SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ કાશકૃત્સ્ન વગેરે સૂત્રકારોએ (શિક્ષાકારોએ) પણ અવ્, હણ્ વગેરેનું નવીન એવું સૂત્રાત્મક સ્વરૂપ કહ્યું નથી. માટે અમોએ પણ પહેલેથી જ જે સ્વરાદિનો પાઠક્રમ ચાલી આવે છે, તે વર્ણોનો સમાવેશ અમારા વ્યાકરણમાં કરી દીધો છે. આ બધા સંજોગોને ધ્યાનમાં લઈને અમે જણાવીએ છીએ કે વર્ણોનો સમ્યક્ પાઠક્રમ શિષ્ટપુરુષો પાસેથી જ જાણવા યોગ્ય છે. (श०न्या० ) तथा च शिक्षाकाराः- “विवृतकरणाः स्वराः, तेभ्य ए - ओ विवृततरौ ताभ्यामैऔ ताभ्यामप्याकारः, अकारः संवृतः, कादयो मावसानाः स्पर्शाः, अन्तस्था यरलवाः" इति स्वरादिना व्यवहारः । અનુવાદ :- ઉપર અમે કહ્યું કે શિષ્ટપુરુષો પાસેથી જ વર્ણોનો સમ્યક્ પાઠક્રમ જાણવા યોગ્ય છે એના સંદર્ભમાં જુદાં જુદાં સૂત્રકારોએ (શિક્ષાકારોએ) વર્ણો સંબંધમાં જે વ્યવહાર કર્યો છે તેને સામાન્યથી જણાવે છે. વિવૃતકરણ પ્રયત્નવાળા સ્વરો છે, તેનાથી પણ ૫ અને ઞો વિવૃતતર પ્રયત્નવાળા છે, તેનાથી પણ પે અને સૌ વિવૃતતમ પ્રયત્નવાળા છે. તે બેથી પણ આાર વધારે વિવૃત પ્રયત્નવાળો છે તથા બાર સંવૃત પ્રયત્નવાળો છે. થી આરંભીને મ્ સુધીના વર્ણો સ્પર્શવ્યંજનો છે તથા યૂ, ર્, ત્, વ્ એ અંતસ્થા સ્વરૂપ વ્યંજનો છે. આ પ્રમાણે જુદાં જુદાં વૈયાકરણીઓએ સ્વર વગેરેથી વ્યવહાર કર્યો છે. આ અંગેની કેટલીક માહિતી (૧/૧/૧૭) સૂત્રમાં આચાર્ય ભગવંતે આપિશલિ શિક્ષાકારનો ઉલ્લેખ કરીને જણાવી છે. આમ, આચાર્ય ભગવંત શ્રી હેમચન્દ્રાચાર્યે વર્ણોનો સમ્યક્ પાઠક્રમ નવીન સ્વરૂપે ગ્રહણ કર્યો નથી. તેના અનુસંધાનમાં કેટલાંક શિક્ષાકારોના પાઠનું આલંબન તેઓએ લીધું છે. (શવન્યા૦ ) તથા સન્દેહાતિવ્યાસી અત્તાવિરૂપે । તથા-િ“અડ્ડ” [શિવસૂત્રમ્−૧.] ‘“શ્રૃવૃક્” [શિવસૂત્રમ્-૨.] “ોક્” [શિવસૂત્રમ્-રૂ.] “હેૌપ્” [શિવસૂત્રમ્-૪.] ફચત્ર ‘આન્ત્યિન૦” [પા૦ ૧.૨.૭o.] રૂત્યર્ત્યનેતા સહ મધ્યવર્ગાનાં પ્રાહ રૂતિ યથા-ઞળ, (ફ,) લ, પેવ્, અર્ ર્ત્યત: ‘અડવાં:', ‘સમાના:', ‘મુળ:’, ‘વૃદ્ધિ:', ‘સ્વરા:' સ્વામિણીયો । तथा “षितोऽङ्” [५.३.१०७.] इत्यत्र अङिति प्रत्याहारप्रसङ्गादैकारौकारवर्जितस्वरप्रत्ययप्रसङ्ग કૃતિ । ** અનુવાદ :- હવે પાણિની સૂત્રકારે મય્, સ્ વગેરેનું જે નવીન સ્વરૂપ ગ્રહણ કર્યું છે તેમાં સંદેહ અને અતિવ્યાપ્તિ વગેરે દોષો આપવા દ્વારા પોતાનો અસ્વરસ બતાવાય છે. હવે આચાર્ય ભગવંતની પંક્તિઓ ખોલતા પહેલાં પાણિની વ્યાકરણની સંજ્ઞાઓ અંગેની કેટલીક જાણકારી મેળવવી આવશ્યક છે. તો જ આચાર્ય ભગવંતે કહેલા દોષોની જાણકારીનો બોધ આપણે કરી શકીશું.
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy