SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ऐं नमः ॐ ह्रीं श्रीं शंखेश्वर पार्श्वनाथाय नमः 2િ5 હીં શ્રીં અહંમ નમઃ 4 હું શ્રી ગુરવે નમઃ શ્રી ભરત બાહુબલિ મહાકાવ્યનો સંક્ષિપ્ત ભાવાનુવાદ મહાકાવ્યનો ટૂંકો પરિચય : ઇક્વાકુ કુલભૂષણ ભગવાન શ્રી ઋષભદેવના સુપુત્ર ભરત ચક્રવર્તી છ ખંડ પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરી પોતાની રાજધાની અયોધ્યા નગરીમાં મહામહોત્સવપૂર્વક પ્રવેશ કરી રાજસભામાં પધાર્યા ત્યારે આયુધશાળાના પરિવારને સમાચાર આપ્યા કે “મહારાજાધિરાજ ! ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ કરતું નથી.” ભરત મહારાજાએ મહામંત્રી સામે પ્રશ્નસૂચક દૃષ્ટિ કરી. મહામંત્રીએ જણાવ્યું કે “જ્યાં સુધી એક પણ રાજા આપશ્રીની છત્રછાયામાં ના આવે ત્યાં સુધી ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશી નહીં શકે.” છ ખંડ સાધ્યા બાદ મહારાજા વિચાર કરે છે કે “એવો કોણ માથાભારે રાજવી છે જે હજુ મારી આજ્ઞાનો સ્વીકાર કરવા તૈયાર નથી ?” મહામંત્રીએ જણાવ્યું, “મહારાજા, બીજા કોઈ નહિ. આપના જ લઘુભ્રાતા તક્ષશિલા નગરીના મહારાજા બાહુબલિ.” ત્યાર બાદ મંત્રીમંડળ સાથે પરામર્શ કરી બોલવામાં ચતુર, વાચાળ, સમયનો જાણકાર સુવંગ નામના દૂતને મહારાજા તક્ષશિલા મોકલે છે. સુવેગ દૂત ત્યાંથી પ્રસ્થાન કરી તક્ષશિલા નગરીમાં એ: છે. બહલી (તક્ષશિલા)નગરના ભૂભાગની સંપત્તિ, સૈનિકોનો થનગનાટ, નગરીનો વૈભવ વગેરે વિધવિધ આશ્ચર્યનો અનુભવ કરતો બાહુબલિની રાજસભામાં પહોંચી જાય છે. સાક્ષાત્ ઇન્દસભાની ભ્રાંતિ કરાવે તેવી મહારાજા બાહુબલિજીની રાજસભામાં ઉપસ્થિત થાય છે. ત્યાં મહારાજા સમક્ષ બે હાથ જોડી બેસે છે. હવે પછીનો વિષય મહાકાવ્યથી શરૂ થાય છે. છાયામઃ ગર अथार्षभि' भरतभूभुजां बलाद्, हृतातपत्रः स्वपुरोमुपागतः । विमृश्य दूतं प्रजिघाय वाग्मिनं, ततौजसे तक्षशिलामहीभुजे ।।१।। મહારાજા ભરત ભારતવર્ષના રાજાના છત્રોનું બળપૂર્વક હરણ કરીને અર્થાત્ છ ખંડ પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરી પોતાની નગરી અયોધ્યામાં પધાર્યા અને મંત્રીમંડળ સાથે વિચારવિમર્શ કરી મહાપરાક્રમી બળવાન એવા તક્ષશિલાના મહારાજા પાસે વાષ્પટુ - બોલવામાં નિપુણ એવા સુવંગ નામના દૂતને મોકલ્યો. ततः स दूतो विषयान्तरं रिपो - र्गतो वपुष्मानिव विस्मयं दधौ । रसान्तरं गच्छत एव विस्मयो, ह्यनेकधा भावविलोकनाद् भवेत् ।।२।। ૧. કાઉર્મિત - ગમ રૂ/રૂષદ ૨. વિષયના બે અર્થ થાય છે (૧) તે (વિષયસ્તૂપવર્તનમ્ - મિ. ૪/૧૩) (૨) વિ-અર્થ (ન્દ્રિયાથ વિષય - ગમતુ ર૦) ૩. રસાજારના બે અર્થ થાય છે (૧) રસ + અન્તર બીજી ભૂમિ (નાતી મેરિની રસી- મો ૪/૩) (૨) રપ + અન્તર બીજો રસ (ૐર ગતિ) - મિ. ર/ર૦૮,૨૦૨ શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧
SR No.005718
Book TitleBharat Bahubali Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year2000
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy