SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ .: : fa ચાલુટમેરી तेनाकारविलक्षणत्वाभावादव्यवधानाच्चात्यन्तोच्छेदेऽपि स एवायमित्यभेदाध्यवसायी प्रत्ययः प्रसूयते । हे अत्यन्तभिन्नेष्वपि लूनपुनरु त्पन्नकुशकाशकेशादिषु 'दृष्ट एवायं' 'स एवायम्' इति प्रत्ययः, तथेहापि किं न संभाव्यते । तस्मात् सर्वं सत् क्षणिकमिति सिद्धम् । अत्र च पूर्वक्षण उपादानकारणम्, उत्तरक्षण उपादेयम् इति पराभिप्रायमङ्गीकृत्याह - किं न तुल्यकालः इत्यादि ॥ ते विशकलितमुक्तावलीको निरन्वयविनाशिनः पूर्वक्षणा उतरक्षणान् जनयन्तः किं स्वोत्पत्तिकाल एव जनयन्ति, AII उत क्षणान्तरे ? न तावदाद्यः। समकालभाविनोयुवतिकुचयोरिवोपादानोपादेयभावाभावात् । अतः साघूक्तम् न तुल्यकालः | फलहेतुभाव इति । न च द्वितीयः। तदानीं निरन्वयविनाशेन पूर्वक्षणस्य नष्टत्वादुत्तरक्षणजनने कुतः संभावनापि? | न चानुपादानस्योत्पत्तिदृष्टा, अतिप्रसङ्गात् । इति सुष्टु व्याहृतं हेतौ विलीने न फलस्य भाव इति । पदार्थस्त्वनयोः | पादयोः प्रागेवोक्तः । केवलमत्र फलमुपादेयं हेतुरुपादानं तद्भाव उपादानोपादेयभाव इत्यर्थः ॥ જ છે.) ટાન:- લણી નાખ્યા પછી ફરીથી ઉગતા કુશ-કાશ (વાસ) તથા કાપી નાખ્યા પછી ફરીથી ઉત્પન્ન થતા વાળવગેરેમાં આ પૂર્વે જોયેલાં જ છે. ” “આ તે જ છે. એવી બુદ્ધિ થાય છે. પરંતુ વાસ્તવમાં પૂર્વદષ્ટ અને અત્યારે દેખાતા એ બન્નેમાં અત્યંત ભેદ છે. તે જ રીતે અહીં પણ પરસ્પરભિન્ન એવી પૂર્વોતરક્ષણોમાં “આ તે જ છે' ઇત્યાદિ પ્રત્યય શા માટે સંભવી ન શકે? પરંતુ એવા ભ્રાન્તપ્રત્યયમાત્રથી કંઈ તે બન્ને અભિન્ન છે એમ કલ્પી લે સંગત નથી. તેથી સર્વસતવસ્તુઓ ક્ષણિક છે તે સિદ્ધ થાય છે. અહીં પૂર્વાણ ઉપાદાનકારણ છે. અને ઉત્તરક્ષણ ઉપાદેય કાર્ય છે. બૌદ્ધમતનો આ અભિપ્રાય છે. આ અભિપ્રાયને અનુલક્ષીને કવિએ પૂર્વાદ્ધમાં “ન તુલ્યકાલ" . ઈત્યાદિ કહ્યું છે. ભણિકવાદમાં ઉપાદાન-ઉપાદેયભાવની અસિવિ-જૈન ઉત્તરપલ જૈન):- બૌદ્ધમતે પૂર્વેક્ષણો મોતીની માળામાંથી વિખરાયેલાં મોતીઓની શ્રેણિ જેવી તથા િ નિરન્વયનાશ પામવાવાળી છે. અર્થાત જેમ છૂટા પડેલાં મોતીઓ પરસ્પર અન્વય = સંબંધ વિનાના છે. તેમ આ પૂર્વેક્ષણો પણ ઉત્તરક્ષણો સાથે કોઇપણ જાતના અન્વયે વિનાની હોય છે. આમ સર્વથા નાશ પામનારી પૂર્વેક્ષણો ઉત્તરાણોને પોતાની ઉત્પત્તિકાળે જ ઉત્પન્ન કરે છે? કે બીજી ક્ષણે? આપક્ષ અયોગ્ય છે. કારણ કે એમ માનવામાં પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણની ઉત્પત્તિ સમાનકાલીન માનવી પડે. અને સમાનકાલીન બે ભાવો વચ્ચે ઉપાદાન-ઉપાદેયભાવ નથી. અત: હેતુ અને ફળભાવ તુલ્યકાળ ઉત્પન્ન થનારી વસ્તુઓમાં ન હોય, એવા સંદર્ભવાળું કવિનું કથન સંગત છે. એ જ પ્રમાણે દ્વિતીયપક્ષ પણ અસમર્થ છે, કેમકે બીજી ક્ષણે પૂર્વેક્ષણ , નિરન્વય નાશ પામે છે. આમ હેતુરૂપ પૂર્વલણ નષ્ટ થયા પછી ઉત્તરાણને જન્મ શી રીતે આપી શકે? અને ઉપાદાન વિના ઉત્પત્તિ ક્યારેય દેટ કે ઈષ્ટ નથી, કેમકે તેમ માનવામાં અતિપ્રસંગ છે. અત: હેતુ નષ્ટ થયા પછી ફળ ઉત્પન્ન થઇ શકે એ આશયથી કવિએ કહેલું “હેતી વિત્નીને" ઈત્યાદિ વચન સુસંગત છે. અહીં પૂર્વાર્ધના બે પદના અર્થ પૂર્વવત સમજવા. માત્ર ફળ= ઉપાદેય અને હેતુ = ઉપાદાન અને તે બેનો ભાવ = ઉપાદાન-ઉપાદેયભાવ સમજવો. સિત વસ્તુમાં ક્ષણિકત્વ સ્થાપવા મોકાકરગુપ્ત નામના બૌદ્વાચાર્યો પૂર્વે જે કથન કર્યું, તે સર્વસ્યાદ્વાદ ફી સાથેનાં વાદમાં નિવકાશ છે. કારણ કે લણોનાંનિરવયનાશને છોડી બીજા બધા મુદ્દાસ્યાદ્વાદમતે કર્થચિત ફી સિદ્ધસાધન છે. કારણ કે દરેકાણે પૂર્વ-પૂર્વ પર્યાયનો નાશ અને ઉત્તરોત્તરપર્યાયનો પ્રાદુર્ભાવ રૂાવાદીઓને સંમત જ છે. १. सूत्रविगलितमौक्तिकमालासदृशाः। 0: :::::::: કાવ્ય-૧૬ [:::::::::::::/198)
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy