SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧૩. પરામર્શ. વ્યવધાનની ગણના કરવાથી પૂર્વના ૩ નો રૂ ન થાય. આનું કારણ પૂર્વે કહી જ ગયા કે જયાં અન્યત્ર કદાચિત એકવર્ણ વડે વ્યવધાન ન પણ થતું હોય ત્યાં આ ન્યાય લાગુ પડતો નથી. બોર્નોત્તસ્થાપવડવળે (૪-૧-૬૦) સૂત્રમાં તો વિયાવયિતિ | વગેરે રૂપોમાં અવ્યવહિત = વ્યવધાન રહિત પણ ૩૫ વર્ણ પરક અંતસ્થા રૂપ નિમિત્ત સંભવે છે. જેમકે, યિયાતિ | આથી ગુન્યાવતિ | માં ૩ નો રૂ કરવામાં વ્યવધાનવાળા અંતસ્થા(વ)ને નિમિત્તરૂપે લઈ શકાતો નથી. આ ન્યાયની અનિત્યતા (અનાત્યંતિકતા) જણાતી નથી. એટલે કે આ ન્યાય નિત્ય જ જણાય છે. (૨/૧૩) | સ્વોપણ વ્યાસ ૧. દ્રવ્યવાચક શબ્દોમાં તો તિત માં સ્વરથી પર અવ્યવહિત ૩ કારનો સંભવ પણ છે. માટે ગુણવાચક શબ્દમાં તેનો અસંભવ છે, એમ કહ્યું. (૨/૧૩) | પરામર્શ A. કહેવાનો આશય એ છે કે, બે પરિભાષા સૂત્રોથી અવ્યવહિત કાર્યની વ્યવસ્થા કરાઈ છે. ૧. પJખ્ય નિર્વિરે પરણ્ય (૭-૪-૧૦૪) એ પરિભાષાથી પંચમીવિભક્તિવડે નિર્દેશ કરેલો હોય ત્યારે જે કાર્ય થાય, (અર્થાત્ પંચમીથી નિર્દિષ્ટ જે કાર્ય હોય) તે અવ્યવહિત - અનંતર પરમાં હોય તેના સંબંધમાં જ થાય, પણ વ્યવહિત = પરંપરાએ પરમાં હોય તેના સંબંધમાં ન થાય. તથા ૨. સમસ્યા પૂર્વય (૭-૪-૧૦૫) એ પરિભાષાથી સપ્તમી વિભક્તિથી નિર્દિષ્ટ કાર્ય, અવ્યવહિત પૂર્વમાં જે હોય તેમાં જ થાય, પણ વ્યવહિત પૂર્વમાં હોય તેનાથી ન થાય. આમ ઉક્ત પરિભાષાઓથી વ્યવધાન હોય ત્યાં કાર્ય થવાની અપ્રાપ્તિ છે. પ્રસ્તુતમાં પ્રથમ પરિભાષાવડે જે અવ્યવહિત પરમાં ન હોય અર્થાત, વ્યવહિત પરમાં હોય તેનાથી પંચમી - નિર્દિષ્ટ કાર્યનો નિષેધ થતો હોયને, જે ઠેકાણે વિવક્ષિત કાર્ય અવ્યવહિત પરમાં રહેલ વર્ણાદિથી સંભવતું જ ન હોય, એટલે કે અવશ્ય કોઈને કોઈ વર્ષાદિનું વ્યવધાન થતું જ હોય, તેવા ઠેકાણે તે તે સૂત્રવડે વિહિત કાર્ય નિરર્થક બની જવાની આપત્તિ આવે છે. આમ ઉક્ત પરિભાષાનો આદર કરવાથી વર્ણના અવશ્ય વ્યવધાનવાળા કાર્યના વિધાનનું જે નિરર્થકપણું પ્રાપ્ત થાય છે, તેવા સ્થળે વ્યવહિત પરમાં રહેલ વર્ણાદિથી પણ તે તે કાર્ય થાય - એવી અનુમતિ આપવા માટે અને એ રીતે તે તે વિધિના નિરર્થકપણાને દૂર કરવા માટે આ ન્યાય છે. (૨/૧૩) क्लुप्तं व्याकरणं नवं विरचितं छन्दो नवं व्याश्रयाऽलङ्कारौ प्रथितौ नवौ प्रकटितं श्रीयोगशास्त्र नवम् । तर्क : संजनितो नवो जिनवरादीनां चरित्रं नवं, बद्धं येन न केन केन विधिना, मोह : कृतो दूरतः ॥ (શ્રી સોમપ્રભસૂરિકૃત શતાર્થ કાવ્ય - ટીકા. શ્લોક - ૯૩.) ' નવું વ્યાકરણ, નવું છન્દોનુશાસન, નવું યાશ્રય મહાકાવ્ય, નવીન અલંકારશાસ્ત્ર, યોગશાસ્ત્ર, પ્રમાણશાસ્ત્ર તથા નૂતન જિનેશ્વર દેવોના ચરિત્રોની રચના કરીને શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજીએ કઈ કઈ રીતે મોહને દૂર નથી કર્યો? અર્થાતુ સર્વ રીતે મોહને | (અજ્ઞાનને) દૂર કર્યો છે. = ૩૩૧ =
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy