SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ જે રાજાઓ લાખો શત્રુઓથી ભયભીત બનતા નથી, તે અખંડ પરાક્રમી રાજા રાજ્યનો ઉપયોગ કરી શકે છે. હાથીઓના ટોળાથી નહીં ડરનારો કેશરી સિંહ જ વનની સંપત્તિનો ઉપયોગ કરી શકે છે, કેમ કે અભય છે અને અભય એ જ સંપત્તિનું સ્થાન છે. अबलोऽपि रिपुर्महीभुजा, हृदये शङ्कुरिवाभिमन्यताम् । उदयन्नपि कुञ्जराशनाङ्कुरलेशो न हि किं विहारभित् ।।६१।। રાજાના હૃદયમાં નિર્બળ એવો પણ શત્રુ શલ્ય (ખીલા)ની જેમ ખૂંચવો જોઈએ! મહેલમાં ઊગતો એવા પીપળાના વૃક્ષનો નાનકડો અંકુર પણ સંપૂર્ણ મહેલને શું ધરાશાયી કરતો નથી ? न पृथग्जनवत् क्षितीश्वरो, दधते दैन्यभराद् दयालुताम् । सदयस्त्वयमित्युदीरणादवजानन्ति जना रयादिमम् ।।६२।।। સામાન્ય વ્યક્તિઓની જેમ રાજા, દીનતાથી ભરેલી વ્યક્તિઓ પર દયાનો ભાવ રાખતા નથી કેમ કે “આ રાજા તો દયાળુ છે' એમ માનીને લોકો રાજાની જલદી અવગણના કરે છે. वसुधाधिपतेर्वचःशरा, उपलीभूय न यैरुरीकृताः । मृदुता न हि तेषु सांप्रतं, घनटंकी भवतीह तन्नृपः ||६३।। . જે વ્યક્તિઓ પાષાણની જેમ કઠોર બનીને રાજાનાં વચનરૂપી બાણોને ઝીલતા નથી તેના પ્રત્યે રાજાઓએ કોમળ બનવું ઉચિત નથી. એવી કઠોર વ્યક્તિઓ પ્રત્યે તો પાષાણને ભેદનારી તીક્ષ્ણ છરી જેવા બનવું જોઈએ. स्वजनैन च बान्धवैर्न वा, न च वाहै. पवनातिपातिभिः । विजयेन विशिष्यते नृपो, महसेवात्र मणिमहानपि ।।६४।। સ્વજનો-બાંધવા કે પવનવેગી ઘોડાઓથી રાજાની મહત્તા નથી પરંતુ પોતાના તેજ અને વિજયથી જ તે મહાન બને છે, જેમ મણિરત્ન પોતાના તેજથી જ મહાન હોય છે તેમ. विनिहत्य रणाङ्गणागतं, त्वपि बन्धुं जयमर्जयेन्नृपः | कलयेद् ग्रहकान्तिसंहृतेः', किमु तेजस्विदरत्वमंशुमान् ।।६५।। રણસંગ્રામમાં આવેલ વ્યક્તિ ભલે તે પોતાનો ભાઈ જ હોય પરંતુ તેને મારીને પણ રાજાએ વિજય પ્રાપ્ત કરવો જોઈએ !ચંદ્ર આદિ ગ્રહોના તેજનું સંહરણ કરવાથી જ સૂર્ય પોતે તેજસ્વી બની શકે છે. अनुनीतिमतां वरः क्वचित्, क्वचिदीर्ष्यालुरसौ क्षितीश्वरः । અનુનીતિરક્ષિયાન્વિતા, પ્રતિપક્ષેગુ થવાયતળિયે Tદદ્દા/. ૧. કુષ્પરાશન:-પીપળાનું વૃક્ષ (બિતોશ્વર્ય શ્રીવૃક્ષ યુઝરશનમિ. ૪૧૨૭) ૨. વિરમ-કસરત | રૂ. પૃથક-સામાન્ય લોક (વિવસ્તુ પૃથકનઃમ૦ ૩૫૨૬) ૪. રાતે-વઘ ઘારને ખ્યાતિ ધાતુ: I ५. ग्रहकान्तिसंहृतेः-शशांकादिसर्वग्रहतेजासंहरणात् । ૬. વિનુ-તિ તિર્વે ! શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય - ૬૨
SR No.005718
Book TitleBharat Bahubali Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year2000
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy