SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ કવલાહાર કરતા હોય તો તેઓશ્રીને સુધા-વેદનીયનો ઉદય અવશ્ય માનવો પડશે અને તેથી તેઓશ્રીમાં અનંતસુખત્વનો વિરોધ આવશે. તેથી એ વિરોધને દૂર કરવા શ્રી કેવલજ્ઞાનીને કવલાહાર માનવામાં આવતો નથી-આ પ્રમાણે દિગંબરોનું કહેવું છે. આ પ્રથમ શ્લોકમાં કેવલીપરમાત્માના ક્વલાહારના અભાવમાં ચાર હેતુ વર્ણવ્યા છે, જેનું નિરાકરણ હવે પછીના શ્લોકોથી કરવામાં આવશે. ૩૦-૧ _ _ બીજા હેતુઓ જણાવાય છેदग्धरज्जुसमत्वाच्च, वेदनीयस्य कर्मणः । ક્ષો દ્વવતા રેતિયો સુહુયોઃ રૂ૦-રા “વેદનીયકર્મ બળી ગયેલા દોરડા જેવું હોવાથી અને શરીરસંબંધી સુખ-દુ:ખ ઈન્દ્રિયોને આધીન હોવાથી (કેવલજ્ઞાની કવલાહાર કરતા નથી)”-આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. આ શ્લોકમાં શ્રી કેવલીમહાત્માના કવલાહારના અભાવને સિદ્ધ કરવા માટે બે હેતુઓ આપ્યા છે. આશય એ છે કે “શ્રી કેવલીભગવંતોનાં ઘાતી કર્મોનો ક્ષય થયો છે. પરંતુ નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય કર્મ: આ ચાર અઘાતી કર્મોનો ક્ષય થયો ન હોવાથી છવસ્થ-અવસ્થાની જેમ વેદનીયકર્મના ઉદયથી સુધાવેદના 当当当当当当当当当 RTIFIFFFFFF #F
SR No.005727
Book TitleKevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy