SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ : {{k ર દાદા સ્થાકુટમેજી દાદરદી *:::::: लौकिकानामपि 'घटाकाशं' 'पटाकाशम्' इति व्यवहारप्रसिद्धराकाशस्य नित्यानित्यत्वम् । घटाकाशमपि हि यदा घटापगमे पटेनाक्रान्तं तदा ‘पटाकाशम्' इति व्यवहारः । न चायमौपचारिकत्वादप्रमाणमेव, उपचारस्यापि किञ्चित्साधर्म्यद्वारेण मुख्यार्थस्पर्शित्वात् । नभसो हि यत्किल सर्वव्यापकत्वं मुख्यं परिमाणं तत् तदाधेयघटपटादिसम्बन्धिनियतपरिमाणवशात् कल्पितभेदं सत् प्रतिनियतदेशव्यापितया व्यवह्रियमाणं | घटाकाशपटाकाशादितत्तद्व्यपदेशनिबन्धनं भवति । तत्तद्घटादिसम्बन्धे च व्यापकत्वेनावस्थितस्य व्योम्नोऽवस्थान्तरापत्तिः । । ततश्चावस्थाभेदेऽवस्थाभेदवतोऽपि भेदस्तासां ततोऽविष्वाभावात् । इति सिद्धं नित्यानित्यत्वं व्योमः ॥ પરદર્શિત નિત્યતાના લક્ષણની અસંગતતા આમ દરેક વસ્તુ નિત્યનિય હેવાથી “જે વસ્તુ નાશ અને ઉત્પત્તિ વિનાની તથા હંમેશા સ્થિર એક રૂપ (એક સ્વભાવવાળી)ોય તે વસ્તુ નિત્ય” એવું બીજાઓએ કરેલું નિત્યતાનું લક્ષણ પોકળ સાબિત થાય છે. કેમ કે જગતમાં આવા પ્રકારની કોઈ વસ્તુ દેખાતી નથી. નિત્યતાનું સાચું લક્ષણ શંકા:- નિત્યતાનું સાચું લક્ષણ કર્યું? સમાધાન :- પોતાના ભાવ ( સ્વભાવ)માંથી વ્યય ન પામે તે નિત્ય.” (તત્વાર્થ ૫/૩૮)નિત્યતાનું આ છું જ સાચું લક્ષણ છે, કેમ કે આ વાકયનો અર્થ એ છે કે “પર્યાયોના પ્રવાહમાં પોતાના અન્વયીરૂપમાંથી ભ્રષ્ટ ન થવું તે જ નિત્યપણું છે.” અર્થાત અનંતા પર્યાયોની ઉત્પત્તિ અને વિનાશ થઈ જવા છતાં પુગલ આદિ દ્રવ્યો (૧) પોતાનું સત (વિદ્યમાનીપણું છોડી ખપુષ્પ આદિની જેમ અસત ન થવું. (૨) દ્રવ્યપણું છોડી ગુણ આદિરૂપે ફેરવાઈ ન જવું અને (૩) પોતાનાં “પુલત્વ' વગેરે સ્વરૂપને છોડી ક્યારેય “આત્મત્વ વગેરે સ્વરૂપ ન પામવું. આ જ પુદ્ગલ વગેરે દ્રવ્યોની નિત્યતા છે. આમ પગલાદિ દ્રવ્યોમાં ઉત્પાદ અને વિનાશ હોવા છતાં અન્વયિદ્રવ્યરૂપે તેઓ અચળ રહેતા હેવાથી તેઓ નિત્ય છે તેમ કહેવામાં દોષ નથી. તમામ વસ્તુઓ આ રૂપે જ નિત્ય છે. તેથી જ તમામ વસ્તુઓ નિત્યાનિત્ય છે. ફૂટસ્થનિત્યમાં ઉત્પાદ વિનાશનો અસંભવ વસ્તુને અવિનાશ આદિલક્ષણવાળી કૂટસ્થનિત્ય માનવામાં આવે તો બિચારા ઉત્પાદ અને વિનાશ પર્યાયો છે નિરાધાર બની જાય. ૧.બીજાઓ આવા લક્ષણવાળી વસ્તુને કૂટસ્થનિત્ય કહે છે. જે ઉત્પત્તિ અને વિનાશશીલ પર્યાયોથી યુક્ત શ્રેય તે જ વસ્તુ છે.” એવો નિયમ છે. કેમ કે વસ્તુના સ્વભાવની સાથે આ ઉત્પત્તિ અને વિનાશને સીધો સંબંધ છે. વસ્તુ જે સ્વભાવને ભજે છે છે તે વખતે તેવો પર્યાય ઉત્પન્ન થાય છે અને પૂર્વના સ્વભાવની સાથે પૂર્વનો પર્યાય દૂર થાય છે. ફૂટસ્થનિત્ય હંમેશા એક જ સ્વભાવવાળો ઈટ છે. તેથી તેમાં પર્યાયોની પરંપરા ઘટી શકે નહિ. શંકા :- એક જ સ્વભાવી વસ્તુમાં પ્રત્યેક ક્ષણે. પર્યાયો બદલાતા રહે તેમ માનવામાં શો વાંધો છે? સમાધાન :- પર્યાયો સ્વભાવને પરાધીન છે. સ્વભાવને અનુરૂપ જ પર્યાયો ઉત્પન્ન થઈ શકે. રેતીમાં ઘટ પર્યાયનો સ્વભાવ નથી તો તેમાંથી ઘટ પર્યાય ઉત્પન્ન થઈ શકતો નથી. તેથી એક જ સ્વભાવી વસ્તુમાં પ્રત્યક્ષ સિદ્ધ પ્રત્યેક પળે નવા-નવા પર્યાયો | ઉત્પન્ન થઈ શકે જ નહિ. તેથી વસ્તુને એક સ્વભાવવાળી ન માનતા અનેક સ્વભાવવાળી જ માનવી પડે. વળી આ સ્વભાવો એકી સાથે પ્રગટ થાય કે ક્રમિક પ્રગટ થાય તેવો નિયમ નથી. કેટલાક સ્વભાવો એકી સાથે પ્રગટ થાય છે તો કેટલાક ક્રમશઃ. અને તેને અનુરૂપ કેટલાક પર્યાયો એક સાથે ઉત્પન્ન થાય છે. તો કેટલા કમશ:. અને તેને સ્વભાવ અને પર્યાયને અનુરૂપ વસ્તુ ૪૩ પણ થંચિત ઉત્પત્તિશીલ અને વિનાશશીલ છે જ. આમ સર્વ વસ્તમાં ઉત્પાદ અને વિનાશ ધર્મો રહેલા હોવાથી તથા નિત્ય શ8 વસ્ત પણ અનંતસ્વભાવ, અનંતધર્મ અને અનંતપર્યાયવાળી લેવાથી વસ્તુની નિત્યતાનું બીજાઓએ કરેલું લક્ષણ નકામું છે. જ. ::::::::::::::; કાવ્ય - ૫
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy