SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્દામંજરી एवं समवायस्यापि समवायत्वाभिसम्बन्धे युक्त्या उपपादिते साहसिक्यमालम्ब्य पुनः पूर्वपक्षवादी वदति। ननु पथिव्यादीनां पृथिवीत्वाद्यभिसम्बन्धनिबन्धनं समवायो मुख्यः । तत्र त्वतलादिप्रत्ययाभिव्यङ्गयस्य सङ्ग्रहीत-| सकलावान्तरजातिलक्षणव्यक्तिभेदस्य सामान्यस्योद्भवात्। इह तु समवायस्यैकत्वेन व्यक्तिभेदाभावे जातेरनुद्भूतत्वाद् । #गौणोऽयं युष्मत्परिकल्पित इहेतिप्रत्ययसाध्यः समवायत्वाभिसम्बन्धः तत्साध्यश्च समवाय इति॥ ___ तदेतद् न विपश्चिच्चमत्कारकारणम्। यतोऽत्रापि जातिरुद्भवन्ती केन निरुध्येत? व्यक्तेरभेदेन इति चेत्? न तत्तदवच्छेदकवशात् तत्तद्भेदोपपत्तौ व्यक्तिभेदकल्पनाया दुर्निवारत्वात्। अन्यो घटसमवायोऽन्यश्च पटसमवाय इति व्यक्त एव समवायस्यापि व्यक्तिभेद इति, तत्सिद्धौ सिद्ध एव जात्युद्भवः। तस्मादन्यत्रापि मुख्य एव समवायः, इह प्रत्ययस्योभयत्राप्यव्यभिचारात्॥ तदेतत्सकलं सपूर्वपक्षं समाधानं मनसि निधाय सिद्धान्तवादी प्राह - न गौणभेद इति। गौण इति योऽयं भेदः स જાતિઓ પૃથ્વીત્વ જાતિમાં સંગૃહીત થઈ જાય છે. આ રીતે પૃથ્વીના પૃથ્વીત્વ સાથેના સંબંધથી ઉત્પન્ન થતા ‘દ' પ્રત્યયથી જે સમવાય ભાસે છે તે મુખ્યરૂપે છે. જયારે સમવાયમાં સમવાયત્વ' એ સ્થળે સમવાય પોતે એક જ હોવાથી, અને વ્યક્તિઓનો અભાવ હોવાથી વ્યક્તિભેદ નથી. અને વ્યક્તિભેદ ન હોવાથી તે બધાને સંગૃહીત કરે તેવી જાતિનો પણ ઉદ્ભવ થતો નથી. તેથી સમવાયમાં સમવાયત્વસાથેના સંબંધમાં કારણ તરીકે તમારા વડે કલ્પના કરાયેલો સમવાય ગૌણ છે. કારણ કે અહીં ઈહપ્રત્યયથી અનુભવાતો સંબંધ પોતે ગૌણરૂપે છે. અહીં તત્સાધ્ય તેનાથી અનુમેય એવો અર્થ કરવો. તેથી સમવાયત્વસાથેના સંબંધથી અનુમાન કરાતો સમવાય ગૌણ છે એમ ફલિત થાય છે. સમવાયમાં મુખ્ય ગણતાની અસિદ્ધિ-ઉત્તરપક્ષ ઉત્તરપલ જેને):- તમારું આ કથન વિદ્વાન માણસને ચમત્કાર આશ્ચર્ય પમાડે એવું નથી. અર્થાત યુક્તિહીન છે. કારણ કે જેમ પૃથ્વીમાં મુખ્ય સમવાયથી રહેનાર “પૃથ્વીવરૂપે એક જાતિવિશેષનો ઉદ્ભવ છે. તેમ સમવાયમાં સમવાયથી રહેતાં “સમવાયત્વને પણ જાતિતરીકે ઉદ્ભવેલી માનવામાં કોણ નિરોધક છે? પૂર્વપલ :- સમવાય એક જ લેવાથી વ્યક્તિનો અભેદ ત્યાં બાધક છે. ઉત્તરપક્ષ:- આ કથન અસંગત છે. કારણ કે સમવાયના ઘટત્વ-પટવ વગેરે અવચ્છેદકો ભિન્ન લેવાથી તેઓથી અવચ્છિન્ન થયેલાં સમવાયો પણ ભિન્નતરીકે દુર્નિર્વાર છે. આ બધી પરસ્પર ભિન્ન સમવાય વ્યક્તિઓનો સમાવેશ સમવાયત જાતિ કરે છે. વળી આ ઘટસમવાય છે “આ પટસમવાય છે. એવી પ્રતીતિથી ઘટસમવાય કરતાં પટસમવાય ભિન્ન છે, એસિદ્ધ થાય છે. તેથી સમવાયમાં પણ વ્યક્તિભેદ સુવ્યક્ત છે. આમ વ્યક્તિભેદનીસિદ્ધિથવાથી સમવાયત્વજાતિનો ઉદ્ભવ પણસિદ્ધ થાય છે. તેથી અન્યત્રાપિસમવાયનાં સમવાયત્વસાથેના સંબંધ સ્થળે પણ મુખ્ય સમવાય જ છે. કારણ કે બન્ને સ્થળે (પૃથ્વી-પૃથ્વીત્વનાં સંબંધસ્થળ અને સમવાય-સમવાયત્વનાં સંબંધ સ્થળે) રૂ પ્રત્યય સમાન રીતે થાય છે. સમવાયમાં ગણલક્ષાણની અસિદ્ધિ પૂર્વપક્ષ સહિતના આ સકળ સમાધાનને મનમાં સ્થાપીને સિદ્ધાન્તવાદી કવિ કહે છે નળખેતિ ગૌણ છે એવો જે આ ભેદ બતાવ્યો તે સંગત નથી. કારણ કે અહીં ગૌણનું લક્ષણ ઘટતું નથી.ગૌણનું લક્ષણ આ પ્રમાણે છે તો બતાવ્યું છે. જે અવ્યભિચારી-અવિકલ-અસાધારણ અને અતરંગ હેય તે મુખ્ય અર્થ. અને તેનાથી એ વિપરીત વ્યભિચારી, વિકલ, સાધોરણ અને બહિરંગ હેય, ને ગૌણ અર્થ. મુખ્યાર્થ વિદ્યમાન શ્રેય તો ગૌણમાં છે. બુદ્ધિ શી રીતે થાય? (અર્થાત ન થાય) સમવાય અને સમવાયત્વવચ્ચે રહેલાં સમવાયમાં પણ મુખ્યાર્થનું કે ઉપરોક્તલક્ષણ જ સુસંગત થાય છે. તેથી ધર્મ અને ધર્મના સંબંધમાંમુખ્યસમવાય અને સમવાય-સમવાયત્વના સંબંધમાં ગૌણ સમવાય એવો આ ભેદ વાસ્તવ નથી. કેમ કે સમવાયમાં સમવાયત્વ મુખ્યાર્થથીજ રહેલું છે. હું છે તેથી તેને રાખનાર બીજા સમવાયને પણ મુખ્યરૂપે જ માનવો જોઇએ. ત્યાં ગૌણઅર્થની કલ્પના સંગત નથી. 0 70 કાવ્ય - ૭
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy