SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશતક हृदि स्वस्था वृत्तिः श्रुतमधिगतं च श्रवणयोविनाप्यैश्वर्येण प्रकृतिमहतां मण्डनमिदम् ॥५३॥ સત્પાત્રને દાન આપવું એ હાથનું વખાણવા લાયક ઘરેણું છે, ગુરુના ચરણે પર નમકાર કરવા એ મસ્તકનું ઘરેણું છે, સત્ય બોલવું એ મુખનું ઘરેણું છે, જય મેળવે તેવું અતુલનીય વીર્ય એ ભુજેને અલંકાર છે, સ્વચ્છ વર્તણૂ ક એ હદયનું ઘરેણું છે અને શાસ્ત્રશ્રવણુથી ઈશ્વરનું જ્ઞાન થવું એ કણેનું ઘરેણું છે. લૌકિક ઐશ્વર્યા વિનાના હોવા છતાં જેઓ સ્વભાવથી જ મહાત્માઓ છે, તેમના ઉપર કહેલાં ઘરેણું છે. ૫૩ કલ્યાણને માગ પ્રાણુની હિંસા વગેરે ન કરવી, એ જ કલ્યાણને માર્ગ છે. स्रग्धरावृत्त प्राणाघातानिवृत्तिः परधनहरणे संयमः सत्यवाक्यं काले शक्त्याप्रदानं युवतिजनकथामूकभावःपरेषाम्। तृष्णास्रोतोविभङ्गो गुरुषुच विनयः सर्वभूतानुकम्पा सामान्यःसवशाख्नेष्वनुपहतविधिःश्रेयसामेष पन्थाः॥५४॥ પ્રાણુના નાશથી નિવૃત્તિ થવી, પરાયાં ધન હરવામાં ચિત્તને નિયમમાં રાખવું, સત્ય બોલવું, સમય પ્રમાણે યથાશક્તિ દાન આપવું, પરસ્ત્રીની કથાઓમાં મંગું રહેવું, આશાને વધવા ન દેવી, ગુરુઓ પાસે વિનય રાખે અને સર્વ પ્રાણીઓ ઉપર દયા રાખવી, એ પ્રમાણે સર્વ શામાં નિષેધ ન કરાયો અને સર્વ લોકોને સાધારણ એવે આ કલ્યાણને માર્ગ છે. ૫૪ મહાપુરુષનું ચિત્ત - સંપત્તિ અને વિપત્તિ વખતની મહાત્માઓના મનની સ્થિતિ, આવી હોય છે.
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy