SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ विद्याभृतामीश ! वदामि किं तं, स्वजन्मनः प्रापि फलं त्वयैव । यन्मादृशैरत्र हृदाप्यवाह्यं, स्थलैरिवाम्भः सरसीवरेण ||४१|| હે વિદ્યાધર નાથ ! હું આપને શું કહું ? ખરેખર આપે આપનો જન્મ સફળ કરી લીધો. મારા જેવી વ્યક્તિ તો મનથી પણ મુનિપણું વહન કરી શકતી નથી. ખરેખર ઊંચાણમાં રહેલું તળાવ પાણીને ક્યાંથી વહન કરી શકે? केपीह भोगानसतः कमन्ते, सतोऽपि केचित् परिहाय शान्ताः । तेषामपूर्वे' सुरराजवन्द्यास्तानेव कैवल्यवधूरपीच्छेत् ।।४।। ખરેખર આ સંસાર કેવો વિચિત્ર છે! જેની પાસે ભોગસુખો નથી તે ભોગોની કામના કરે છે અને જેની પાસે ભરપૂર ભોગસુખો છે તે તેનો ત્યાગ કરી શ્રમણ બને છે. આ બન્નેમાં તે જ દેવદેવેન્દ્રોથી પૂજિત છે કે જે ભોગો હોવા છતાં તેનો ત્યાગ કરીને ઉપશાન્ત બને છે અને તેને જ કેવલ્યરૂપી વધૂ વરમાળા આરોપે છે. धिगस्तु तृष्णातरलं तदीयं, मनो मनोजन्मपिशाचसङ्गात् । लीलावतीभिः परिभूय येषां, वैराग्यलीला दलिता क्षणेन ||४३|| હે મુનિ ! સ્ત્રીઓએ કામદેવરૂપી પિશાચના સંગથી જે પુરુષોના મનને પરાજિત કરી તેની વૈરાગ્યભાવનાને ક્ષણવારમાં નષ્ટ-ભ્રષ્ટ કરી નાખી છે. તેવા કામવાસનાથી વાસિત પુરુષોના મનને ધિક્કાર છે. अङ्गारधानीस्तिपसां वधूस्त्वं, हित्वा तपस्वित्वमुरीचकर्थ । तच्छ्लाघनीयोऽत्र भवानशेषैस्त्यागी न केनाप्यवमाननीयः ||४४।। હે મુનિ !તપ-વૈરાગ્યને ભસ્મીભૂત કરવામાં ધગધગતા અંગારાથી ભરેલી સગડી સમાન સ્ત્રીઓનો ત્યાગ કરી આપ તપસ્વી બન્યા છો. માટે આપ સમસ્ત પુરુષજાતિમાં પ્રશંસનીય છો. કોઈપણ વ્યક્તિએ આવા ત્યાગી પુરુષની અવહેલના કરવી જોઈએ નહીં. तारुण्यलीलाः सकला अपि त्वां, रुन्धन्ति नो भीरुलताप्रतानैः । इतीह चित्रं हृदये न माति, ममाऽपि बिद्याधरनाग ! किञ्चित् ।।४५।। હે મુનીન્દ્ર ! મારા હૃદયમાં એક આશ્ચર્ય સમાતું નથી કે આવી યુવાવસ્થામાં સઘળા પ્રકારની ભોગસામગ્રી અને સ્ત્રીઓના વિલાસો આપને કેમ રોકી શક્યાં નહીં ? शौर्याब्जिनीखण्डसरोवरस्त्वमत्रापि कंदर्पशरापनुन्यै । .. शक्तो हि सर्वत्र परां विभूषां, लभेत लक्ष्मीमिव वासुदेवः ||४६ ।। હે મુનિ ! આપ યુવાવસ્થામાં શૌર્યરૂપી કમલિનીઓના સરવર સમાન હોવા છતાં (અર્થાત્ १. अपूर्वे-अप्रथमा, अत्र वृत्ते प्रथमं भोगवांछका उक्ताः, तदन्ये त्यागिनः | ૨. મનોજન-કામદેવ 3. IRઘાની-સગડી (કન્યા દીવાનીપાવ્યો કન્તિા - ઓમ કાદ) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૧૪૩
SR No.005718
Book TitleBharat Bahubali Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year2000
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy