SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ धम्मिल्ल भारकुसुमैः पतितैर्जलान्तः, प्राभातिकाम्बरमिवस्थिततुच्छतारम् । चूर्णीकृतोर्मिवलयं स्तनशैलश्रृङ्गः, क्रीडासरो विविधरूपमतान्यमूभिः ||८|| જળક્રીડા કરતી સુંદરીઓના અંબોડામાં ગૂંથેલાં પુષ્પો પાણીમાં પડવાથી કીડાસરોવર ઝાંખા તારાઓથી યુક્ત, ઉષા સમયના આકાશનું ભાન કરાવતું હતું અને સુંદરીઓનાં સ્તનરૂપી શિખરો અથડાવાથી હિલોળા લેતા સરોવરના જલતરંગો વિલય થઈ જતા. આ રીતે ક્રીડાસરોવર વિવિધ રૂપોને ધારણ કરતું હતું. आकाशसंचरसितच्छदवीजितस्य, हा ! शैत्यमभ्यधिकमम्बुचयस्य किं वा ? किं वा प्रफुल्लनयनाङ्गसमागमस्य, प्रोचान एवमयमुत्पुलको बभूव ।।७९ ।। “અરે, આકાશગામી રાજહંસોના ઊડવાથી કંપિત થયેલું સરોવરનું પાણી શીતળ લાગે છે કે સુંદરીઓના શરીરનો સંગમ વધારે શીતળ લાગે છે ?” – આ પ્રમાણે બોલતા ભરત રાજા રોમાંચિત બની ગયા. अद्भिळपासि किल कज्जलकालिमा दृगद्वन्द्वान्न किञ्चिदपि पाटलताधरोष्ठात् । स्त्रीणामिति व्यरचि चान्यनिजावबोधो, नैसर्गिकी हि कमला क्वचिदप्यनेत्री ।।८।। સરોવરના પાણીએ સ્ત્રીઓનાં નેત્રોમાં આંજેલી કાજળની શ્યામલતાને તો ધોઈ નાખી પરંતુ અધર (હોઠ) ઉપર રહેલી સ્વાભાવિક રક્તતાને ધોઈ શક્યું નહીં. સરોવરના આવા વ્યવહારથી બોધપાઠ મળે છે કે જે સ્વાભાવિક સૌંદર્ય છે એ જ સાચું સૌંદર્ય છે. એને કોઈ છીનવી શકતું નથી. यावत् सहस्रकिरणो गगनावगाही, तावत् कुरङ्गनयने ! न हि नो वियोगः । गन्ताऽयमस्तमचिरादिति दीनवको, कोके प्रियां वदति भूमिभृता न्यवर्ति ।।८१।। ઉદાસ બની ગયેલા ચક્રવાકે પોતાની પ્રિયા ચક્રવાકીને કહ્યું : હે કુરંગાલિ ! જ્યાં સુધી સૂર્ય આકાશમાં વિચરી રહ્યો છે ત્યાં સુધી આપણો વિયોગ નહીં થાય. પરંતુ હવે તો સૂર્ય જલદીથી અસ્તાચલ પર જઈ રહ્યો છે. આ વાર્તાલાપ સાંભળીને ભરત ચક્રવર્તી શીવ્રતાએ ક્રીડા સરોવરથી પાછા ફર્યા. धम्मिल्लभारशिथिलालकबिंदुसेकैरुज्जीवयन्त्य इव शङ्करदग्धकामम् । क्रीडातटाकमवगाह्य तटं तरुण्याः, सूक्ष्माम्बरप्रकटिताङ्गरुचः प्रयाताः ||८२।। બાંધેલો કેશકલાપ (અંબોડો) છૂટી જવાથી છૂટા કેશ પર રહેલાં જળબિંદુઓ વડે શંકરે ભસ્મીભૂત કરેલા કામદેવને ફરીથી જીવતદાન આપતી ના હોય તેવા પ્રકારની તરુણીઓ પૂરા ક્રીડાસરોવરમાં અવગાહન કરીને કિનારા પર આવી ગઈ, એ વખતે તે સ્ત્રીઓનાં સૂક્ષ્મ (ઝીણાં) અને ભીંજાયેલાં વસ્ત્રોમાંથી તેમના શરીરની શોભા પ્રગટ થતી હતી. ૧. ઘ7---અંબોડો (ત્નિ : સંત વેશ- રૂારરૂ૪) ૨, જુનવર:-રોમાંચિત શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૦૭
SR No.005718
Book TitleBharat Bahubali Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year2000
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy