SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ૧. પ્રત્યયાડપ્રત્યયો: પ્રત્યયચૈવ ॥ ૨ / ૨ ॥ ત્યાચાર્થ મંજૂષા ન્યાયાર્થ :- પ્રહળમ્ પદનો આ ન્યાય સાથે અને ઉત્તર ન્યાય સાથે સંબંધ કરવો. જે ઠેકાણે (વ્યાકરણસૂત્રમાં) વિવક્ષિત શબ્દ પ્રત્યય રૂપ અને અપ્રત્યય રૂપ સંભવતો હોય, ત્યાં પ્રત્યય રૂપ જ શબ્દ ગ્રાહ્ય સમજવો, નહિ કે અપ્રત્યય = પ્રત્યયભિન્ન રૂપ શબ્દ. પ્રયોજન :- સૂત્રમાં સામાન્યથી જ નિર્દેશ હોયને પ્રત્યય અપ્રત્યય બેયના ગ્રહણની પ્રાપ્તિ હોતે છતે પ્રત્યયનું જ ગ્રહણ કરવું, એવી વ્યવસ્થા કરવા / જણાવવા માટે આ ન્યાય છે. આ પ્રમાણે આગળના ત્રણ ન્યાયોમાં પણ ઉભયની પ્રાપ્તિમાં અન્યતર (બેમાંથી એક) ની પ્રાપ્તિની વ્યવસ્થા કરવા રૂપ પ્રયોજન જાણવું. ઉદાહરણ :- જાનાત્તનતરતમાતે (૩-૨-૨૪) એ સપ્તમી અલ્પ્ વિધાયક સૂત્રમાં `તર, તમ શબ્દોથી તર (તરપ્) અને તમ (તમમ્) એવા પ્રત્યયનું જ ગ્રહણ કરવું, પણ તરતિ', ताम्यति इति અર્ પ્રત્યય લાગતાં (તર્ + ૩૬, તમ્ + ૬ =) તર, તમ એવા વ્યુત્પન્ન નામોનું ગ્રહણ ન કરવું. જ્ઞાપક ઃ- આ ન્યાયનું ખ્યાપક અર્થાત ્ બોધક - સૂત્રમાં સામાન્યથી ઉક્તિ જ છે. તે આ રીતે - તર, તમ એ અહિ પ્રત્યય રૂપે ગ્રહણ કરવા ઇષ્ટ છે, નામ રૂપે નહિ, કારણકે પૂર્વાનેતરામ્, પૂર્વાòતમામ્ । વગેરે પ્રયોગમાં પ્રત્યય રૂપ જ તર, તમ શબ્દ દેખાય છે. આથી નામ રૂપ તર, તમ શબ્દોના ગ્રહણનો નિષેધ કરવા માટે સૂત્રમાં પ્રત્યય રૂપ વિશેષણ સહિત તર, તમ શબ્દનું ગ્રહણ કરવું જોઇએ. તેમ છતાંય સૂત્રમાં જે સામાન્યથી ગ્રહણ કરેલું છે, અર્થાત પ્રત્યય રૂપ વિશેષણ વિના તર, તમ નું ગ્રહણ કરેલું છે, તે આ ન્યાય હોવાથી પ્રત્યય રૂપ જ તર, તમ શબ્દનું ગ્રહણ થશે, એવી આશાથી જ કરેલું છે. આમ તર તમ શબ્દનું સામાન્યથી ગ્રહણ આ ન્યાયને જણાવે છે. = અનિત્યતા :- આ ન્યાય અસ્થિર અનિત્ય છે. અને તેથી સ્ત્રીવૃત: (૧-૪-૨૯) વગેરે સૂત્રમાં નારીસહીપ ૠબ્રૂ (૨-૪-૭૬) ઇત્યાદિ નૈ પ્રત્યયાંત શબ્દો જેમ ગ્રહણ કરવા યોગ્ય છે, તેમ તરી વગેરે શબ્દો કે જે ઉણાદિ પ્રત્યયાંત હોયને અવ્યુત્પન્ન છે અને તેથી વસ્તુતઃ પ્રત્યયએવા ફૂંકારાંત શબ્દો પણ પૂર્વોક્ત સૂત્રમાં ગ્રાહ્ય બનેલાં છે. રહિત છે - આ ન્યાયની અનિત્યતાનું જ્ઞાપક છે, ધાતોરિવર્ગોવર્ણસ્યેયુવ્ સ્વરે પ્રત્યયે (૨-૧-૧૦) સૂત્રમાં સાક્ષાત્ પ્રત્યયનું ગ્રહણ. જો આ ન્યાય નિત્ય હોત તો સ્વરે એટલું કહેવાથી સ્વરાદિ પ્રત્યયનું જ ગ્રહણ થશે, સ્વરાદિ નામનું નહિ, માટે પ્રત્યયે એમ કહેવાની જરૂર જ નથી. છતાં જે પ્રત્યયે એમ વિશેષણનો નિર્દેશ કરેલો છે - તે આ ન્યાયના અનાશ્રયથી જ સાર્થક હોયને આ ન્યાયની અનિત્યતાની જણાવે છે. (૨/૨) ૨૯૬
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy