SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ કંઈક.... ધ્યાનમાં રાખવા જેવું... સૂત્રમાં રજૂ વગેરે રા રૂપવાળા ધાતુનું ગ્રહણ દેખાવાથી ત્યાં આ ન્યાયાંશ પિંજ્ઞા' અનિત્ય બનેલો છે. (કારણ કે નિત્ય હોત તો તા સંજ્ઞાનું જ ગ્રહણ થાત.) પણ ફક્ત અન્વયરૂપ વ્યાપ્તિ હોવાથી તે તે હેતુઓ (જ્ઞાપકો) સાધ્યની (ન્યાય – અનિત્યતાદિની) સિદ્ધિ કરી શકતાં નથી. એટલે કે તે તે જ્ઞાપકો (ા રૂપગ્રહણનું વિધાન વગેરે) સાધ્યની (વિવક્ષિત ન્યાયાંશ “અશબ્દસંજ્ઞા’ની અનિત્યતાદિની) સિદ્ધિ = અનુમાન કરાવી શકતાં નથી. કારણ કે અન્વયમાત્રથી સાધન = જ્ઞાપકહેતુથી પૂર્વોક્ત સાધ્યની સિદ્ધિ માનીએ, તો ચકીવત = ગર્દભ પાસે ઉભો હોય ત્યારે કાપડનો તાકો (પટ) તૈયાર થયેલો જોઈને તે ગદંભને પણ કાપડનો તાકો તૈયાર થવામાં (પટરૂપ કાર્યની ઉત્પત્તિમાં) કારણ માનવાનો પ્રસંગ આવે. હકીકતમાં તો વણકરની શાળા પાસે ગર્દભ ઉભો ન હોય તો પણ પટની ઉત્પત્તિ થાય જ છે. ગર્દભ ન હોય તેનો અભાવ હોય) તો પટની ઉત્પત્તિનો અભાવ થાય એવો વ્યતિરેક - નિયમ (વ્યાપ્તિ) નથી. માટે પટની ઉત્પત્તિ પ્રત્યે કાંઈ ગદભને તેની હાજરી (અન્વય) માત્રથી કારણ ન કહેવાય. આ રીતે પ્રસ્તુતમાં પણ જે જ્ઞ% (૫-૧-૭૯) સૂત્રની ટીકામાં ટ્રા રૂપના ગ્રહણના વિધાનરૂપ જ્ઞાપક (હેતુ) છે - તેમાં પૂર્વોક્ત રીતે વ્યતિરેક વ્યાપ્તિ (નિયમ) ઘટતી ન હોવાથી તે વિધાનને આ ન્યાયના દ્વિતીયાંશ “અશબ્દસંજ્ઞાની” અનિત્યતાનું તાત્ત્વિક = વાસ્તવિક જ્ઞાપક કહેવાનું શક્ય નથી. (પ્રશ્ન :- તો પછી તેવા અન્વયમાત્રરૂપ હેતુઓ = જ્ઞાપકો અતાત્ત્વિક હોયને પૂર્વોક્ત સાધ્યની સિદ્ધિ કરાવી શકતા ન હોય તો ગ્રંથકારે ટીકામાં શા માટે દર્શાવ્યા છે ? જવાબ :-) હા, 77 રૂપગ્રહણનું વિધાન - વગેરે (અન્વયમાત્રરૂપ) જ્ઞાપકો તાત્ત્વિક ન હોવા છતાં વ્યાવહારિક સાધન = જ્ઞાપકહેતુ જરૂર બની શકે છે. આથી જ અહિ ન્યાયમંજૂષા - ટીકામાં પૂર્વોક્ત | વગેરે રા રૂપના ગ્રહણના વિધાનને “અશબ્દસંજ્ઞા' ન્યાયાંશની અનિત્યતાના જ્ઞાપક (હેતુ) તરીકે દર્શાવ્યું છે. અથાત વ્યાવહારિક = શૂલથી “અશબ્દસંજ્ઞા' ન્યાયાંશની અપ્રવૃત્તિરૂપ અનિત્યતાનું જ્ઞાપક બની શકવાથી તે દશાવેલું છે. અને આવું વ્યાવહારિક જ્ઞાપકત્વ ઘટી શકવાથી જ (૧) કુન્યનિર્દિષ્ટ ચતુf (અનુબંધનિર્દિષ્ટકાર્ય યડુલુપુમાં ન થાય) એ (૧/૧૮) ન્યાયાંશની (૨) ઉત્તરાધિકાર પ્રત્યયને પ્રત્યયમાત્રચ્ચેવ પ્રહ ન તત્તર્ણ (૨/૧૭) ન્યાયાંશની અને (૩) T-H-રપ્રદMવિષ: (૨/૨૦) એ ન્યાયના પ્રથમાંશ (- Twળsવિશેજ:) ની અનિત્યતા અતાત્ત્વિક હોવા છતાંય (વ્યાવહારિક ઉદાહરણ - જ્ઞાપકાદિ હોવાથી) તે ઉદાહરણ - જ્ઞાપકાદિ આગળ કહેવાશે. અને તે તે ન્યાયની અનિત્યતાનું ઉદાહરણ – જ્ઞાપક વગેરેનું સ્થાન શૂન્ય (ખાલી) ન રહે તે માટે તે તે ઠેકાણે તે તે પ્રકારે (વ્યવહારમાત્રથી પણ) ન્યાયની અનિત્યતાના ઉદાહરણ અને જ્ઞાપકનું ઉદ્દભવન કરાશે. સારાંશ :- ન્યાયાર્થમંજૂષા વૃત્તિના ગ્રંથકાર શ્રી હેમહંસગણિજીવડે સ્વપજ્ઞન્યાસમાં પ્રગટ કરાયેલ આ સમાધાનગ્રંથ, એ તે તે સ્થળે તે તે સૂત્રની ટીકામાં ઉઠનારી તે તે ન્યાયસૂત્રની અનિત્યતાના - ઉદાહરણ અને જ્ઞાપકના અતાત્ત્વિકપણાની શંકાનું નિરાકરણ કરવા માટે અતિમહત્ત્વનો છે. જયારે પણ ન્યાયની અનિત્યતાના ઉદાહરણ અને જ્ઞાપક સંબંધી અતાત્ત્વિકપણાની શંકા પડે - ત્યારે સ્વયં ગ્રંથકારે અત્ર કહેલ સમાધાન વિચારવું. સ્વયં ગ્રંથકારે = વૃત્તિકારે જે જ્યારે પોતે ન્યાયવૃત્તિમાં આપેલાં તે તે ન્યાયની અનિત્યતાના ઉદાહરણ અને જ્ઞાપક કોઈક ઠેકાણે તાત્ત્વિક નથી, પણ વ્યવહારમાત્રથી = બાહ્ય રીતે તે તે ન્યાયની કોઇને કોઇ અન્ય કારણસર અપ્રવૃત્તિમાત્રરૂપ જ છે, એમ કહેલું છે. અને જો તે અન્ય કારણોનો અભાવ હોત તો ન્યાયની પ્રવૃત્તિ પણ થાત. આથી, કોઈક ઠેકાણે કોઇપણ કારણસર ન્યાયની અપ્રવૃત્તિમાત્રને જ અમે અનિત્યતાના ઉદાહરણાદિ તરીકે જણાવેલાં છે, એ પ્રમાણે સ્વીકાર કરી - - ૧૩૩
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy