SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ કરનારાઓ અને તે દ્વારા બનતાં તજ્ઞ મહાત્માઓથી જ થવાની છે. માટે સારા ક્ષયોપશમવાળા, વૈર્યવાળા અને આ વિષયની રૂચિવાળા આત્માએ ગુર્વાજ્ઞાપૂર્વક આ વિષયનું અધ્યયન કરવું ખૂબ ઉચિત લાગે છે. વ્યાકરણની આવશ્યકતા કોઈ બ્રાહ્મણે પોતાના આળસુ પુત્રને સલાહ આપતાં કહ્યું છે કે, यद्यपि बहु नाधीषे तदपि पठ पुत्र ! व्याकरणम् । વનના શ્વાનો માં ભૂત, સનં – સ ત્ છે ? વત્સ ! જો કે તું ઘણું ભણવાનો નથી. તો પણ વ્યાકરણ તો ભણજે જ. જેથી “સ્વજન'નું શ્વજન' (કૂતરો), “સકલ'નું “શકલ' (ટુકડો) અને સકૃત (એકવાર) નું “શકૃત ' (વિષ્ઠા) ન થઈ જાય !! (અર્થાત સ ને બદલે આ લખાઈ જવાથી પૂર્વોક્ત અનર્થ ન સર્જાય તે માટે કમસે કમ વ્યાકરણ તો ભણજે જ.) - વ્યાકરણશાસ્ત્રથી સાધુ શબ્દોની સિદ્ધિ અને બોધ થાય છે. અને તેથી સાધુ (શિષ્ટ) અને અસાધુ (અશિષ્ટ – અપશબ્દો) નો વિવેક પૈદા થાય છે. વળી તે શબ્દોના અર્થનું જ્ઞાન પણ વ્યાકરણથી જે થાય છે. કારણ કે અર્થ વિશેષમાં જ તે તે પ્રકૃતિથી તે તે પ્રત્યય લાગતાં હોય છે. જેમ કે, ની ધાતુથી “કર્તા અર્થમાં વૃત્ પ્રત્યય લાગતો હોવાથી બનેલાં નેતા ! રૂપનું લઈ જનાર - દોરનાર' એવો અર્થ જણાઈ જાય છે. વસ્તુતઃ શિષ્ટ - લોકમાં જે શબ્દો સાધુ / શિષ્ટ તરીકે પ્રસિદ્ધ છે, તેનું જ અન્વાખ્યાન | અનુવાદ વ્યાકરણ શાસ્ત્રમાં કરાય છે. આથી લોકથી પણ શબ્દોનું જ્ઞાન થઈ શકે છે. તેમાં કેટલાંક (૧) સાધુ શબ્દો છે, કેટલાંક (૨) અપશબ્દો છે, તો કેટલાંક (૩) મિશ્ર, એમ ત્રણ પ્રકારના શબ્દો છે. તેમાં પ્રત્યેક સાધુ - શબ્દોના ઘણા અપભ્રંશ હોય છે. જેમ કે, જે શબ્દના બાવી, જેની, ગોતા, પોતતિક્ષા વગેરે. તેમાં “:' એવા પ્રયોગનો વ્યાકરણશાસ્ત્રથી ઉપદેશ આપવાથી, ‘વી વગેરે અપશબ્દો છે', એમ જણાઈ જાય છે. આ પ્રમાણે સાધુ / અસાધુ બનેય પ્રકારના શબ્દોનો બોધ વ્યાકરણશાસ્ત્રથી થાય છે. તેમાં પણ નૌ, અશ્વ, પુરુષ: એમ પ્રત્યેક શબ્દનો નિર્દેશ કરાય તો શબ્દો અનંત હોવાથી તે શબ્દ - પારાયણનો પાર જ ન આવે. આથી સાધુ - શબ્દોનો ઉપદેશ | પ્રરૂપણા કરવામાં તે તે શબ્દોના સામાન્ય – વિશેષ લક્ષણો જ કહેવા જોઈએ. કારણ કે આ જ સરળ અને સંક્ષિપ્ત ઉપાય છે. આ જ ઉપાય વ્યાકરણમાં અપનાવેલો છે. માટે શબ્દનું જ્ઞાન વ્યાકરણથી જ કરવું સરળ છે, લોકથી નહીં. વ્યાકરણના અભ્યાસથી શબ્દોની વ્યુત્પત્તિનો ખ્યાલ આવે છે અને તેથી વ્યાકરણવિદ્ એવા શાસ્ત્રકાર ભગવંતોએ કરેલા પ્રયોગનો યથાર્થ અર્થ કરવામાં સમર્થ બનાય છે. જો કે સંસ્કૃત વામનો યથાર્થ અર્થ કરવામાં અન્ય પણ - ન્યાય, કાવ્ય, કોષ, પ્રકરણાદિનો બોધ ઉપયોગી છે, તો પણ કોઈપણ સંસ્કૃત વાડ્મયના - સમ્યગ અર્થનો પ્રકાશ થવામાં વ્યાકરણનો બોધ એ પ્રધાન સાધન છે. “અભિધાન ચિંતામણિ' કોષના પ્રથમ શ્લોકગત સિદ્ધશિલાનુશાસિનઃ એવા વિશેષણ પદનું પ્રયોજન સ્પષ્ટ કરતાં તેની સ્વોપજ્ઞ - વૃત્તિમાં સ્વયં ક. સ. આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ કહેલું છે કે, શબ્દાનુશાસન ૨ વીર્તન - તવથીઃ સર્વવિદાન પ્રર્ષ તિ પ્રદર્શનાર્થમિતિ ા “સિદ્ધ (પૂર્ણ) થઈ ચૂકેલ શબ્દાનુશાસનવાળો હું કોષની રચના કરું છું એ પ્રમાણે જે “શબ્દાનુશાસન'નું કથન કરેલું છે, “તે શબ્દાનુશાસનના | વ્યાકરણશાસ્ત્રના બોધથી સર્વ વિદ્યાનો પ્રકર્ષે કરીને બોધ થાય છે.” એવું જ્ઞાપન કરવા માટે છે. આ =
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy