SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ પરિચય : અયોધ્યાની બહાર ઉપવનોમાં મહારાજા ભરત પોતાના અંત:પુરની રાણીઓ સાથે વિવિધ પ્રકારની વનક્રીડા કરી રહ્યા હતા. ચંદ્ર સમાન મહારાજા ભરતની પાછળ-પાછળ ચંદ્રિકા સમાન સુંદરીઓ આવી રહી હતી, કોઈના હાથમાં પંચવર્ણ પુષ્પોના પંખા હતા, કોઈ મહારાજા પર છત્ર ધારણ કરી રહી હતી. જલક્રીડા કરવાની ઇચ્છાવાળા મહારાજા ક્રીડા સરોવરમાં પધાર્યા. તેની પાછળ અંગનાઓ પણ એ સરોવરમાં પ્રવેશી. રમણીય સરોવરમાં રાજા સાથે વિવિધ પ્રકારની જલક્રીડા કરતી રાણીઓના કેશપાશ પણ છૂટી ગયા ને વેણીમાંથી છૂટાં પડેલાં ફૂલો પાણી પર તરતાં હતાં, તે આકાશમાં તારાની જેમ શોભતાં હતાં. આ પ્રમાણે જલક્રીડા કરીને ભીના વચ્ચે મહારાજા બહાર પધારે છે તે વગેરેનું વિસ્તૃત વર્ણન ગ્રંથકાર સાતમાં સર્ગમાં બતાવે છે. चक्रभृन् मृगदृशां मनोरथैरीरितोथ विजहार कानने | वल्लभाभिलषितं हि केनचिल्लुप्यते प्रणयभङ्गभीरुणा ? ||१|| ભરત ચક્રવર્તી સુંદરીઓની ઇચ્છાથી પ્રેરાઈને વનક્રીડા કરે છે. પ્રેમાળ પતિ પ્રિય પત્નીની ઇચ્છાને અનુસરે છે. ખરેખર પ્રેમમાં પરસ્પરની ઇચ્છાને મહત્ત્વ આપવું જોઈએ, અન્યથા પ્રેમભંગનો ભય રહેલો છે. पार्श्वपृष्ठपुरतः पुरन्ध्रिभिश्चक्रिणश्चरितुमभ्ययुज्यत । हस्तिनीभिरिव सामजन्मनोऽनोकहैकगहनोन्तरे वने ।।२।। નિબિડ વૃક્ષવાળા ઉપવનના મધ્યભાગમાં હાથણીઓ જેમ હાથીને ઘેરી લે તેમ સુંદરીઓએ ચારે તરફથી મહારાજા ભરતને ઘેરી લીધા. कामिनीसहचरस्य चक्रिणो, विभ्रम वनयुषो विलोक्य वै । ' तत्रपे त्रिदशराट् शचीसखः५, संचरंस्त्रिदिवकाननान्तरे ||३|| .. સ્ત્રીઓની સાથે રમણીય ઉપવનમાં વનવિહાર કરતા ભરતને જોઈ દેવલોકના નંદનવનમાં ઇન્દ્રાણીઓ સાથે વનવિહાર કરતા ઇન્દ્ર પણ લજ્જિત બની ગયા. स्मेरपुष्पकरवीर वीरुधा, मातरिश्व परिधूतपत्रया । संवितन्वदिव पार्श्वयोर्द्धयोश्चामरश्रियममुष्य चक्रिणः ||४|| ૧. મનોરથે - I २. अभ्ययुज्यता-उद्यमः क्रियतेस्म । રૂ. સામાન્મા-હાથી (માતાવારણની શાનયોન :- ૪ ર૮૩) ૪. વિશ્વ-શોમાનું ! ५. शचीसखा-शची-इन्द्राणी सखा अस्ति यस्य सः शचीसखा-इन्द्राणीसहितः | ૬. વીર-કણેર (વી યાર-ગામ કારરૂ) ૭. વીથ (વીરા)-ઘણી શાખાવાળી લતા(ન્જિન્યુનાવીઘા - કમ કાવ૮૪) : ૮. કાતરિશ્વા-વાયુ ( નાગ્યા ના મ૦ ૪ ૧૭૩) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૯૪
SR No.005718
Book TitleBharat Bahubali Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year2000
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy