SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ४ स्थानकाध्ययने उद्देशः ४ इहलोकप्रतिबद्धादिप्रव्रज्या भेदाः ३५५ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ धन्नपुंजितसमाणा, धन्नविरल्लितसमाणा, धन्नविक्खित्तसमाणा, धन्नसंकड्डितसमाणा ८ ।। सू० ३५५।। (મૂo) ચાર પ્રકારે પ્રવ્રજ્યા-દીક્ષા કહેલી છે, તે આ પ્રમાણે–૧. ઉદર ભરવા માટે દીક્ષા લેવી તે આલોકપ્રતિબદ્ધા, ૨. દેવાદિ સંબંધી સુખને માટે દીક્ષા લેવી તે પરલોકપ્રતિબદ્ધી, ૩. ઉભય લોકના સુખને અર્થે દીક્ષા લેવી તે ઉભયલોકપ્રતિબદ્ધા અને ૪. મોક્ષના અર્થે દીક્ષા લેવી તે અપ્રતિબદ્ધા. (૧) “જો હું દીક્ષા લઈશ તો મને શિષ્ય, આહારાદિ મળશે એમ અગાઉથી દીક્ષા લેનારાઓને વિષે જે અભિલાષા તે અગ્રત પ્રતિબદ્ધા, ૨. સ્વજનાદિકે પ્રથમથી દીક્ષા લીધેલ છે તેના સ્નેહને લઈને જે પાછળથી દીક્ષા લેવી તે મૃતઃપ્રતિબદ્ધા, ૩. ઉભયતઃ પ્રતિબદ્ધા–આગળથી અને પાછળથી પણ પ્રતિબંધવાળી છે અને ચોથી અપ્રતિબદ્ધા પૂર્વવત્ (૨) ચાર પ્રકારે પ્રવજ્યા કહેલી છે, તે આ પ્રમાણે–૧. સદ્ગુરુઓની સેવા વડે જે દીક્ષા લેવાય છે તે અવપાતપ્રવ્રજ્યા, ૨. ‘તું દીક્ષા ગ્રહણ કર’ એમ કહેવાથી જે દીક્ષા લેવાય છે તે આખ્યાતપ્રવ્રજ્યા, ૩. “જો તું દીક્ષા લે તો હું પણ લઈશ” એવા સંકેતથી જે દીક્ષા લેવી તે સંકેતપ્રવ્રજ્યા અને ૪ પરિવારાદિના વિયોગથી એકાકીપણે દેશાંતરમાં જઈને દીક્ષા લેવી તે વિહગગતિપ્રવ્રજ્યા. (૩) ચાર પ્રકારની પ્રવજ્યા કહેલી છે, તે આ પ્રમાણે–૧. તોદયિત્વા-પીડા ઉપજાવીને જે દીક્ષા અપાય તે, ૨, લાવયિત્વા–બીજે ઠેકાણે લઈ જઈને દીક્ષા અપાય તે, ૩. મોચયિતા-કરજ વગેરેથી મૂકાવીને જે દીક્ષા અપાય તે, ૪. પરિડુતયિતા-ભોજનની લાલચ વડે જે દીક્ષા અપાય છે. (૪) ચાર પ્રકારની પ્રવ્રજ્યા કહેલી છે, તે આ પ્રમાણે–૧. નટની જેમ સંવેગ રહિત ધર્મકથા કરવા વડે ભોજનાદિ મેળવવું તે નટખાદિતા, ૨. સુભટની જેમ બળ દેખાડીને ભોજનાદિ મેળવવું તે ભટખાદિતા, ૩. સિંહની જેમ બીજાની અવજ્ઞા કરીને ભોજનાદિ મેળવવું તે સિંહબાદિતા અને ૪. શીયાળની જેમ દીનતા વડે ભોજનાદિ મેળવવું તે શુંગાલખાદિતા. (૫) ચાર પ્રકારની કૃષી (ખેતી) કહેલી છે, તે આ પ્રમાણે–૧. જેમાં એક વખત ધાન્ય વવાય તે વાવિયા, ૨. બે ત્રણ વખત ઉખેડીને સ્થાનાંતરમાં રોપાય તે પરિવારિયા, ૩. જેમાં એક વાર નિંદણ-ઘાસ વગેરે દૂર કરાય તે નિંદિયા અને ૪. વારંવાર નિંદણ-ઘાસ વગેરે દૂર કરાય તે પરિનિંદિયા. (૬) આ દૃષ્ટાંતે ચાર પ્રકારની પ્રવજ્યા કહેલી છે, તે આ પ્રમાણે–૧. સામાયિક ચારિત્રનું આરોપણ કરવું તે વાવિયા, ૨. વડી દીક્ષા અથવા ફરીથી દીક્ષા આપવી તે પરિવાવિયા, ૩. એક વખત અતિચારની આલોચના કરવી તે નિદિયા અને ૪. વારંવાર અતિચારની આલોચના કરવી તે પરિબિંદિયા. (૭) ચાર પ્રકારની પ્રવૃજ્યા કહેલી છે, તે આ પ્રમાણે–૧. ખળામાં શુદ્ધ કરેલ ધાન્યના ઢગલા જેવી–અતિચાર રહિત દીક્ષા, ૨. ખળામાં જ કચરાને પવન વડે દૂર કરેલ ધાન્યના એકત્ર નહિં કરેલ પુંજ સમાન-અલ્પ અતિચારવાળી, ૩. બળદની ખુરી વડે ખુંદાવાથી વેરાયેલ ધાન્યના જેવી–બહુ અતિચારવાળી અને ૪. ક્ષેત્રમાંથી લાવીને ખળામાં મૂકેલ ધાન્ય સમાન–બહુતર અતિચારવાળી પ્રવ્રય. (૮) ૩પપ (ટી.) આ સૂત્રો સંગમ છે. વિશેષ એ કે–૧. માત્ર ઉદરભરણાદિ ઇચ્છાવાળાની જે દીક્ષા તે ઇહલોકપ્રતિબદ્ધા, ૨. ભવાંતર સંબંધી કામભોગની ઇચ્છાવાળાની જે દીક્ષા તે પરલોકપ્રતિબદ્ધા, ૩. ઉભય લોક સંબંધી સુખના અભિલાષીઓની જે દીક્ષા તે દ્વિધાલોકપ્રતિબદ્ધા અને ૪. વિશિષ્ટ સામાયિક ચારિત્રવાળાઓની જે દીક્ષા તે અપ્રતિબદ્ધા. (૧) પુરતઃ-પ્રવ્રજ્યા લેવાથી ભવિષ્યમાં થનારા શિષ્ય અને આહારાદિને વિષે આગળથી પ્રતિબંધવાળી જે દીક્ષા તે ૧ પુરતઃ પ્રતિબદ્ધા કહેવાય છે. એમ સ્વજનાદિને વિષે (સ્નેહ વડે પાછળથી લીધેલ દક્ષા) તે ૨. માર્ગત પ્રતિબદ્ધા કહેવાય છે. ૩. કોઈક પ્રવ્રજ્યા આગળથી અને પાછળથી પણ એમ દ્વિધા પ્રતિબંધવાળી છે અને ૪. કોઈક અપ્રતિબદ્ધા પૂર્વની જેમ છે. (૨) 'ગોવાય’ ત્તિ—અવાતસદ્ગુરુઓની સેવા કરવાથી જે પ્રવજ્યા તે ૧. અપાતપ્રવજ્યા, ૨. “તું દીક્ષા લે’ એમ કહેવાથી દીક્ષા લેનારની જે પ્રવજ્યા તે આખ્યાતપ્રવજ્યા-આર્યરક્ષિતસૂરિના ભાઈ ફલ્યુરક્ષિતની જેમ, ૩. સંર' રિ–સંકેતથી જે પ્રવજ્યા-મેતાર્યાદિની જેમ અથવા જ્યારે ‘તું દીક્ષા લઈશ ત્યારે હું પણ લઈશ” એમ સંકેતથી જે દીક્ષા તે સંકેતપ્રવ્રયા, ૪. 'વિદ / ત્તિ વિહગગતિ 467
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy