SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ યથાસંખ્ય - સંખ્યાના ક્રમથી સંબંધ કરવાનો નિયમ કરે છે, ઈત્યાદિ પ્રયોજન છે. તો પણ તેને યથાયોગ્ય પ્રથમાદિ પ્રકારમાં સમજી લેવું. કેટલાંકના બે પ્રયોજનો પણ સંભવે છે. અસિદ્ધ વરિ૬૦ (૧/૨૦) ન્યાય રૂપસિદ્ધિમાં ઉપયોગી છે અને બહિરંગ કાર્યની નિર્બળતા પણ જણાવે છે. 7 સ્વરાનન્તયેં (૧/૨૧) ન્યાય પ્રાપ્ત કાર્યનો નિષેધ તો કરે જ છે. અને રૂપસિદ્ધિમાં પણ ઉપયોગી બને છે. આ પ્રમાણે અન્યત્ર વિચારી લેવું. આમ ન્યાયો મુખ્યત્વે સૂત્રાર્થની વ્યવસ્થામાં અથવા તો રૂપસાધનકામાં | પ્રક્રિયામાં ઉપયોગી બને છે. વસ્તુતઃ સૂત્રાર્થની વ્યવસ્થા થવાથી સ્થાની વગેરેના ગ્રહણનો નિશ્ચય થાય છે. અને પછી તે સ્થળે સૂત્રોક્ત કાર્ય થાય છે અને પછી રૂપસિદ્ધિ થાય છે. આ રીતે સાક્ષાત્ કે પરંપરાએ સર્વ ન્યાયોનું પ્રયોજન શબ્દસિદ્ધિ – રૂપસિદ્ધિ જ છે. કારણ કે ન્યાયો પણ વ્યાકરણને અનુકૂળ સહકારી હોવાથી વ્યાકરણશાસ્ત્રનું જે પ્રયોજન છે - સાધુ એવા શબ્દોની કે રૂપોની સિદ્ધિ, સાક્ષાત્ કે પરંપરાએ એ જ પ્રયોજન ન્યાયોનું પણ કહેવું અસંગત નથી. આ પ્રમાણે જુદાં જુદાં અનેક પ્રયોજનવાળા હોયને આ ન્યાયોની વ્યાકરણમાં અનિવાર્ય આવશ્યકતા પ્રતીત થાય છે. આ ન્યાયોમાં જ પરસ્પર ઘણી વખત બાધ્ય - બાધકભાવ = સામાન્ય - વિશેષભાવ હોય છે. જેમકે, પ્રહળવતા નાના૦ (૨/૧૮) ન્યાયનો અપવાદ બાધક સુસર્વા દ્ધશિદ્ધેયો નનપવસ્થ (૧/૨) વગેરે બે ન્યાયો છે. આ પ્રમાણે તિવા શવાનુવન્ધન૦ (૧/૧૮), ન સ્વાનન્તયેં (૧/૨૧), વિનુમયતિ: (૧/૨૪), નાન્દાવીયમાનનિવૃત્તૌ પ્રધાનસ્થ (૧/૩૧) પ્રધાનસ્થ તુ સાપેક્ષત્પ્રેડપિ સમાસઃ (૨/૨૯) વગેરે ૨ ઢ્ઢાયો, ઈત્યાદિ અનંતર પૂર્વવર્તિ ન્યાયોના બાધક છે. તથા અન્તર હિંદ્દાત્ (૧/૪૨) એ સામાન્ય / ઉત્સર્ગ ન્યાયથી અંતરંગવિવિધ બળવાન છે. પણ તેનો બાધ કરીને કેટલાંક ન્યાયો બહિરંગ કાર્યની પણ બળવત્તા જણાવે છે. દા. ત. વાત્પ્રિાકૃતમ્ (૧/૪૪), તુવન્તરહે: (૧/૪૭) અને અન્તરઙ્ગાન્તાનવાશમ્ (૧/૫૪) આ ન્યાયોથી ક્વચિત્ બહિરંગ કાર્ય પણ બળવાન બને છે અર્થાત્ પહેલાં કરાય છે. અનવકાશ વિધિ સર્વથી બળવાન હોવાથી નરવાાં સાવાશાત્ (૨/૪૩) અને અન્તરઙ્ગાવ્વાનવાશમ્ (૧/૫૪) ન્યાયનો કોઈ અપવાદ નથી. આજ રીતે અનિત્યતા જણાવનારા સમાજ્ઞાન્તામસંજ્ઞાશાજ૦ (૧/૩૫) વગેરે ન્યાયો વાસ્તવમાં અનિત્ય બનતાં નથી, છતાં, અમુક અપેક્ષાએ અનિત્ય બની શકે છે ઈત્યાદિ વિચારણા સારી રીતે કરવામાં આવશે. - તથા બિંદું સુબદ્ધ મતિ (૧/૩૬) વગેરે ૧૧ ન્યાયો એ સર્વ વાચં સાવધરમ્ (૨/૫૮) ન્યાયની અનિત્યતા જણાવનારા છે. અર્થાત્ તેનો બાધ કરનારા છે. આવી બાધ્યબાધકભાવ વગેરે ન્યાયોના પરસ્પર સંબંધને જણાવનારી ઘણી બધી હકીકતો ગ્રંથકારે આપેલી છે. અને જે ન આપેલી હોય તેનો પણ સ્વયં ઉહાપોહ કરવા યોગ્ય છે. ન્યાયોની મૌલિકતા ‘ન્યાયસંગ્રહ’માં સંગૃહીત તમામ ન્યાયો સિદ્ધહેમ વ્યાકરણમાં નિર્દિષ્ટ છે અને તેનો યથાયોગ્ય એક કે અનેક સ્થળે ઉપયોગ કરેલો છે. આ ન્યાયોમાંથી ૫૭ ન્યાયો તો સ્વયં આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ ‘તત્ત્વપ્રકાશિકા’ બુ. વૃં. ના પ્રાન્તે દર્શાવેલાં છે. અને બાકીના ૮૪ ન્યાયો જે ૫. પૂ. હેમહંસગણિવર વડે સંગૃહીત છે, તે પણ પ્રાયઃ મૂળ શાસ્ત્રકાર આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીને સંમત જ છે. કારણકે તેમણે રચેલી તત્ત્વ પ્રકાશિકા બૃહવૃત્તિ, શબ્દમહાર્ણવ બૃહન્યાસ અને ધાતુપારાયણમાં મોટા ભાગના ન્યાયો મળી આવે છે. કેટલાંક ન્યાયો ન્યાસસાર સમુદ્ધાર નામના લઘુન્યાસમાં દષ્ટિ ગોચર થતાં હોયને તેમાંથી ૧૮
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy