SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ આરણ, અશ્રુત કલ્પમાં દેવોનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ ઉવવાય વિરહ કહ્યો. અધસ્તન, રૈવેયકોના સંબંધમાં જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાત ૧૦૦ વર્ષ ઉવવાય વિરહ કહ્યો. મધ્યમ રૈવેયકોના સંબંધમાં જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષ ઉવવાય વિરહ કહ્યો. ઉપરિતન શૈવેયકોના સંબંધમાં જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાત લાખ વર્ષ ઉજવાય વિરહ કહ્યો ચાર પ્રથમના અનુત્તર વિમાનના દેવોનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ વિવાય વિરહ કહ્યો. સર્વાર્થસિદ્ધના દેવોમાં જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ પલ્યનો સંખ્યાતમો ભાગ ઉવવાય વિરહ કહ્યો. સિદ્ધ જીવોની સિદ્ધિનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૬ માસ સુધી ઉવવાય વિરહ કહ્યો. ઉત્પાત વિરહ એટલે કોઈપણ જીવ ઉત્પન્ન ન થાય તો ૧૨ મુહૂર્ત સુધી ઉત્પન્ન થતા નથી. અને ઉદ્વર્તન એટલે કોઈપણ જીવ નરકગતિથી ન નીકળે તો ૧૨ મુહૂર્ત સુધી ન નીકળે. આ કથન સામાન્ય દષ્ટિએ કહેલ છે. - પૃથ્વીકાયિક આદિ યાવત્ વનસ્પતિકાયિકોના ઉપપાત અવિરહિત છે અર્થાત્ તેઓ પ્રતિસમય ઉત્પન્ન થયા કરે છે. એવો એક પણ સમય નથી કે પૃથ્વીકાયિકો આદિનો વિવાય ન થતો હોય. - રત્નપ્રભાઆદિ પૃથ્વીનો ઉદ્વર્તનનો જઘન્ય ૧ સમયને ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્ત છે. સિદ્ધોને છોડીને પાંચ અનુત્તર વિમાનો સુધી ઉવર્તનાના વિરહનો સમય આજ કહેવો જોઈએ. પરંતુ જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોના “ઉદ્વર્તના” શબ્દના બદલે “અવન” શબ્દનો પ્રયોગ કરવો જોઈએ કેમકે બંને જાતિના દેવોની ઉદ્વર્તના થતી નથી. પણ ૩૫
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy