SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્પેટિકને થયેલ વિજયચંદ્ર રાજાને મેળાપ. [ ૩૬૩ ] છે?” આ પ્રમાણે રાજા વિચારે છે, તે વખતે ઊંટ ઉપર ચડેલો અને મેટા વેગવાળો એક રાજપુરુષ ત્યાં આવ્યું, અને કહેવા લાગે કે“હે દેવ! તમારા મોટા કાળના વિલંબના વિચારવડે વ્યાકુળ થયેલા મંત્રીમંડળે મને મોકલે છે, તેથી દેવ (તમે) પ્રસાદ કરીને અહીંથી પાછા ફરો.” ત્યારે તે કાર્પેટિક પુરુષને પિતાના અશ્વ ઉપર બેસાડીને તે રાજા પિતાના નગરમાં ગયે. ત્યાં પિતાની સાથે નાન, ભજન, શયન અને તંબોલ(પાન)નું દાન વિગેરે ઉપચારવડે તથા મોટા મૂલ્યવાળા દેગુa (રેશમી વસ્ત્ર) અને મણિના અલંકાર આપવા વડે તેનું સન્માન કર્યું. તે વખતે અસદશ પ્રતિપત્તિના વિશેષને જોઈને કાટિક વિચારવા લાગે કે –“ (મારામાં) દાક્ષિણ્યને અભાવ છતાં પણ, વિયેગના પ્રતીકાર( ઉપાય)ને વિરહ(અભાવ) છતાં પણ, ઉપકારને અભાવ છતાં પણ અને ચિરકાળની રૂઢિને નાશ થયા છતાં પણ આ રાજા બંધુની જેમ, પરમ મિત્રની જેમ, સ્નેહી વજનની જેમ અને પરમ ઉપકારીની જેમ મને આ પ્રમાણે બહુમાન કેમ આપે છે? તેથી “હે રાજા ! તમે મારે ઉપકાર કેમ કરે છે?” એમ શું હું તેને પૂછું ? અથવા એવું પૂછનારને ગામડીયાપણું ઉત્પન્ન થાય છે. એવો કોઈ પણ સમય આવશે, કે જે વખતે આને પણ હું જાણીશ, પરંતુ મોટા જનની પાસે જેમ તેમ બોલવું યોગ્ય નથી. ” આ પ્રમાણે વિચારીને તે મૌન રહ્યો. એ રીતે કેટલાક દિવસો ગયા તે પણ કાર્યને મધ્યને (તત્વાર્થને) નહીં જાણનાર તે રહેવાને અસમર્થ થવાથી એક દિવસ રાજાને કહેવા લાગે કે-“હે દેવ! તમારું વત્સલપણું હજાર મુખવડે પણ વર્ણન કરી શકાય તેવું નથી, તમારા રૂપને અતિશય લાખ લેાચનવડે પણ જોઈ શકાય તેવું નથી, તથા તમારા ગુણની સંપદા પણ ઇંદ્રવડે પણ પ્રકાશ કરી શકાય તેવી નથી, તો પછી મારી જેવો જડ પ્રકૃતિવાળો પુરુષ તમારા સ્વરૂપને કેમ પ્રગટ કરી • શકે? મોટા પુણ્યના સમૂહવડે જેનું દર્શન પામી શકાય તેવા પ્રકારના તમને જોઈને નેત્રના નિર્માણના ફળને પામેલે હું થયે છું. હવે હે દેવ! જે તમે મને અનુમતિ આપે, તે હું વિજયચંદ્ર રાજાના દર્શન માટે જાઉં, કેમકે તેણે તે વખતે મને વારંવાર પ્રાર્થના કરી હતી, કે-“ જ્યારે તમે મને અદ્ધિને પામેલો સાંભળો ત્યારે સર્વથા પ્રકારે તમે મને મળજે.” તે સાંભળીને કાંઈક હાસ્યના વશથી ફરકતા એણપુટવાળા રાજાએ કહ્યું કે-“હે મહાભાગ્યશાલી! તે જ હું વિજયચંદ્ર તમારા પ્રભાવથી આવી સંપદાને પામેલ છું.” કાપટિકે કહ્યું-“હે મહારાજા! રેગવડે શરીર ક્ષીણ થવાથી તે કાળની તમારા શરીરની સ્થિતિને વિચારતે હું હમણું અતુલ્ય રૂપલક્ષમીને જેવાથી મૂઢ થયે છું. જો કે મંગળની આવલિને વિષે લેકે તમને વિજયચંદ્ર રાજાના નામે ગાય છે અને તે હું સાંભળું છું, તે પણ સરખા નામવાળા ઘણુ રાજાઓ પૃથ્વી ઉપર હોય છે, એમ શંકા થવાથી મને તમારો નિશ્ચય થયે નહીં. તેથી કરીને તમે આવા પ્રકારની રાજ્યલક્ષમીના વિસ્તારને જે પામ્યા છે, તે બહુ સારું થયું. તથા વળી–અખંડ મંડળની કાંતિવાળું ચંદ્રબિંબ અને
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy