપક્ષમાં જે એક અવયવ છે, તે બે પ્રકૃતિ અથવા બે પ્રત્યયનો અવયવ થતો નથી, પરંતુ એક જ પ્રકૃતિ અથવા એક જ પ્રત્યયનો અવયવ થાય છે. આમ જ્યાં જ્યાં સંદેહ (શંકા) હશે ત્યાં ત્યાં વ્યાખ્યાનથી નિશ્ચય થઈ શકશે. (श०न्या० ) अनेकान्तेष्वानन्तर्यस्योभयापेक्षस्य विरोधाभावाद् व्यवस्थित पाठ एव कर्तव्य इति। प्रयोगज्ञत्वाद् वाचार्याणां तं तं प्रयोगं दृष्ट्वा तांस्ताननुबन्धानासजन्ति, युक्तं ह्येतद् यत् प्रयोगनिमित्तकेनानुबन्धेन भवितव्यम्, न पुनरनुबन्धनिमित्तकेन प्रयोगेणेर्ति । ननु भवतु नामाचार्याः प्रयोगज्ञाः, शिष्यास्तु कथं प्रतिपद्यन्ते ? आचार्यप्रवृत्तेरेवेति । અનુવાદ ઃ- ઉત્તરપક્ષ :- (ચાલુ) :- અનવયવપક્ષમાં ઉભયની અપેક્ષાવાળા એવા સમીપસમીપી-ભાવમાં વિરોધનો અભાવ હોવાથી વ્યવસ્થિત પાઠ જ કરવા યોગ્ય છે અર્થાત્ સૂત્રમાં જ્યાં જ્યાં સમૂહવાચક શબ્દો હોય ત્યાં ત્યાં પૃથક્ પૃથગ્ પાઠ જ કરવા યોગ્ય છે. કદાચ શંકા થશે કે આચાર્ય ભગવંતશ્રીએ આવું શા માટે કર્યું ? આના અનુસંધાનમાં જણાવે છે કે, આચાર્ય ભગવંત તે તે પ્રયોગોનાં જાણકાર હતા. આથી તે તે પ્રયોગોને જોઈને જ અનુબંધો જોડ્યા છે અને આ યોગ્ય જ છે. કારણ કે પ્રયોગનાં નિમિત્તથી અનુબંધ તે તે પ્રત્યયોમાં જોડાય છે, પરંતુ અનુબંધનાં નિમિત્તથી પ્રયોગો થતાં નથી. જે જે શબ્દોનાં પ્રયોગો જગતમાં પ્રસિદ્ધ હતા, તે તે પ્રયોગોને ધ્યાનમાં લઈને જ વ્યાકરણનાં સૂત્રોની રચના કરવામાં આવી છે. આચાર્ય ભગવંતશ્રીને સૂત્રો બનાવવા દ્વારા પ્રયોગો જણાવવાની ઇચ્છા નથી. પૂર્વપક્ષ :- આચાર્ય ભગવંતશ્રી ભલે પ્રયોગનાં જાણકાર હોય, પરંતુ શિષ્યો તો પ્રયોગનાં જાણકાર હોતા નથી. આથી શિષ્યો કેવી રીતે જાણી શકે કે “પ્’” તુ, ‘“” પ્રત્યયનાં સંબંધમાં
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy