SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫. પરામર્શ... ૩/૬. ન્યા. મં... આ પ્રસ્તુત ન્યાયનો ઉલ્લેખ કરતાં ભૂતવશ્વાશશે (૫-૪-૨) સૂત્રની ત. પ્ર. બુ. વૃ. માં કહેલું છે કે, “સામાચીતિશે વિશેષાતિરેશન - ઇસ્તનપોક્ષે ર ભવતઃ આમ - આ ન્યાયથી - સામાન્યનો જ અતિદેશ થવાથી ભૂતકાળ સામાન્યમાં વિહિત અદ્યતની - વિભક્તિનો જ અતિદેશ | ભલામણ થાય. આથી વિશેષરૂપે ભૂતકાળમાં વિહિત હોવાથી હ્યસ્તની અને પરોક્ષા વિભક્તિ-પ્રત્યય ન થાય. આવો ન્યાય છે - એનો વ્યાખ્યાથી,ટીકાથી જ ખ્યાલ આવે છે, એમ પૂર્વોક્ત સૂત્રના ન્યા. સા. સમુદ્ધાર - લઘુન્યાસમાં કહેલું છે. આમ આનું કોઈ જ્ઞાપક સૂત્રમાં નથી. આ ન્યાયનો ઉપયોગ નાડ દ્યતન: પ્રવજ્યાડડસત્યો: (પ-૪-૫) સૂત્રમાં પણ કરેલો છે. એ સૂત્રથી પ્રબંધ = સાતત્ય અને આસત્તિ = કાળની અપેક્ષાએ સમીપતા જણાતી હોય ત્યારે ધાતુથી “અનદ્યતન અર્થમાં વિહિત પ્રત્યયનો નિષેધ કરેલો છે. અહીં ભૂતકાળ સંબંધી અનદ્યતન કાળમાં સામાન્યથી હ્યસ્તની વિહિત છે, માટે તેનો નિષેધ થાય છે, એમ બુ વૃ. માં કહેલું છે. પરંતુ પરોક્ષત્વવિશિષ્ટ અનદ્યતન ભૂતકાળમાં વિહિત પરીક્ષા વિભક્તિનો નિષેધ થતો નથી. કારણકે તે પરોક્ષત્વવિશિષ્ટ અર્થમાં વિહિત હોયને વિશેષવિધિ છે.પૂર્વોક્ત (૫-૪-૫) સૂત્રના ન્યા. સા. સમુ. લઘુન્યાસમાં કહ્યું છે કે, “સામાન્યાતિશે વિશેષાશિઃ ન્યાયથી સામાન્ય – અનદ્યતન અર્થમાં વિહિત વિભક્તિ પ્રત્યયનો જ પ્રતિષેધ થાય છે, પણ વિશેષથી (પરોક્ષત્વવિશિષ્ટ) અનદ્યતન - અર્થમાં વિહિત પ્રત્યયનો પ્રતિષેધ થતો નથી. માટે “પરીક્ષા વિભક્તિનો પ્રતિષેધ થતો નથી.” આમ આ ન્યાય પણ જ્ઞાપકરહિત હોવા છતાં બૃહદ્રવૃત્તિ - આદિમાં નિર્દિષ્ટ હોવાથી તેમાંથી જ સમુચિત જાણવો. અથવા તો ભૂતવાડડરો (૫-૪-૨) સૂત્રમાં સામાન્યથી ભૂતવ” જ એમ કહ્યું, પણ વિશેષથી સામાન્યમૂતવત્' ઇત્યાદિરૂપે ન કહ્યું, તે આ ન્યાયની આશાથી | બળથી જ ઘટતું હોયને આ ન્યાયને જણાવે છે. આથી ‘પૂતવત્' એવા સામાન્ય નિર્દેશને અર્થાત્ વિશેષણ - રહિત નિર્દેશને જ આ ન્યાયના પણ જ્ઞાપક તરીકે કહી શકાય છે, એમ વિચારણીય છે. (૩૫) १२८. सर्वत्रापि विशेषेण सामान्यं बाध्यते 'તુ સામાન્ચન વિશેષ: // રૂ / ૬ / ન્યાયાઈ મા, ન્યાયાર્થ :- વ્યાકરણશાસ્ત્રમાં સર્વત્ર વિશેષવિધાન વડે સામાન્યવિધાનનો બાધ થાય છે, પણ સામાન્ય વિધાન વડે વિશેષવિધાનનો બાધ થતો નથી. આ પ્રયોજન :- તાર્કિકો = તર્કશાસ્ત્રજ્ઞો (નૈયાયિકો) ના મતે સામાન્ય અને વિશેષ એવા વિધાન વચ્ચે બાધ્ય - બાધકભાવનો વ્યવહાર નથી, પરંતુ વ્યાકરણશાસ્ત્રમાં તે છે, એમ જ્ઞાપન કરવા માટે આ ન્યાય છે. | સર્વત્રા - શબ્દનો અર્થ છે (૧) પ્રાપ્ત - અવસ્થામાં અને (૨) ભવિષ્યમાં પ્રાપ્ત થનારી અવસ્થામાં. આથી ઉદાહરણ બે વિભાગમાં થશે. ' ઉદાહરણ :- (૧) પ્રાપ્ત અવસ્થામાં બાધ્ય – બાધકભાવ :- : + ૩૫ર્થ = શેડ: I ૪૯૯
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy