SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાણીઓનાં શરીર ઉમર સાથે દિવસે-દિવસે ક્ષીણ થતાં જાય છે, પરંતુ બે સજ્જન પુરુષોની હૃદયભૂમિમાં અંકુરિત થયેલી પ્રીતિ ક્યારેય પણ ક્ષીણ થતી નથી. द्विजराजनदीशयो'स्तुलां, हरिणौर्वी दधतोरवर्णदौ । लभते क इहाऽयशोपि तौ, धरतो नोभ्ज्झत एव तौ परम् ।।१८।। ચંદ્ર પોતાને કલંકિત કરનાર હરણનો કયારેય પણ ત્યાગ કરતો નથી, સમુદ્ર પોતાનું શોષણ કરનાર વડવાગ્નિને ક્યારેય પણ ત્યજતો નથી, તેમ સજ્જન પુરુષો પોતાને પીડા આપનાર વ્યક્તિઓને પણ ક્યારેય ત્યજતા નથી. अगुणानपि नोभ्ज्झति स्वकान्, स हि गम्भीरिमसंश्रितः पुमान् । निवसन्ति तदत्र संपदो, ह्यमृतं तिष्ठति नागभीरके ।।१९।। જે પુરુષ નિર્ગુણી એવા પણ પોતાના સ્વજનોને છોડતા નથી, તે જ ખરેખર ગંભીર છે અને તેને જ બધા પ્રકારની સંપત્તિઓ આવી મળે છે. છીછરા પાત્રમાં ક્યારે પણ અમૃતનો વાસ હોતો નથી. स्वयमेव निजं निहत्य योऽनुशयीतैति स निन्दनीयताम् । તદશાવિનિપાતના યક, સરિતઃ નિ તરં પ્રવાસ ? Tરિ૦ | જે વ્યક્તિ પોતાના સ્વજનને મારીને પછી પશ્ચાત્તાપ કરે છે તો પણ તે નિંદાને પાત્ર બને છે. જેમ નદીનો પ્રવાહ તટ પર રહેલાં વૃક્ષોને ઉખેડી તટને પ્રકાશિત કરે છે, તેમ પોતાની દુર્જનતાને પ્રકાશિત કરે છે. स विभुः किमिहावनेर्मतः, स्वपरौ वेत्ति हिताहिती न यः । स्वपरानवबोधहेतुतो, न हुताशं किल कोपि संस्पृशेत् ।।२१।। ભૂમંડલમાં રાજા (સ્વામી) તેને જ કહેવાય કે જે સ્વ-પરનો ભેદ તેમજ હિત અને અહિતને ગણે છે, પરંતુ જે સ્વ-પરના હિતાહિતને જાણતો નથી તે ખરેખર અગ્નિની જેમ અસ્પૃશ્ય બને છે. तरसैव न केवलं विभोर्मतिमत्ताधिकवृद्धिमश्नुते । तरसोपि.मतिः प्रवर्धते, तदुदीर्णोत्र धियैव धीधनः ।।२२। માલિકની બુદ્ધિમત્તા એ જ એની પ્રગતિનું કારણ છે. એકલું બળ કામ આપતું નથી. બળથી બુદ્ધિ પ્લાન થાય છે. એટલા માટે જ અમાત્યોને ઘધન (બુદ્ધિરૂપી ધન છે જેની પાસે) કહેવાય છે. कुलकेतुरिहोच्यते स या, स्वकुलं रक्षति सर्वथापदः । प्रियबन्धुरिभो हि यूथपोऽधिकशक्तिहरिरेक एव यत् ।।२३।। આ લોકમાં એ જ પુરુષ કુળધ્વજ કહેવાય છે કે જે આપત્તિઓમાંથી પોતાના કુળનું રક્ષણ કરે છે. એટલા માટે જ હાથી પોતાના બંધુજનોને પ્રિય બની ચૂથપતિ થઈ શકે છે, જ્યારે સિંહ શક્તિશાળી હોવા છતાં પણ પોતાનો કોઈ પ્રિયબંધુ નહીં હોવાને કારણે એકલો જ રહે છે. ૧. નિર/ન-ચન્દ્ર નાશ-સમુદ્ર ૨. સર્વ-વડવાનલ (એર્વક સંવર્નરોગનિવહિવો મિત્ર ૪ ૧૬૬) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૫૫
SR No.005718
Book TitleBharat Bahubali Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year2000
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy