SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ननु आर्हतानां वासनाक्षणपरम्परयोरङ्गीकार एव नास्ति । तत्कथं तदाश्रयभेदाभेदचिन्ता चरितार्था इति चेत् ? नैवम् । स्याद्वादवादिनामपि हि प्रतिक्षणं नवनवपर्यायपरम्परोत्पत्तिरभिमतैव । तथा च क्षणिकत्वम् । अतीतानागतवर्तमानपर्यायपरम्परानुसंधायकं चान्वयिद्रव्यम् । तच्च वासनेति संज्ञान्तरभागप्यभिमतमेव । न खलु नामभेदाद् वादः कोऽपि कोविदानाम् । सा च प्रतिक्षणोत्पदिष्णुपर्यायपरम्परा अन्वयिद्रव्यात् कथंचिद् भिन्ना कथंचिदभिन्ना । तथा तदपि तस्याः स्याद भिन्नं स्यादभिन्नम इति । पथक्प्रत्ययव्यपदेशविषयत्वाद भेदः, द्रव्यस्यैव च तथा परिणमनादभेदः । एतच्च सकलादेशविकलादेशव्याख्याने पुरस्तात् प्रपञ्चयिष्यामः ॥ अपि च, बौद्धमते वासनापि तावन्न घटते,इति निर्विषया तत्र भेदादिविकल्पचिन्ता । तल्लक्षणं हि पूर्वक्षणेनोत्तरक्षणस्य वास्यता । न चास्थिराणां भिन्नकालतयान्योन्यासंबद्धानां च तेषां वास्यवासकभावो युज्यते। स्थिरस्य संबद्धस्य च ।। वस्त्रादेमृगमदादिना वास्यत्वं दृष्टमिति ॥ બૌદ્ધમતે વાસના અસંગત વળી બૌદ્ધમતે વાસના જ અસંગત છે, તેથી “ક્ષણપરંપરાથી તે ભિન્ન છે, કે અભિન્ન ?” એવી વિચારણા નિર્વિષય છે. “ઉત્તરાયણની પૂર્વેક્ષણદ્વારા વાસિત થવાની યોગ્યતા" વાસનાનું લક્ષણ છે. એટલે કે પૂર્વેક્ષણ વાસક છે, અને ઉત્તરક્ષણ વાસ્ય છે. આ વાસ્યાસકભાવ જ ઉપપન્ન થાય, જો એ બન્ને પરસ્પર સંબધા | હેય. અને બન્ને વચ્ચે પરસ્પર સંબદ્ધતાતો જ ઉપપન્ન થાય, જો બન્નભિન્નકાલીન ન હોય. તથા બન્નેમાં અભિન્નકાલીનતાતો જ આવે, જો બનેસ્થિર હેય. અર્થાત ક્ષણિકન હેય (અહીં એ સમજી લેવું કે વાસ્ય-વાસક વસ્તુઓ ઉત્પત્તિ અને વિનાશની અપેક્ષાએ ભિન્નકાલીન હેય, તેમાં દોષ નથી. બન્ને સ્થિતિની અપેક્ષાએ કમ સે કમ અમુકકાળા સુધી સમકાલીન હોવા જોઇએ, એક કાળે ઉપલબ્ધ થવા જોઇએ, તો જ વાસક-વાસ્ય વચ્ચે સંબંધ સ્થપાય અને વાસનાસંધતિ થઇ શકે- આ તાત્પર્ય છે.) જયારે બૌદ્ધમતે પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણ આ બન્ને ક્ષણિક છે, તેથી અસ્થિર છે. પૂર્વેક્ષણ વખતે ઉત્તરક્ષણનું અને ઉત્તરક્ષણ વખતે પૂર્વેક્ષણનું અસ્તિત્વ નથી. તેથી બન્ને ભિન્નકાલીન લેવાથી એકબીજા સાથે સંબદ્ધ થઈ શકે નહિ કેમકે સંબંધ બે સંબંધીમાં રહે છે. અને અહીં તો બને સંબંધીક્ષણો એકીસાથે ઉપલબ્ધ થતા નથી. તેથી એકસંબંધીનાં અભાવમાં સંબંધનો પણ અભાવ આવે છે. તેથી બન્નક્ષણો પરસ્પર સંબદ્ધથઇ શકતા નથી.આમ ક્ષણિક હોઇ પરસ્પરઅસંબદ્ધ ક્ષણોમાં વાસ્ય-વાસકભાવ અયોગ્ય છે, કેમ કે સ્થિર અને સંબદ્ધ વસ્ત્રાદિમાં જ કસ્તુરી વગેરેથી વાચતા જોવા મળે છે. આલયવિજ્ઞાનવાદનું ખંડન પૂર્વપક્ષ :- પૂર્વચિત્તની સાથે જ એક ચેતનાવિશેષ ઉત્પન્ન થાય છે. આ ચેતનાવિશેષ પૂર્વચિત્તની શક્તિથી યુક્તઉત્તરચિત્તને ઉત્પન્ન કરે છે, આમ પૂર્વેક્ષણની શક્તિથી વિશિષ્ટ ઉત્તરક્ષણની ઉત્પત્તિ જ વાસના છે. તે પ્રક્રિયા આ પ્રમાણે છે- પૂર્વચિત “પ્રવૃતિવિજ્ઞાન છે. આ પ્રવૃત્તિ વિજ્ઞાન રૂપાદિને પોતાના વિષય શું ૧. પવન દ્વારા સમુદ્રમાં ઉઠતી લહેરોની જેમ આલયવિજ્ઞાનમાં આલમ્બન, સમનત્તર, સહકારી અને અધિપત્તિ પ્રત્યયોદ્વારા પ્રવૃત્તિ વિજ્ઞાનના ધર્મો ઉત્પન્ન થાય છે. અવિક૯૫કપ્રવૃત્તિ વિજ્ઞાન=જે જ્ઞાનમાં જૂઘજૂધ આકારરૂપે નીલાદિ વસ્તુઓનો પ્રતિભાસ દૂર થાય. વિકલ્પકપ્રવૃત્તિવિજ્ઞાન=જે વિજ્ઞાન માત્ર વિકલ્પરૂપ જ હેય. અર્થાત જે વિજ્ઞાનમાં બધા પદાર્થો માત્ર વિજ્ઞાનરૂપે જ ભાસે છે? ૨ પદાર્થરૂપે નહીં તે વિકલ્પવિજ્ઞાન. સૌત્રાન્તિક બૌદ્ધના મતે વસ્તુ બાહ્ય અને આન્સર એમ બે ભેદવાળી છે. બાહ્ય વસ્તુ “ભૂત' Sલ અને ભૌતિક એમ બે ભેદવાળી છે. પૃથ્વીવગેરેચાર પરમાણપંજ “ભૂત છે. અને રૂપઆદિ તથા ચક્ષવગેરે ભૌતિક છે. આન્તરવસ્તુના ચિત્ત (ગૈતિક) અને ચૈત એમ બે ભેદ છે. તેમાં વિજ્ઞાન - ચિત્ત અથવા ઐત્તિક છે. રૂપ, વેદના, સંજ્ઞા અને સંસ્કારસ્કન્ધો વૈત છે. પ્રવૃત્તિવિજ્ઞાનના સમાનકાળે ઉત્પત્તિશાળી અહંકારયુક્ત ચેતનાવિજ્ઞાન આલયવિજ્ઞાન કહેવાય Es ::::::::::::: **** **** * કાવ્ય-૧૯
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy