SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૫૭, સ્વો. ન્યા.... પરામર્શ.... એ કોઈપણ વ્યંજનનો ‘સ્વ' (સંજ્ઞક) થતો નથી. આથી અનુસ્વારમાં ‘સ્વ’ એવા વિશેષણનો અસંભવ છે, જ્યારે અનુનાસિક (૬, અ, ળ, ન, મ) તો કોઈ વ્યંજનનો ‘સ્વ’ પણ હોય અને ‘અસ્વ’ પણ હોય. આથી અનુનાસિકના સ્વત્વનો સંભવ હોવાથી અને વ્યભિચાર પણ હોવાથી આ ન્યાય વડે તેનું જ (અનુનાસિકનું જ) ‘સ્વ' એવું વિશેષણ કહેવું સાર્થક છે. અને આમ હોયને સ્વૌ એવું વિશેષણ અનુનાસિકનું જ દર્શાવવું યોગ્ય છે. તો પણ દ્વિવચનવડે ઉભયનું વિશેષણ બતાવ્યું છે - તે ઉભય સાથે સંબંધ હોવામાં પણ આ ન્યાયથી સ્વયમેવ તે સ્વૌ એવું વિશેષણ અનુનાસિક સાથે જ સંબંધ ક૨શે, પણ અનુસ્વાર સાથે સંબંધ નહિ કરે, એવી આશાથી જ ઉભયનું વિશેષણ કરેલું છે. અનિત્યતા :- આ ન્યાય અનિત્ય હોવાથી કે વઘળી વેતિવ્યે । B. વગેરે પ્રયોગોમાં વાન્ પદોત્તર દ્વિત્વ સંખ્યાનું અભિધાન કરનાર દ્વિવચન - પ્રત્યયનો ( નો) પ્રયોગ અન્યથા અનુપપન્ન હોવાથી અર્થાત્ દ્વિત્વ સંખ્યાના અભિધાનના અભાવમાં દ્વિવચન પ્રત્યયનો પ્રયોગ અસંગત બની જવાથી - દ્વિવચન પ્રત્યયના પ્રયોગને દ્વિત્વસંખ્યાનો બોધક (અભિધાયક) માનવો જોઈએ. અને આવી સ્થિતિમાં બ્રહ્મન્ પદાર્થમાં દ્વિત્વ સંખ્યાનો વ્યભિચાર આવતો ન હોવા છતાં પણ દે એ પ્રમાણે દ્વિત્વ સંખ્યાવાચક વિશેષણ મૂકેલું છે - તેથી આ ન્યાયનો અહિ અનાશ્રય કરેલો જણાય છે. (૨/૫૭) સ્વોપજ્ઞ ન્યાસ ૧. અસંભવ હોય ત્યારે પણ વિશેષણનો પ્રયોગ તદિ (ન્યાયાદિ) શાસ્ત્રોમાં સંભવે છે. જેમકે અનુો વહિ । - ઉષ્ણતારહિત અગ્નિ. પરંતુ તે વિષય અહિ પ્રસ્તુત ન હોવાથી એ પ્રમાણે જણાવ્યું નથી. (૨/૫૭) પરામર્શ -- A. કહેવાનો ભાવ એ છે કે વિશેષણો બે પ્રકારે છે. (૧) સ્વરૂપ વિશેષણ :- સંભવમાત્ર હોય ત્યારે અપાતું વિશેષણ. આને ‘સ્વરૂપવિશેષણ’ કહેવાય છે. જેમ કે, કૃષ્ણા, જાળા: ગત્પત્તિ । અહીં કાગડાઓ કાળા હોવા જ સંભવે છે. સફેદ વગેરે વર્ણવાળા કાગડાઓ હોતા નથી. આથી જાજા: = (કાગડાઓ) નું હ્રા; એ પ્રમાણે વિશેષણ એ કૃષ્ણત્વ રૂપ ધર્મનો / વિશેષણનો સંભવ માત્ર હોતે છતે પ્રયોગ કરેલો છે. આથી આને સ્વરૂપ વિશેષણ - સ્વરૂપ માત્રને જણાવનારું = સ્વરૂપદર્શક વિશેષણ કહેવાય, પણ વ્યવચ્છેદક વિશેષણ ન કહેવાય. જ્યારે બીજું (૨) વ્યવચ્છેદક વિશેષણ :- સંભવ અસંભવ રૂપ વ્યભિચાર હોતે છતે અપાતું વિશેષણ છે. આને વ્યવએક કોઈનો નિષેધ = બાદબાકી કરનારું વિશેષણ કહેવાય છે. જેમકે, રસ્તા અશ્વા વાન્તિ ! અહીં ઘોડાઓ લાલ હોવા સંભવે છે અને નથી પણ સંભવતાં. કારણકે સફેદ વગેરે વર્ણવાળા પણ ઘોડા હોય છે. આથી ઘોડાઓમાં રક્તા: એવા વિશેષણાર્થનો અર્થાત્ લાલરંગનો સંભવ અને અસંભવ રૂપ વ્યભિચાર છે. આથી રસ્તા: એવું વિશેષણ 1 ૪૭૫ H -
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy