SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ | વિનયવતીનું રૂપ ધારણ કરીને વ્યંતરીનું ધનદેવને ચળાવવું. [૧૭] - ~ “રાજા પણ તમારા ઉપર મોટા બાંધેલા પ્રતિબંધવાળા છે, તેથી જરા પણ વિકાર દેખાડ્યા વિના તે અવજ્ઞા કરવા યોગ્ય નથી.” આ પ્રમાણે તેણીએ તથા પ્રકારે કોઈ પણ રીતે દેવીને અકત્યથી પાછી વાળી. કે જે પ્રકારે તે આશા રહિત થઈને મોટી રાખી અવસ્થાને પામી. પછી રાજાએ તેને તેવા સવરૂપવાળી જેઈ, અને પ્રેમ સહિત કહ્યું કે-“હે દેવી! અત્યંત કરમાયેલા મુખકમળવાળી તું કેમ દેખાય છે? શું વ્યાધિના વશથી કે કેઈએ અપમાન કરવાથી તે દિવસે દિવસે કેમ સીઝાય છે (સુકાય છે)? તે તું કહે, કે જેથી તેને ઉચિત ઉપાય કરીએ.” ત્યારે હદયના દુઃખને ગુપ્ત રાખવામાં તત્પર તેણીએ કહ્યું કે-“હે દેવ! હું કાંઈ પણ જાણતી નથી. માત્ર શરીરને સીદાતું જોઉં છું.” ત્યારે રાજાએ તેના શરીરના પ્રતિકારને માટે ઘણા શાસ્ત્ર, મંત્ર અને તંત્રાદિકને જાણનાર અને રેગવિધિમાં કુશળ જનેને અણાવ્યા (બેલાવ્યા). ત્યારે રેગનું ઉથાન જુદું છે અને ઓષધ જુદું છે, તેથી પ્રતિકાર થયે નહિ અને વિશેષ દુઃખ ઉત્પન્ન થયું. તેથી વિલખા થઈને તેઓ પિતાપિતાને ઘેર ગયા. દુસહ કામદેવરૂપી અગ્નિવડે સર્વ અંગમાં બળતી તે રાજાની રાણી તેવી અસમાધિને પામી કે જેથી તરત મરણ પામી. પછી કામદેવના વ્યાધિથી વ્યાકુળ તે મારીને તિર્યગ્રજભકદેવની બાયોપણે ઉત્પન્ન થઈ. અને જલક દેવની સાથે વિષયસુખને ભગવતી તે રહેવા લાગી. એક વખત વિર્ભાગજ્ઞાનના વશથી પૂર્વ ભવના વિનાશને વ્યતિકર તેણીએ જા, તેથી પૂર્વના સ્નેહના અનુબંધથી ફરીને ધનદેવને વિષે અનુરાગ થયો. તેથી “મારે આની સાથે વિષયનો ઉપભોગ કેવી રીતે થાય?” એમ નિરંતર તે જ અર્થમાં ઉપયોગવાળી તે અવસરને શોધવા લાગી. પછી એક દિવસ તે જભકદેવ વૈશ્રમણ નામને યક્ષાધિપતિની પાસે સેવાને નિમિત્તે ગયે. ત્યારે “આ અવસર છે.” એમ જાણીને તે દેવી ધર્મદેવ પિતાના ઘરના એક એકાંત પ્રદેશમાં રાત્રિના પહેલા - પહેરે સાવધાન મનના પ્રસારવટે મોટા વિસ્તારથી જિનપ્રતિમાની પૂજા કરતા હતા, તે વખતે તેની ભાર્યા વિનયવતીનું રૂપ કરીને (વિકુવીને) તેના જેવા જ શૃંગારવડે સાર શરીરવાળી તે પુયંગવને લઈ જતી તેની પાસે આવી, અને વિકાર સહિત ધર્મદેવને કહેવા લાગી કે દેવના પદની પૂજાનું ફળ અવિકલ (નિરંતર) ભેગના અંગના સમૂહની સામગ્રી છે. તે સામગ્રી, હે આર્યપુત્ર! હમણું તમારા હસ્તના વિષયમાં જ અત્યંત આવી છે, તેથી તમે આ પ્રથમ એક ક્ષણવાર આપણે પરસ્પર ક્રીડાવડે રહીએ. કેમ વિલંબ કરે છે? તમે મુનિની જેમ નિર્વિકાર કેમ તમે વર્તે છે?” આ પ્રમાણે સાંભળીને અત્યંત વિસ્મય પામેલા ધનદેવે તેને કહ્યું કે “હે મુગ્ધા! શું તું આટલું પણ જાણતી નથી - ૧ પૂજાંગના સમૂહને.
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy