SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ~~~ યાતાઠમંજરી જ नन्वन्याभिधानप्रत्यययोग्यं द्रव्यम्, अन्याभिधानप्रत्ययविषयाश्च पर्यायाः । तत्कथमेकमेव वस्तूभयात्मकम् ? इत्याशङ्क्य विशेषणद्वारेण परिहरति आदेशभेदेत्यादि । आदेशभेदेन सकलादेशविकलादेशलक्षणेन आदेशद्वयेन | उदिताः=प्रतिपादिताः सप्तसंख्या भङ्गाः=वचनप्रकारा यस्मिन् वस्तुनि तत्तथा । ननु यदि भगवता=त्रिभुवनबन्धुना निर्विशेषतया सर्वेभ्य एवंविधं वस्तुतत्त्वमुपदर्शितम्, तर्हि किमर्थं तीर्थान्तरीयाः तत्र विप्रतिपद्यन्ते ? इत्याह 'बुधरू – पवेद्यम्' इति । बुध्यन्ते यथावस्थितं वस्तुतत्त्वं सारेतरविषयविभागविचारणया इति बुधाः । प्रकृष्टाः बुधाः बुधरू - पाः, नैसर्गिकाधिगमिकान्यतरसम्यग्दर्शनविशदीकृतज्ञानशालिनः प्राणिनः । तैरव वेदितुं शक्यं वेद्यं = परिच्छेद्यम्, न पुनः स्वस्वशास्त्रतत्त्वाभ्यासपरिपाकशाणानिशातबुद्धिभिरप्यन्यैः, तेषामनादिमिथ्यादर्शनवासनादूषितमतितया | यथावस्थितवस्तुतत्त्वानवबोधेन बुधस्पत्वाभावातू । तथा चागमः- “सदसदविसेसणाउ भवहेउजहिट्ठिओवलंभाउ । णाणफलाभावाउ मिच्छादिठ्ठिस्स अण्णाणं" ॥ પ્રાપ્ત થયેલું) કે અધિગમજ (==ગુરુઉપદેશાદિથી પ્રાપ્ત થયેલ) સમ્યક્ત્વથી વિશુદ્ધ થયેલા જ્ઞાનવાળા વિદ્વાન પુરુષોજ સમજી શકેછે. કેમકે તેઓ સાર (=ઉપાદેય) અને અસાર (=હેય )વસ્તુના વિભાગનો વિચાર કરવામાં સમર્થ છે. પોતપોતાના શાસ્ત્રતત્ત્વના અભ્યાસને લીધે તીક્ષ્ણ બુદ્ધિવાળા પણ બીજાઓ (પરદર્શનકારો) આ તત્ત્વ સમજી શકે તેમ નથી; કેમકે અનાદિમિથ્યાત્વના સંસ્કારથી દૂષિત થયેલી બુદ્ધિવાળા હોવાથી તેઓ યથાવસ્થિત વસ્તુતત્ત્વનો અવબોધ કરવામાં સમર્થ નથી. તેથી તેઓ વાસ્તવમાં બુધરૂપ (=વિશુદ્ધવિદ્વાન) નથી. આગમમાં પણ બતાવ્યું છે કે, “મિથ્યાત્વીનું જ્ઞાન અજ્ઞાન છે, કેમકે (૧) તેમાં સત્ અને અસનો વિશેષ નથી. (=સસત્નો વિવેક નથી.)(૨)તે સંસારનો હેતુ છે, તથા (૩) યદૈચ્છા ઉપલંભરૂપ છે. (મત્તના પ્રલાપની જેમ યથેચ્છબોધ છે)તથા (૪) તેમાં જ્ઞાનનું ફળ (=વિરતિ અને પરંપરાએ મોક્ષ) નથી.” સ્વામીઅપેક્ષાએ શ્રુતનું સમ્યગમિથ્યાપણું અતએવ, શાસ્ત્રકાર પરમર્ષિઓ મિથ્યાત્વીએ ભણેલા દ્વાદશાંગને પણ મિથ્યાશ્રુત તરીકે વર્ણવે છે. (મિથ્યાત્વી વધુ ં વધુ બારમા ષ્ટિવાદ નામના અંગનાં નવ પૂર્વ સુધી કરી શકે. બાકીના અગ્યારઅંગ પૂરા ભણી શકે. ) કેમકે મિથ્યાત્વીઓ યુક્તિથી નિરપેક્ષ થઇને સ્વેચ્છામુજબ જ વસ્તુતત્ત્વનો બોધ કરે છે. સમ્યગ્– દૃષ્ટિજીવે ભણેલું મિથ્યાશ્રુત પણ સમ્યક્ત્રતરૂપે પરિણમે છે, કેમકે તેઓ હંમેશા સર્વજ્ઞના ઉપદેશને અનુસરનારા હોય છે, તેથી મિથ્યાશ્રુતનાં વચનોનો પણ યથોચિત વિધિ-નિષેધરૂપ અર્થ ક૨ે છે. અર્થાત્ સંગત વિધિનિષેધને બાધ ન પોંચે, બલ્કે તેઓ પુષ્ટ થાય એ પ્રમાણે જ દરેક વચનોનો અર્થ કરતાં સમ્યક્ત્વી જીવને જ આવડે. જેમકે વેદમાં ગનૈઃ વદવ્યમ્' એવું વાકય છે. મિથ્યાત્વીઓ અજ=પશુ એવો અર્થ કરે છે. એટલે કે “પશુઓ વડે યજ્ઞ કરવો” એવો અર્થ કરે છે જે ‘મા હિંચ્યાત્ સર્વભૂતાનિ ઇત્યાદિ નિષેધને બાધક છે. જ્યારે સમ્યક્ત્વી અહીં અજનો ઉત્પન્ન થઇ ન શકે એવા ત્રણવર્ષ જૂના જવ-ડાંગર, પાંચવર્ષ જૂના તલ–મસૂરવગેરે તથા સાત વર્ષ જૂના કેંગુ, સ૨સવવગેરે ધાન્ય " એવો અર્થ કરે છે. આટલા જૂના ધાન્ય જીવ વિનાના (અચિત્ત) હોય છે. તેથી “આવા વાવવામાં આવે તો ઉગે નહિ, એવા અચિત્તધાન્યથી યજ્ઞ કરવો " એવો અર્થ સમ્યક્ત્વી કરે છે.( પ્રશ્ન:- આમ ‘અચિત્ત ધાન્યથી યજ્ઞ કરવો ' એવો અર્થ કરવાથી સમકીતીને યજ્ઞનું વિધાન માન્ય છે તેવી આપત્તિ આવશે. સૂત્રવગેરેમાં યાગ • વગેરેનો પુજા અર્થ કરેલો છે. જૈનમાન્ય આ પૂજાઅર્થ છોડી જૈનધર્મને અમાન્ય १. छाया - सदसदविशेषणतः भवहेतुयथास्थितोपलम्भात् । ज्ञानफलाभावान्मिथ्यादृष्टेरज्ञानम् ॥ विशेषावश्यके - ११५ । ૧. વાસ્તવમાં તે જ જ્ઞાન-જ્ઞાન છે, જે સત્ અસત્નો યથાર્થ વિવેક કરી શકે, જિનપ્રણીત આગમથી પરિકર્મિત હોય, (આગમઅનુસારી હોય) મોક્ષનો હેતુ હોય અને વિરતિનું જનક બ્રેય. સ્વામીઅપેક્ષાએ શ્રુતનું સમ્યગમિથ્યાપણું 267
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy