SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૯૦ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્રઃ પ્રસ્તાવઃ ૫ મો : દુસહ છે કે જે કહેવાને પણ પાર પામી શકાય એમ નથી. તે આ પ્રમાણે-સાધુને દાન આપવાને વિછેદ કરવાથી સુધા, તૃષા વિગેરે દુઃખેને અનુભવીને તે અનેક પ્રકારે મરણ પામે છે. જ્ઞાનદાનના અભાવવડે આણે પૂર્વે તેવું કાંઈક કર્મ કર્યું (બાંગ્યું) છે, કે જેથી આનું પણ જ્ઞાન અનેક પ્રકારે વિનાશપણને પામ્યું છે. પિતાના જીવિતના રક્ષણને માટે અત્યંત અનુકંપા રહિત(નિર્દયપણા)એ કરીને તેવું કાંઈક અયુક્ત કર્યું છે, કે જે સેંકડે દુઃખથી પલવિત થયું છે (વિકફવર થયું છે.) તું એક જ જાણે છે, કે આને શ્રુતજ્ઞાન પ્રાપ્ત થતું નથી, તેથી હે ભદ્ર! મેં તને આ બાકીનું સ્વરૂપ પણ કહ્યું.” આ પ્રમાણે તે સાધુએ ચિરકાળના સર્વ ભવને વૃત્તાંત લેશે ઉદ્દેશ વડે (સંક્ષેપવડે) કહ્યો ત્યારે જાતિસ્મરણને પામેલે તે બાળચંદ્ર મૂર્છાથી નેત્રને મીંચીને પૃથ્વીપીઠ ઉપર પડ્યો. ત્યારે પિતાએ ઉત્તરીય વના છેડાવડે નાંખેલા પવનથી તેના શરીરનું સમાધાસન (સાવધાનપણું) કરીને પૂછયું કે-“હે વત્સ! તને આ શું થયું?” ત્યારે તેણે ચિર કાળને સર્વ પૂર્વ વૃત્તાંત કહ્યો. ત્યારપછી તેવા પ્રકારના ચિર વૃત્તાંતનું મરણ થવાથી ભય પામેલ અને પિતાના દુશ્ચરિત્રના કટુક વિપાકનો ક્ષય કરવા માટે મનમાં મોટા સંવેગને પામેલે તે બાળચંદ્ર મુનિના ચરણકમળને પિતાના કપાલપૂછવડે સાફ કરતે બોલવા લાગે કે-“હે ભગવાન! મારા ઉપર પ્રસાદ(કૃપા ) કરીને આ પૂર્વે કરેલા દુકૃતને શુદ્ધ કરવામાં સમર્થ પ્રાયશ્ચિત્ત મને કહો.” ત્યારે સાધુએ કહ્યું કે “હે વત્સ! સમગ્ર દોષનો સંહાર( નાશ કરનારી, જિનેશ્વરે ઉપદેશ કરેલી અને યક્ત ક્રિયા વડે આચરણ કરેલી પ્રવજ્યાને જ પ્રાયશ્ચિત્તરૂપ સારી રીતે કહી છે. પાપરૂપી મોટા પંકને પ્રક્ષાલન કરવામાં સમર્થ અને મોક્ષસુખને પ્રાપ્ત કરવાના કારણરૂપ આનાથી બીજું કંઈ પણ અનુષ્ઠાન પ્રગટ નથી. જ્યાં સુધી પ્રબળ વાયુના વિલાસરૂપી જિનૅની દીક્ષા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી પાપરૂપી રેણુને પ્રસાર થાય છે અને ત્યાં સુધી જ દુષ્કૃતરૂપી વલ્લરી (વેલડી )પણ વિસ્તાર પામે છે.” આ પ્રમાણે તે શ્રેષ્ઠ મુનિએ કહ્યું ત્યારે બાળચંદે પિતાને ઘણી રીતે સમજાવીને તેની આજ્ઞા લઈને તે મુનિચંદ્ર સાધુની પાસે દીક્ષા ગ્રહણ કરી. અને સ્વાર્થ વિગેરે ધર્મકાર્યમાં પ્રવત્યો, તથા પૂર્વે કરેલા દેષથી વિપરીત ચણાને વિષે વિશેષ કરીને પ્રત્ય. એ પ્રમાણે પાંચ પ્રકારની 'અનુવર્તી નામાં તત્પર થયેલા તે મહાત્માએ સંયમને વિષે તેવા કોઈ પણ પ્રકારનો ઉદ્યમ કર્યો, કે જે પ્રકારે તેણે શરીરને પ્રયાસ ગણ્ય નહીં, કાળને વિભાગ વિચાર્યો નહીં, રેગાદિકના પ્રતિકારની ભાવના કરી નહીં, અને શીત તથા તાપનો અતિરેક જા નહીં. ઘણું શું કહેવું –બાલ અને શિખનારા વિગેરે સાધુઓને નિરંતર ભકત પાન આપવાવડે, જ્ઞાન ભણવામાં ઉદ્યમી થયેલાને અત્યંત ઉપષ્ટભ (ટેક-આશ્રય) કરવાવડે અને પિતાના ૧ ગ્લાનાદિકને ઉપચાર કરવામાં
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy