SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાપ્નાકમજી तथा सर्वगतत्वमपि तस्य नोपपन्नम् । तद्धि शरीरात्मना ज्ञानात्मना वा स्यात् ? प्रथमपक्षे तदीयेनैव देहेन । जगत्त्रयस्य व्याप्तत्वाद् इतरनिर्मेयपदार्थानामाश्रयानवकाशः। द्वितीयपक्षे तु सिद्धसाध्यता, अस्माभिरपि । निरतिशयज्ञानात्मना परमपुरूषस्य जगत्त्रयक्रोडीकरणाभ्युपगमात् । यदि परमेवं भवत्प्रमाणीकृतेन वेदेन विरोधः, तत्र हि शरीरात्मना सर्वगतत्वमुक्तम् “विश्वतश्चक्षुरुत विश्वतो मुखो विश्वतः पाणिरुत विश्वतःपात्" इत्यादिश्रुतेः। यच्चोक्तं तस्य प्रतिनियतदेशवर्तित्वे त्रिभुवनगतपदार्थानामनियतदेशवृत्तीनां यथावन्निर्माणानुपपत्तिरिति । तत्रेदं । पृच्छ्यते। स जगत्त्रयं निर्मिमाणरतक्षादिवत् साक्षाद् देहव्यापारेण निर्मिमीते, यदि वा सङ्कल्पमात्रेण? आये पक्षे एकस्यैव भूभूधरादेविधानेऽक्षोदीयसः कालक्षेपस्य सम्भवाद् बंहीयसापि अनेहसा न परिसमाप्तिः। द्वितीयपक्षे तु सङ्कल्पमात्रेणैव कार्यकल्पनायां नियतदेशस्थायित्वेऽपि न किञ्चिद् दूषणमुत्पश्यामः। नियतदेशस्थायिनां सामान्यदेवानामपि सङ्कल्पमात्रेणैव तत्तत्कार्यसम्पादनप्रतिपत्तेः। કે () જ્ઞાન-ઇચ્છા અને કૃતિ હોવાથી કે (૪)આ ત્રણપૂર્વકની ચેષ્ટા પ્રવૃત્તિ લેવાથી કે (૫) ઐશ્વર્યથી ? (૧)સત્તામાત્રથી જો જગત્કર્તા થવાનું , તો કુંભાર પણ જગત્કર્તા બનશે. (૨)વિશિષ્ટજ્ઞાન માત્રથી કર્તા બનાતું હોય, તો વિશિષ્ટજ્ઞાની યોગીઓને પણ કર્તા માનવા જોઈએ. ત્રીજા વિકલ્પની અસિદ્ધિ ઉપર બતાવી ગયા. અશરીરમાં જ્ઞાન આદિ ત્રણની ઉત્પત્તિ સંભવતી નથી. (૪)શરીર વિનાની વ્યક્તિ ચેષ્ટા શી રીતે કરે ? કેમકે ચેષ્ટા = મન-વચન-કાયાનો વ્યાપાર. અને તે કાયા વિના સંભવે નહિ. (૫)અહીં કયુ એશ્વર્યલેવું છે? –કર્તુત્વરૂપ કે જ્ઞાતૃત્વરૂપ? કર્તુત્વરૂપ ઐશ્વર્ય તો કુંભાર આદિમાં પણ સિદ્ધ છે, અને પૃથ્વી વગેરેના કરૂપ વિશિષ્ટ કવરૂપ હજી અસિદ્ધ છે. જ્ઞાતૃત્વરૂપ ઐશ્વર્ય લેવામાં જ્ઞાતૃત બે પ્રકારે છે– (૧) સામાન્યજ્ઞાનરૂપ કે (૨) સર્વજ્ઞતારૂ૫. સામાન્યજ્ઞાન તો આપણામાં પણ હોવાથી તેવા જ્ઞાતૃત્વરૂપે ઐશ્વર્યથી કર્તા માનવામાં આપણે પણ જગકર્તા બની જઇએ. સર્વજ્ઞતારૂ૫ ઐશ્વર્ય તો સગત વગેરેમાં પણ કહેવાય છે, છતાં તેઓ જગત્કર્તા ગણાતા નથી. અથવા તો જ્ઞાતૃત્વરૂપ જ જો કર્તવ ઈષ્ટ હોય તો તેમાં અમારો વિરોધ નથી. પણ તે રૂપે તો જગત્કર્તા અમને માન્ય તીર્થંકરો અને કેવલજ્ઞાનીઓ તથા મુક્તજીવો બનશે. તેથી જગત્કર્તા એક નહિ રહે.) પૂર્વપક્ષીય અનુમાન હેતુમાં બધા હેત્વાભાસો પૂર્વપક્ષના અનુમાનના હેતુમાં પૂર્વપક્ષે જે-જે દોષોનો નિષેધ કર્યો તે તમામ દોષો હેતમાં રહેલા બતાવાય છે. -પૂર્વપક્ષે પૃથ્વી વગેરેમાં કાર્યતા અવયવિપણાથી દર્શાવી. પણ અવયવિપણાને કાર્યત્વ સાથે અનેકાંતિકતા છે તે અગાઉ બતાવી ગયા. તેથી અવયવિપણાથી કાર્યત્વ હેતુ સિદ્ધ થતો નથી. તપૈવ, “પૃથ્વી વગેરે વસ્તુઓ કારણકલાપજન્ય છે એ વિકલ્પથી પણ તેમાં કાર્યતા સિદ્ધ નથી. કેમકે “કારણકલાપજન્ય’ કહો કે “કાર્યત્વ' કહે બન્ને એક જ છે. અર્થાત કારણકલાપજન્યત્વ પોતે કાર્યત્વરૂપ લેવાથી અહીં સ્વથી રૂની સિદ્ધિ કરવામાં આત્માશ્રય દોષ છે. તેથી તેનાથી પણ કાર્યવહેતુ સિદ્ધ નથી. વળી ઘટ પટ આદિ કાર્યોનાં કર્તા કાર્યમાં કંઇક વિશેષનું આધાન કરે છે તેથી જ તેમાં કાર્યપણાની બુદ્ધિ અને વ્યવહાર થાય છે. પૃથ્વી વગેરેમાં કર્તાએ | કઈક વિશેષ કર્ય એવી બદ્ધિ કે વ્યવહાર થતો દેખાતો જ નથી. તેથી પૃથ્વીવગેરેમાં કાર્યવત અસિદ્ધ છે. વળી અગાઉ સાધારણ અનેકાંતિકતા દોષ દેખાડવા દ્વારા આ હેતમાં અનેકાંતિકતા દોષ બતાવ્યા છે. વળી કાર્ય હેતુ પોતાના ગાઢ સહચારી અસર્વજ્ઞત્વ અને સશરીરકર્તકત્વ ધર્મોથી યુકત કર્તાનું જ જ્ઞાન કરાવવા સમર્થ બને છે. તમને કર્તા તરીકે (સાધ્ય તરીકે સર્વજ્ઞ ઈષ્ટ છે. આમ સાધ્ય વિરૂદ્ધ અસર્વજ્ઞ કર્તાને સિદ્ધ કરવા દ્વારા હેતુ વિરૂદ્ધ પણ છે.) વળી તમારા હેતમાં કાલાયઅપદિષ્ટ દોષ પણ હાજર છે. પૃથ્વી વગેરે કાર્યધર્મીઓના એક ભાગરૂપ વૃક્ષ, વિધુતવગેરે ધર્મીઓ (પક્ષ)અત્યારના પણ ઉત્પન્ન થતા દેખાય છે. (કાર્યરૂપ છે.)પણ તેઓના વિધાતા તરીકે શું કોઈ સાક્ષાત દેખાતું નથી. એટલે કે ત્યાં બુદ્ધિમત્કર્તકત્વરૂપ સાધ્યને પ્રત્યક્ષબાધ છે. તેથી વૃક્ષ વગેરે $ ધર્મીપક્ષમાં બુદ્ધિમત્કકત્વ સાધ્ય પ્રત્યક્ષબાધિત છે. આ પ્રમાણે ત્યાં સાધ્ય પ્રત્યક્ષબાધિત થયા પછી તે ધ સાધ્યને સિદ્ધ કરવા હેતુ બતાવ્યાં હેવાથી હેતુ કાલાત્યયઅપદિષ્ટ (બાલદોષગ્રસ્ત)છે. (જે પક્ષમાં સાધાભાવ MAA १. शुक्लयजुर्वेदमाध्यन्दिन संहितायां सप्तदशाध्याये १९ मन्त्रे । કાવ્ય - ૬. HEALTH '
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy