SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૬. સ્વો. ન્યા.. | પરામર્શ... રોપણ વ્યાસ ૧. વત્ - પ્રત્યય કરવાથી ધાતુનું અનુકરણ સવથા ધાતુરૂપે ન થાય. આથી એવા અનુકરણ શબ્દથી ત્યાદિ - વિભક્તિ પ્રત્યયો ન થાય, એમ કહ્યું. કહેવાનો ભાવ એ છે કે કૃત - પ્રકરણોક્ત સૂત્રોવડે ત્યાદિ - પ્રત્યયો ધાતુથી વિહિત છે. કારણ કે વાતો: ક્લાર્ક (૩-૪-૮) સૂત્રથી જાતો: એ પ્રમાણે અધિકાર, કૃસૂત્રોમાં પણ અનુવર્તે છે. આમ ઝી રૂપ અનુકરણ જો સવથા પ્રકૃતિરૂપે થાય તો ત્યાદિપ્રત્યયોની પ્રાપ્તિ છે. પણ અનુકરણ શબ્દ એ સર્વથા પ્રકૃતિવત, ન થવાથી ત્યાદિપ્રત્યયો થતાં નથી. (૧/૬). પરામર્શ A અહિ ન્યા. મ. ટીકામાં આ ન્યાયનું પ્રયોજન કહેલ નથી. આથી તે વિષયમાં અને અન્ય વિષયમાં વિચારણા કરાય છે. અનુકાર્ય શબ્દ અને અનુકરણ શબ્દ એ બે પરસ્પર સાપેક્ષ = એકબીજાની આકાંક્ષાવાળા (અપેક્ષા રાખનાર) શબ્દો છે. અનુકરણ = એટલે કોઈપણ ઉચ્ચરિત શબ્દને જણાવવા માટે કરાતો શબ્દ પ્રયોગ – અનુકરણ કહેવાય. અને અનુકાર્ય = એટલે જેનું અનુકરણ કરાય છે, અર્થાત્ અનુકરણ શબ્દવડે જણાવવા યોગ્ય = અભિધાન કરવા યોગ્ય – ધાતુ વગેરે “શબ્દરૂ૫ અર્થને અનુકાર્ય કહેવાય. અથવા જેના વડે અનુકરણ કરાય - (ધાત્વાદિ શબ્દરૂપ અર્થ જણાવાય) તે શબ્દ - પ્રયોગને અનુકરણ કહેવાય. જેમ કે, સુનો નમ્રાશ અછત: | એવા ઉચ્ચારેલ વાક્યનું કોઈવડે ઉચ્ચારણ કરાયા બાદ, શબ્દનો અર્થ નહીં જાણનાર કોઈ વ્યક્તિએ બીજી વ્યક્તિને પૂછયું કે, અમુક માણસે સૂક્ષ્મળ શબ્દ પછી ઉચ્ચારેલ વ શબ્દ ક્યા અર્થમાં વર્તે છે ? ત્યારે બીજી વ્યક્તિ કહેશે - : સમુદ્દે વર્તતે . “' શબ્દ સમુચ્ચય અર્થમાં છે. પૂર્વવાક્યમાં જો કે “ઘ' શબ્દનો અર્થ સમુચ્ચય (અને) છે. અને આથી રામ અને લક્ષ્મણ જાય છે', એમ અર્થ છે, તો પણ વાક્યોચ્ચારણ બાદ “વ શબ્દ કયા અર્થમાં છે? એવા પ્રશ્નના જવાબમાં વ: મુખ્ય | એવા વાક્ય પ્રયોગમાં ૨ નો અર્થ “વ શબ્દ છે, નહિ ક સમુચ્ચય.' આથી “વ શબ્દ સમુચ્ચય અર્થમાં છે', એમ અર્થ થશે. આ ઉદાહરણમાં પ્રથમ - વાક્યગત (તક્ષ્મળશ એમ) શબ્દ એ અનુકાર્ય છે અને તેનો અર્થ સમુચ્ચય' છે. તથા વ: સમુન્વયે | એમ બીજા વાકયમાં શબ્દ એ અનુકરણ શબ્દ છે. એનો “વ - શબ્દ' એવો અર્થ છે. આ પ્રમાણે બન્નેય શબ્દ વચ્ચે અર્થનો ભેદ સ્પષ્ટ જણાય છે. અને આથી જ વ શબ્દની વાતોડસર્વે (૧-૧-૩૧) સૂત્રથી અસત્ત્વ = અદ્રવ્ય અર્થમાં અવ્યય સંજ્ઞા કરેલી હોવાથી અને સમુચ્ચયરૂપ - અસત્ત્વ અર્થમાં પ્રયોગ કરેલો હોવાથી, પ્રથમ વાક્યમાં અવ્યયસંજ્ઞા થતી હોયને તક્ષ્મળશ એમ ૨ શબ્દથી આવેલી વિભક્તિ પ્રત્યાયનો કાર્ગે (૩-૨-૮) સૂત્રથી લોપ થયો. પણ વ: સમુ | માં ૨ નો પ્રયોગ “શબ્દરૂપ' સત્ત્વ અર્થમાં હોવાથી અવ્યયરૂપે ન હોવાથી, વિભક્તિનો લોપ પણ થશે નહિ. વાયોડત્વે (૧-૧-૩૧) સૂત્રની ત.પ્ર.બુ.કૃ.માં પણ પ્રત્યુદાહરણ આપતાં કહેલું છે કે, અત્ત્વ ત - અસત્ત્વ અર્થમાં જ વાદ્રિ શબ્દો અવ્યય થાય એવું શા માટે ? તેના જવાબમાં એ કહેલું છે કે, જ્યારે અનુકાર્ય વગેરે રૂપ સત્ત્વ (દ્રવ્ય) અર્થમાં વર્તમાન હોય ત્યારે વાદ્રિ શબ્દોની અવ્યય સંજ્ઞા ન થાય, જેમ કે વ: સમુન્ન, વ ૩૫મામ્ | વગેરે. અહિ વ શબ્દ એ “ર શબ્દ રૂપ (અનુકાર્ય) ૧૫૭.
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy