SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ८ स्थानकाध्ययने आहारः कृष्णराज्याद्याः मध्यप्रदेशाः ६२२-६२४ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ પાણી છાંટીને ફ્લલાદિ લેનાર, તાપસપણાએ પ્રવ્રજ્યા સ્વીકાર કરી. ત્યારબાદ છઠ્ઠ છટ્ઠની તપસ્યા કરતાં યથોચિત આતાપના લેતાં અને સ્વાભાવિક ભૂમિ પર પડેલ પત્રાદિ વડે પારણાને કરતા એવા તેને વિભંગજ્ઞાન ઉપજ્યું. તે વિભંગજ્ઞાન વડે સાત દ્વીપ અને સાત સમુદ્રોને તે જોતો હતો. ‘મને દિવ્ય જ્ઞાન ઉપજ્યું છે’ એમ માનવાથી નગરમાં આવીને બહુ જનની આગળ જેમ પોતાને ઉપલબ્ધ થયેલ છે (દેખાય છે) તેમ તત્ત્વનો ઉપદેશ કરવા લાગ્યો અર્થાત્ સાત દ્વીપ અને સાત સમુદ્રો છે એમ કહેતો હતો. તે વખતે ત્યાં ભગવાનું વિચરતા થકા પધાર્યા. શ્રીગૌતમસ્વામી ભિક્ષાને અર્થે ફરતા થકા લોકોની પાસેથી શિવની પ્રરૂપણા સાંભળી ભગવાન પાસે જઈને તેમને પૂછ્યું, ભગવાને તો અસંખ્યેય દ્વીપ અને સમુદ્રોનું પ્રરૂપણ કર્યું. ભગવાનનું વચન લોકો પાસેથી સાંભળીને શિવ શંકાવાળો થયો ત્યારે તેના વિભંગનો પાત (નાશ) થયો ત્યારે ભગવાન્ વિષે ઉત્પન્ન થયેલ ભક્તિવાળો તે શિવ, ભગવાનની સમીપે ગયો. ભગવાને કહેલ શબ્દોને સાંભળીને તેને સર્વજ્ઞનો વિશ્વાસ થવાથી તેણે દીક્ષા લીધી, તથા અગ્યાર અંગ ભણીને સિદ્ધ થયો. ૬. ઉદાયન–સિંધુ સૌવીર વગેરે સોળ દેશ, વીતભય પ્રમુખ ત્રણસેં ત્રેસઠ નગ૨ અને દશ મુગટબદ્ધ રાજાઓનો સ્વામી શ્રમણોપાસક હતો. ઉજ્જયની નગરીમાં જઈને ઉભય બલ (સૈન્ય) સમક્ષ રણાંગણમાં સંગ્રામકર્મને વિષે કુશળ એવા જેણે ચંડપ્રદ્યોત મહારાજાને શ્રેષ્ઠ હસ્તિરૂપ પર્વતથી પાડીને મયૂરપીછ વડે બાંધ્યો હતો અને કપાલમાં અંકિત કર્યો હતો. (‘મમ દાસીપતિ’ એવા અક્ષર વડે ડામ અપાવ્યો) તથા સ્નેહથી પ્રાપ્ત થયેલ અનુકંપા વડે રાજ્યમાં ગૃદ્ધ થયેલ રખેને આ દુર્ગતિમાં જાય એમ વિચારીને પોતાના અભિજિત્ નામના પુત્રને રાજ્ય પર ન સ્થાપીને અને કેશિ નામના પોતાના ભાણેજનેં રાજા કરીને મહાવીર પ્રભુ સમીપે દીક્ષા ગ્રહણ કરી હતી. તે એકદા તે જ નગરમાં પધાર્યા. ઉત્પન્ન થયેલ રોગવાળા તે મુનિએ વૈદ્યના ઉપદેશથી દહિંનું સેવન કર્યું. ‘મારું રાજ્ય આ રાજર્ષિ લઈ લેશે' એમ શંકા થવાથી કેશિ રાજાએ વિષમિશ્રિત દધિ અપાવવાથી પંચત્વને પામ્યા (મોક્ષે ગયા). તે મુનિના ગુણના પક્ષપાતથી કોપ પામેલ દેવીએ પાષાણની (ધૂળની) વૃષ્ટિ ક૨વા વડે, એક કુંભાર શય્યાતરને છોડીને તે સમસ્ત (વીતભય) નગરનો નાશ કર્યો (દાટી દીધું) ૭. શંખ કાશીવર્ધન-વાણારસી નગરી સંબંધી દેશની વૃદ્ધિ કરનારો આ રાજા પ્રતીત નથી. માત્ર અલકનામા રાજાને ભગવાને વાણારસીમાં દીક્ષા આપેલ છે એમ અંતગડદશાંગસૂત્રમાં સંભળાય છે તે જો અ૫૨ નામાંતરથી આ હોય તો (સંભવે છે) ૮. I૬૨૧॥ આ ઉક્ત રાજર્ષિઓ, મનોજ્ઞ અને અમનોજ્ઞ આહારાદિમાં સમભાવવૃત્તિવાળા હતા. આ પ્રસ્તાવથી આહારના સ્વરૂપને કહે છે— અદવિષે બહારે પશત્તે, તંનહા-મમુખે, બસો, પાળે, વામે, મનુને બસો, પાળે, બ્રાને, સામે ॥ સૂ ૬૨૨।। उप्पि सणकुमारमाहिंदाणं कप्पाणं हव्वि बंभलोगे, कप्पे रिट्ठविमाणपत्थडे एत्थ णमक्खाडगसमचउरंससंठाणसंठितातो अट्ठ कण्हरातीतो पन्नत्ताओ, तंजहा - पुरत्थिमेणं दो कण्हरातीतो, दाहिणेणं दो कण्हरातीतो, पच्चत्थिमेणं दो कण्हरातीतो, उत्तरेणं दो कण्हरातीतो । पुरत्थिमा अब्भंतरा कण्हराती दाहिणं बाहिरं कण्हराई पुट्ठा, दाहिणा अब्भंतरा कण्हराती पच्चत्थिमं बाहिरं कण्हराई पुट्ठा, पच्चत्थिमा अब्भंतरा कण्हराती उत्तरं बाहिरं कण्हराई पुट्ठा, उत्तरा अब्भंतरा कण्हराती पुरत्थिमं बाहिरं कण्हराई पुट्ठा। पुरत्थिमपच्चत्थिमिल्लाओ बाहिरा ओ दो कहरातीतो छलंसातो, उत्तरदाहिणाओ बाहिरातो दो कण्हरातीतो तंसाओ, सव्वाओवि णं अब्भंतरकण्हरातीओ चरसाओ १ । एतासि णं अट्टण्हं कण्हरातीणं अट्ठ नामधेज्जा पन्नत्ता, तंजहा - कण्हराती ति वा मेहराती ति वा मघा ति वा माघवती ति वा वातफलिहे ति वा वातपलिक्खोभे ति वा देवफलिहे ति वा देवपलिक्खोभे ति वा २ । एतासि 'अहं कण्हरातीणं अट्ठसु ओवासंतरेसु अट्ठ लोगंतितविमाणा पन्नत्ता, तंजहा- अच्ची, अच्चिमाली, 239
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy