SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આરાધના સૂત્ર ૩૧ એદનાદિ ભક્તનું ભજન તથા વિરાદિ જળનું પાન કરે છે તે મુનિઓ-સાધુઓ મને શરણભૂત ( દુર્ગતિગમન નિવારણના કારણભૂત) થાઓ. ૩૯. અહીં બેંતાળીશ દેષ ૧૬ ઉદગમ દેશ, ૧૬ ઉત્પાદના દોષ ને ૧૦ એષણા દેષ મળીને સમજવા. (આ દે અહીં ગ્રંથ વધી જવાના કારણથી વિસ્તારથી લખ્યા નથી.) જે મુનિઓ સ્પર્શનાદિ પાંચ ઇન્દ્રિયોના દમનમાં–તે તે ઇદ્રિના વિષયના ત્યાગમાં તત્પર હોય, કંદર્પ જે કામદેવ તેના દર્પ પ્રધાન જે. સ્ત્રી દષ્ટિપ્રમુખ બાણે તેના પ્રસારને-વિસ્તારને જીતનારા-રોકનારા હોય તથા જે બ્રહ્મચર્યરૂપ થા મહાવ્રતને પાળનારા હેય તે મુનિએ મને શરણભૂત છે. ૪૦: જે ઈર્યાદિ પાંચ સમિતિએ સમિત-સમ્યક પ્રકારની તેની પ્રવૃત્તિમાં નિપુણ, પાંચ મહાવ્રતના પ્રતિપાલનરૂપ જે ભાર તેને વહન કરવામાં વૃષભની જેવા વૃષભ અર્થાત્ સમર્થ અને પાંચમી ગતિ જે મેક્ષ નામની તેની અનુકૂળતામાં રક્ત તેને પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં તત્પર એવા જે મુનિઓ તે મને શરણભૂત છે. ૪૧. જે મુનિએ શ્યાદિ સમસ્તના પરિચય રૂપ જે સંગ તેને તજનારા, મણિ અને તૃણ તેમ જ શત્રુ ને મિત્ર તેમાં સમભાવવાળા અભિવૃંગાદિના અભાવવાળા અને ધીર–અવિચળ પ્રતિજ્ઞાવાળા થઈને મોક્ષમાર્ગના સાધનારા છે તે મુનિઓ મને શરણભૂત છે. ૪૨. चतुर्थ शरणमाहહવે ચોથા ધર્મના શરણ માટે ચાર ગાથા કહે છે– जो केवलनाणदिवायरोहितित्थंकरोहि पन्नत्तो। सबजगजीवहिओ, सो धम्मोहोउमह सरणं॥४३॥
SR No.005742
Book TitleParyant Aradhana Sutra
Original Sutra AuthorN/A
AuthorSomchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1996
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anykaalin
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy