SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ **** મ (૨૧) સાધુએ નટ જેવા બનવું. જેમ નટ તે તે કાર્યો આવી પડે, ત્યારે તે તે વેષ મા કરે, તેમ સાધુ પણ તે તે કાર્યો આવી પડે ત્યારે તેવા તેવા વેષ કરે. मा S (૨૨) સાધુએ કુકડા જેવા બનવું. જેમ કુકડો પ્રાપ્ત થયેલા આહારને પગ દ્વારા આમ મ્યું તેમ વિખેરીને બીજા કુકડાઓની સાથે ખાય. એકલો ન ખાય. એક્ સાધુ પણ પ્રાપ્ત થયેલા આહારનો સંવિભાગ કરી, જુદા જુદા સાધુઓને વપરાવીને વાપરનારો બને. (૨૩) સાધુએ દર્પણ જેવા થવું. દર્પણ જેમ નિર્મલ છે, તેમ સાધુ પણ નિર્મલ છે, 7 તથા જેમ દર્પણની સામે જે કોઈપણ ઉભું રહે, તેનું પ્રતિબિંબ દર્પણમાં પડે. દર્પણ એના 7 # આકાર જેવો જ આકાર પોતાનામાં ઉપસાવે. એજ રીતે સાધુ સામે જે કોઈપણ આવે, મં સાધુ તેના સ્વભાવને એવી રીતે અનુવર્તે કે એને સાધુમાઁ પોતાના ભાવનાં દર્શન થાય. સાધુ આત્મીય લાગે. એ રીતે તે ધર્મ પામે. આમ યુવાન વગેરેને અનુસરવા રૂપ પ્રતિબિંબભાવ સાધુમાં છે. એ રીતે સાધુ દર્પણ જેવો છે. ન न કહ્યું છે કે “યુવાનને વિશે સાધુ યુવાન બને, વૃદ્ધોની સાથે સાધુ વૃદ્ધ બને. નાનાની સાથે સાધુ નાનો બને. જેમ દર્પણ રૂપને અનુવર્તે, તેમ જેનો જે સ્વભાવ હોય, સાધુ તેને અનુસરે.” शा शा br દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૨ નિયુક્તિ - ૧ (પ્ર.) ફરે. તેમ સાધુ પણ ઉપયોગીદેશ અને ઉપયોગીકાળમાં ચરે ટુંકમાં જે દેશમાં અને જે કાલમાં ચરવાથી-ફરવાથી વિચરવાથી સંયમાદિની પુષ્ટિ થાય, તે દેશ-કાલમાં સાધુ ચરે. (અથવા તો યુવાં શબ્દ ર્ ધાતુનું ક્રિયાવિશેષણ કરીએ તો આ પ્રમાણે અર્થ થાય કે જેમ ઉંદર તે તે દેશમાં, તે તે કાળમાં અત્યંતઉપયોગપૂર્વક ફરતો હોય છે. કદિપણ અનુપયોગવાળો, પ્રમાદી બનતો નથી. એમ સાધુ પણ તે તે દેશમાં, તે તે કાળમાં ઉપયોગપૂર્વક ચરે...) न ना સાધુએ આવાપ્રકારનાં બનવું જોઈએ. ना પ્રશ્ન : ૧૫૭મી ગાથામાં ભ્રમર, પવન વગેરે લીધા જ છે અને આ ગાથામાં પાછા ભ્રમર, પવન લીધા છે. તો આ તો પુનરુક્તિદોષ લાગે છે. ઉત્તર ઃ આ ગાથાની રચના બીજાએ કરેલી છે, શ્રી ભદ્રબાહુસ્વામીએ કરી નથી. * એટલે ભ્રમરાદિમાં પુનરુક્તિદોષ નથી (એક જ વ્યક્તિ બે વાર એકજ પ્રસંગ કહે તો * પુનરુક્તિદોષ લાગે, પણ બે જુદી જુદી વ્યક્તિઓ એકજ પ્રસંગ કહે તો તે પુનરુક્તિ દોષ * ન ગણવો.) साम्प्रतं 'तत्त्वभेदपर्यायैर्व्याख्ये 'ति न्यायाच्छ्रमणस्यैव पर्यायशब्दानभिधित्सुराह 可 E ૧૦ य
SR No.005764
Book TitleDashvaikalik Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy