SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અધ્ય. ૫.૧ સૂત્ર-૨૩, ૨૪ અને લોકોપ્રઘાત થાય. (સ્ત્રીના મુખ સામે એકાગ્રતાથી જુએ, આંખોમાં આંખ મેળવે, એમાં રાગાદિ ઉત્પન્ન થાય અને આ રીતે સાધુ જુએ એટલે લોકો પણ નિંદા કરે કે સાધુ સ્ત્રી સામે ધારી ધારીને જોતો હતો...) તથા ઘરમાં બહુ દૂર સુધી દષ્ટિપાત ન કરે, પણ ગોચરી આપનારના આગમનમાત્ર પ્રદેશને જુએ એના કરતાં આગળ દૃષ્ટિપાત કરે તો ચોર વગેરેની શંકા થવા રૂપ દોષ લાગે. (ગોચરી વહોરાવનાર ગોચરી લઈને જ્યાંથી આવતો હોય ત્યાંથી એના પગ નીચે મૈં સચિત્તપાણી, વનસ્પતિ વગેરેની વિરાધના થતી નથી ને ? એ થાય તો ગોચરી ન મો વહોરાય... એટલે સાધુ એ ગોચરી આપનારના આગમનના તમામ સ્થાનને જુએ, પણ मो ઽ એની પાછળ દૂર દૂર ઓરડા વગેરે સુધી દષ્ટિપાત ન કરે... એવું કરે તો ઘરવાળાઓને s શંકા જાય કે સાધુ કેમ ઓ૨ડામાં કે ખૂબ અંદર સુધી જુએ છે ? એ કંઈ ધનાદિ ચોરવાની સ્ત ઈચ્છાવાળો તો ‘નથી ને ?” એમ શંકા કરે. તથા ક્યારેક એવી પણ શંકા થાય કે “આ સાધુ મારી દીકરી-બહેન-પુત્રવધુ વગેરેને જોવા માટે દૂર દૂર અંદર દિષ્ટ ફેલાવી રહ્યો છે.” એટલે આ રીતે ન જોવું.) 3 जि તથા ઘરની સામગ્રીને પણ વિકસિત નેત્રોપૂર્વક ન જોવી. (ઘરમાં જાતજાતની સુંદર મજાની વસ્તુઓ પડેલી હોય, સાધુ આભો બની, આંખો ફાડી એ બધું જુએ નહિ.) કેમકે લોકો બોલે કે આ તો અટ્ઠષ્ટકલ્યાણવાળો છે. આ પ્રમાણે શાસનની લઘુતાની ઉત્પત્તિ થાય. (જેણે જીવનમાં સુખ-સમૃદ્ધિ વગેરે જોઈ નથી એવા, ગરીબો દુ:ખીઓ અદષ્ટકલ્યાણ કહેવાય. આવાઓને યારે કોઈ સારી સારી વસ્તુ જોવા મળે, ત્યારે તેઓ મા પહેલાં આવું જોયું ન હોવાથી આંખો ફાડીને, આશ્ચર્ય સાથે એ બધી વસ્તુઓ નિહાળે... શા આવું લોકો જાણતાં જ હોય છે. એટલે સાધુ પણ જો વિકસિતનેત્રે ઘરની સુંદ૨-મજાની ગા F વસ્તુઓ જોયા કરે તો એ બધાં વિચારે કે “આ બિચારાએ સંસારના કોઈ સુખો અનુભવ્યા | F ન નથી લાગતા, ગરીબ હશે... એટલે જ આમ આશ્ચર્યથી બધું નિહાળે છે..” આ રીતે મૈં શાસનની અપભ્રાજના થાય...) તથા ગોચરી ન મળે તો પણ કોઈપણ દીનવચન બોલ્યા વિના જ ઘરમાંથી નીકળી જાય. (પણ ખેદ વ્યક્ત ન કરે, દુ:ખી ન થાય. . .) તથા अइभूमिं न गच्छेज्जा, गोअरग्गगओ मुणी । कुलस्स भूमिं जाणित्ता, ' ' છ ૩૫ य X
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy