SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ R ટીકાર્થ : સાધુવાદનો અંગીકાર કર્યાવિના જે પુણ્યને માટે કરાયેલું હોય તે પુણ્યાર્થપ્રકૃત કહેવાય. (પ્રશંસા મેળવવા નહિ, પરંતુ “મને પુણ્ય મળો” એવા ભાવથી કરાયેલું હોય) અહીં કોઈક પ્રશ્ન કરે છે કે જો પુણ્યને માટે કરાયેલી વસ્તુનો પરિત્યાગ કરવાનો હોય તો તો શિષ્ટપુરુષોના ઘરોમાં ખરેખર પરમાર્થથી ભિક્ષાનું ગ્રહણ જ થઈ શકશે નહિ. કેમકે શિષ્ટપુરુષોની ભોજન બનાવવાની પ્રવૃત્તિ પુણ્યને માટે જ હોય છે તે આપ્રમાણે-શિષ્ટપુરુષો પિતૃકર્માદિ વિના માત્ર પોતાના જ માટે તુચ્છજીવોની માફક પ્રવૃત્તિ કરતા નથી. (મરી ગયેલા પિતાના ઉદ્દેશથી કે એવા કોઈ ને કોઈ ધાર્મિક ઉદ્દેશ ત મે એમની પાકપ્રવૃત્તિમાં હોય જ છે. એટલે શિષ્ટોની તમામ ગોચરી પુણ્યાર્થપ્રકૃત હોય, त એટલે જ જો એ છોડી દેવાની હોય તો શિષ્ટોના ઘરે ગોચરી જવાનું જ બંધ કરી દેવું પડે...) न દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અધ્ય. ૫.૧ સૂત્ર-૪૯, ૫૦ अनीदृशस्यैव प्रतिषेधात्, तदारम्भदोषेण योगात्, यदृच्छादाने तु तदभावेऽप्यारम्भप्रवृत्तेः नासौ तदर्थ इत्यारम्भदोषायोगात्, दृश्यते च कदाचित्सूतकादाविव सर्वेभ्य एव प्रदानविकला शिष्टाभिमतानामपि पाकप्रवृत्तिरिति, विहितानुष्ठानत्वांच्च तथाविधग्रहणान्न दोष इत्यलं प्रसङ्गेन, अक्षरगमनिकामात्रफलत्वात्प्रयासस्येति ॥ ४९ ॥ 'तं વેત્તિ સૂત્ર, પ્રતિષેધ: પૂર્વવત્ S = જે ભોજનપાન સ્વભૃત્યભોગ્ય હોય, એટલે જ ઉચિતપ્રમાણવાળું હોય, ઈત્વરયદચ્છાથી દેય હોય, એ કુશલપ્રણિધાનથી કરાયેલું હોય તો પણ એનો નિષેધ નથી. (સ્વ ઘરનો માલિક, મૃત્યુ માલિક વડે ભરણ-પોષણ કરવા યોગ્ય એવા પત્ની-પુત્રો-ભાઈ-બહેન, નોકર-ચાકર વગેરે એ ઘરે જમતા બધા જ માણસો... આ સ્વ અને નૃત્યો જેટલું ભોજન-પાન રોજેરોજ વાપરતા હોય તેટલું ભોજન-પાન સ્વભૃત્યભોગ્ય = जि शा ઉત્તર : આ વાત આ પ્રમાણે નથી. કેમકે તમને અમારા અભિપ્રાયનું જ્ઞાન નથી. નિ 7 અભિપ્રાય એ છે કે સ્વભોગ્ય કરતા વધારાનું જે દેય પુણ્યાર્થપ્રકૃત હોય તેનો જ નિષેધ 1 કરેલો છે. (ઘરના ૧૦ જણ માટે રોજ ૧ કીલો લોટની રોટલી કરતા હોય, તો એ ૧ જ્ઞા કીલો લોટની રોટલી એમને માટે સ્વભોગ્ય છે, હવે જો તેઓ “સંન્યાસી વગેરેને આપી પુણ્ય બાંધીએ” એવા પુણ્યના ભાવથી ૧ને બદલે ૧। કીલો લોટની રોટલી બનાવે, તો ना આ પા કીલો લોટની રોટલી એ સ્વભોગ્ય કરતા જુદી વધારાની એવી પુણ્યાર્થપ્રકૃત વસ્તુ બને છે, આવી દેયવસ્તુનો જ અહીં નિષેધ સમજવાનો છે.) स स य य 卡 ૫૮ S
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy