SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ગોષ્ઠામાહિલના મતનું નિરાકરણ (ભા. ૧૪૪) ૧૯૯ यदि यावच्छक्तिरस्ति, एवं सति शक्तिमितकालावध्यु (ध्यभ्युपगमादस्मन्मतानुवाद एव, आशंसादोषोऽपि काल्पनिकस्तुल्यः, अनागताद्धापक्षेऽपि भवान्तरेऽवश्यंभावी व्रतभङ्गः, अपरिच्छेदपक्षेऽपि कालानियमात् व्रतभङ्गादयो दोषा इति । एवं आयरिएहिं भणिए न पडिवज्जइ, ततो जेऽवि अण्णगच्छेल्लया थेरा बहुस्सुया ते पुच्छिया भांति - एत्तियं चेव, ततो सो भणति - तुभे किं जाणह ?, तित्थगरेहिं एत्तियं भणियं जहाऽहं भणामि, ते भांति - तुमं न याणसि, 5 मा तित्थगरे आसाएहि, जाहे न ठाइ ताहे संघसमवाओ कओ, ततो सव्वसंघेण देवयाए काउस्सग्गो બધો કાળ (૩) કે અપરિચ્છેદ = અનિયમ. (૧) તેમાં પ્રથમપક્ષમાં એમ કહેશો કે— જ્યાં સુધી શક્તિ હોય ત્યાં સુધીનું પચ્ચક્ખાણ એ અપરિમાણપ્રત્યાખ્યાન કહેવાય. આ રીતે માનતા તો શક્તિ હોય ત્યાં સુધીની કાળમર્યાદા જ થવાથી અમારા મતનો જ તમે અનુવાદ કર્યો કહેવાય. (અર્થાત્ અમે જે માન્યું છે તે જ તમે માનો છો.) તથા તમારાવડે કલ્પાયેલ આશંસાદોષ પણ તમારી 10 કરેલી વ્યાખ્યામાં રહેવાનો જ છે. (કારણ કે તમે પણ શક્તિ હોય ત્યાં સુધીની કાળમર્યાદા માની છે.) (૨) હવે જો એમ કહો કે— ભવિષ્યનો બધો જ કાળ અપરિમાણ કહેવાય અર્થાત્ મર્યાદા વિનાનું પચ્ચક્ખાણ ક૨વું એટલે ભવિષ્યમાં કાયમ માટે પચ્ચક્ખાણનું પાલન કરવું. એવું માનતા મૃત્યુ બાદ ભવાન્તરમાં વ્રતનો ભંગ અવશ્ય થવાનો જ (કારણ કે ભવાન્તરમાં ગયા પછી પણ 15 પચ્ચક્ખાણ ચાલુ જ છે અને તેનું તો પાલન થઈ શકતું નથી.) તથા (૩) અપરિચ્છેદપક્ષમાં પણ કાળનો નિયમ ન હોવાથી વ્રતભંગાદિ દોષો લાગે છે. (અહીં આદિ શબ્દથી બીજા દોષો આ પ્રમાણે જાણવા કે કાળનો નિયમ ન હોવાથી કાં'તો વ્યક્તિ પચ્ચક્ખાણ લીધા બાદ ઘડી-બેવડી પછી પચ્ચક્ખાણ પારે અથવા ભવિષ્યનો સંપૂર્ણકાળ પચ્ચક્ખાણનું પાલન કરે. હવે જો ભવિષ્યકાળ સંપૂર્ણ લેવાનો હોય તો મુક્તાત્માને પણ સંયમી 20 માનવા પડે કારણ કે તેઓ પણ સર્વ અનાગતકાળ સંવરધારી છે, પરંતુ મુક્તાત્માને સંયમી કહેવાય નહીં કારણ કે તે આગમવિરુદ્ધ છે— આગમમાં સિદ્ધોને સંયમી કહ્યા નથી.) આ રીતે આચાર્યવડે સમજાવવા છતાં જ્યારે સમજતો નથી ત્યારે જે અન્યગચ્છીય બહુશ્રુત સ્થવિરો હતા તેમને પૂછતાં તેઓએ કહ્યું કે, “આચાર્ય જે કહે છે તે સત્ય છે. ત્યારે ગોઠામાહિલ કહે છે કે, “તમે શું જાણો ? જે હું કહું છું તે જ તીર્થંકરોએ કહ્યું છે.” તે સ્થવિરોએ કહ્યું, 25 “તું બરાબર જાતો નથી, તીર્થંકરોની તું આશાતના કર નહીં.” છતાં જ્યારે સમજતો નથી ત્યારે સંઘને ભેગો કર્યો. સર્વ સંઘે દેવતાનો કાયોત્સર્ગ કર્યો. જે ભદ્રિકા (=સંઘ ઉપર બહુમાન ધારણ કરનારી) દેવી હતી તે આવેલી કહે છે કે “આજ્ઞા આપો મારું શું કામ પડ્યું ?” ત્યારે ३१. एवमाचार्यैर्भणिते न प्रतिपद्यते, ततो येऽपि अन्यगच्छीयाः स्थविरा बहुश्रुतास्ते पृष्टा भणन्तिતાવàવ, તત: સ મળતિ–પૂર્વ હ્રિ જ્ઞાનીથ, તીર્થરતાવતિ યથારૢ મળમિ, તે મળત્તિ—ત્ત્વ 30 न जानासि, मा तीर्थकरान् आशातय, यदा न तिष्ठति तदा सङ्घसमवायः कृतः, ततः सर्वसङ्खेन देवतायाः कायोत्सर्गः
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy