SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ બુદ્ધિ અર્થ અસાધારણ અર્થ છે. જે જે વિશેષ હોય તે અસાધારણ હોય છે. બુદ્ધિ સ્વરૂપ અર્થ એ વિશેષ અર્થ છે. કોઈક વ્યક્તિ મનુષ્ય બોલે તો મનુષ્ય એ સામાન્યથી કથન થયું તથા દેવદત્ત વગેરે બોલવામાં આવે તો એ વિશેષથી કથન થયું. એ જ પ્રમાણે અહીં વિષયનું ક્ષેત્ર સાધારણ છે. દા.ત. રૂદ્ર, શક્ક, પુરવ્ર વગેરે શબ્દો બોલવામાં આવે તો દરેક શબ્દનો બહિરંગ અર્થ ઇન્દ્ર સ્વરૂપ એક જ પદાર્થ છે. આથી બહિરંગ અર્થ સાધારણ છે. જ્યારે બુદ્ધિ અર્થ દરેક શબ્દ પ્રમાણે અલગ અલગ હોય છે. આથી બુદ્ધિ અર્થ અસાધારણ છે. માટે જે વસ્તુ અસાધારણ હોય તે જ માનવી જોઈએ. આથી બુદ્ધિ સ્વરૂપ અર્થ જ યોગ્ય છે. બુદ્ધિ અર્થ અને બહિરંગ અર્થ બંનેમાં બુદ્ધિ અર્થ વધારે વ્યાપક છે. જ્યાં જ્યાં બુદ્ધિ અર્થ હોય છે ત્યાં ત્યાં બહિરંગ અર્થ હોય છે એવો નિયમ નહીં. વળી, જ્યાં જ્યાં બહિરંગ અર્થ હશે ત્યાં ત્યાં બુદ્ધિ અર્થ તો હશે. અભાવ, સસલાનું શીંગડુ, વિનાશ વગેરે શબ્દોમાં વિષય અર્થ વિદ્યમાન નથી પરંતુ બુદ્ધિ અર્થ તો છે જ. આ પ્રમાણે બુદ્ધિ અર્થ વ્યાપક હોવાથી બુદ્ધિ અર્થ જ માનવા યોગ્ય છે. આ પ્રમાણે બધી જ પ્રક્રિયા જો બુદ્ધિ સ્વરૂપ અર્થ માનવામાં આવે તો સંગત થાય છે. માટે બુદ્ધિ સ્વરૂપ અર્થ જ યોગ્ય છે. (शन्या०) सत्यमेतत्, बुद्धिरप्यर्थस्तदाश्रया च प्रक्रिया सिध्यति, किन्तु बुद्धिरेवार्थो न बहिरङ्ग इति बहिरङ्गार्थनिह्नवो नोपपद्यते, असति हि तस्मिन् कथं निरालम्बना बुद्धिरुदेति मिथ्यात्वप्रसङ्गात् ? किञ्च, तदभावे सत्यानृतव्यवस्थाऽपि न प्रकल्पते, लोके हि यस्य बहिरङ्गार्थोऽस्ति स सत्य इत्युच्यते, विपरीतस्त्वसत्य इति; अन्तरङ्गार्थनियमे तु बुद्धिस्वरूपाविशेषादयं विकल्पो नोपपद्यते इति । किञ्च, बुद्धेः सम्यक्त्व-मिथ्यात्वे बाह्यार्थसत्त्वासत्त्वापेक्षे, तत्र बहिरङ्गार्थनियमे बुद्ध्यभावात् तदाश्रयो लौकिको व्यवहारः शास्त्रीयश्च न सिध्यतीत्युभयार्थपरिग्रहः । અનુવાદ (ઉત્તરપક્ષ) - તમારી વાત સાચી છે. બુદ્ધિ સ્વરૂપ અર્થ પણ છે અને બુદ્ધિ સ્વરૂપ અર્થને આશ્રયીને બધી પ્રક્રિયા સિદ્ધ થાય છે એ પણ સાચું છે. છતાં પણ બુદ્ધિ સ્વરૂપ જ અર્થ છે. પરંતુ બહિરંગ અર્થ નથી. એ પ્રમાણે બહિરંગ અર્થનો અપલાપ સંગત થતો નથી. જો બહિરંગ અર્થ જગતમાં વિદ્યમાન જ ન હોય તો નિરાલંબન બુદ્ધિ કેવી રીતે ઉત્પન્ન થાય ? કોઈ કહે કે, આ આંબાનું વૃક્ષ છે. હવે જો આંબાના વૃક્ષ સ્વરૂપ પદાર્થ ન હોય તો આંબાના વૃક્ષ સ્વરૂપ બુદ્ધિ અર્થ કેવી રીતે ઉત્પન્ન થશે. વિષયની ગેરહાજરીમાં જ બુદ્ધિ ઉત્પન્ન થઈ જાય તો મિથ્યાત્વનો પ્રસંગ આવશે. વળી જો બુદ્ધિ રૂપ અર્થ જ માનવામાં આવશે અને બહિરંગ અર્થ માનવામાં નહીં આવે તો આ સાચું છે અને આ સાચુ નથી એવી વ્યવસ્થા થઈ શકશે નહીં. કોઈ વ્યક્તિ પીત્તળને જોઈને
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy