SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપશન્યાસનો સવિવેચન ગુર્જરીનુવાદ. પાછળથી કરવામાં આવ્યું હોય, ત્યાં આ ન્યાય લાગે છે. આને “સૂચિકટાહન્યાય' કહેવામાં આવે છે. દા. ત. સમાસાત્તાધિકારમાં કાકાન્ત: (૭-૩-૧૬૯) સૂત્રથી “હવે સમાસાંત પ્રત્યયો કહેવાશે” એ પ્રમાણે નિર્દેશ કરીને પછી વિધિપૂર્વક નિષેધ કહેવો જોઈએ - વિધપૂર્વક નિવેદ: | એ ન્યાયથી પહેલાં સમાસાંતનું વિધાન કરવું જોઈએ. તેમ છતાં ખૂબ જ અલ્પ વિષય હોવાથી જ જિ: ક્ષે (૭-૩-90) વગેરે ચાર સૂત્રો વડે પહેલાં સમાસાંત - નિષેધ કહ્યો અને પછી સમાસાંતે વિધાયક સૂત્રો કહ્યાં છે. તે આ ન્યાયના આધારે જ કહ્યા છે. (૨) કાકાગિોલક ન્યાય - જેમ કાગડાની એક જ આંખમાં રહેલો ગોલક પ્રયત્નાનુસારે બન્નેય ચક્ષુના છિદ્રોમાં જાય છે, એવી લોકોક્તિ છે. અથવા (૩) ડમરુકમણિન્યાય :- જેમ ડમરુ નામનું વાઘ જે મદારી વગેરે પાસે હોય છે, તે વગાડવામાં આવે ત્યારે તેની દોરી સાથે બાંધેલો મણિ બન્નેય બાજું અથડાવા દ્વારા તે ડમસ્કાર (ડમત ડમત અવાજ) ઉત્પન્ન કરે છે. અથવા (૪) ઘંટાલાલાન્યાય - જેમ ઘંટ વગાડવામાં આવે ત્યારે ઘંટની મધ્યમાં રહેલ લાલા = ગોળો બન્ને બાજુ એથડાઇને ધ્વનિ ઉત્પન્ન કરે છે. તેવી જ રીતે ગ્રંથમાં જ્યાં વચ્ચે રહેલું એક જ પદ પૂર્વમાં રહેલ વાક્ય સાથે પણ સંબંધ કરે અને આગળ રહેલ વાક્ય સાથે પણ સંબદ્ધ થઈને અથને જણાવે છે, ત્યારે આ ત્રણમાંથી કોઈ એક ન્યાય લાગે છે. આ છેલ્લાં ત્રણેય ન્યાયોનો = દષ્ટાંતોનો ભાવ એક જ હોવાથી તેનું એક જ ઉદાહરણ કહેવાય છે. તે આ પ્રમાણે છે. તત્રાવાય મિત્તેર પ્રહૃતિ સ્વરૂપેન કુડચ : (૩-૧-૨૬) સૂત્રમાં ‘મિથ:” પદ પહેલાં તત્રાલય એવા પૂર્વ વાક્ય સાથે સંબંધ કરે છે અને પછી તેનું પ્રદંચ એવા આગળના વાક્ય સાથે પણ સંબંધ કરે છે. તે આ પ્રમાણે - તત્ર મિથ સાથ (તેને વિષે પરસ્પર પ્રહણ કરીને) અને તેને fપથઃ પહૃત્ય (તેના વડે પરસ્પર પ્રહાર કરીને) એવા સ્વરૂપે કરેલાં યુદ્ધ અર્થમાં અવ્યયીભાવ સમાસ થાય છે. જેમ કે, ઝોકું મિથ મારાય કૃતં યુદ્ધ શાશિ યુદ્ધમ્ / ૬ પુ મિથ: પ્રત્યે કૃતં યુદ્ધ, Gre યુદ્ધમ્ / ફચારિ એમ આદિ શબ્દથી તુલા - મધ્યન્યાય” વગેરે જાણવા. તેનું ઉદાહરણ “તો શ્લોકની વ્યાખ્યાના અવસરે અહિ જ - સ્વ.ન્યા. માં જ - પૂર્વે નિર્દિષ્ટ છે. इति स्वोपजन्यासे न्यायसंग्रह - भूमिका । परमपूज्यपंन्यासप्रवरगुरुदेव-श्रीचन्द्रशेखरविजय-गणिवरशिष्य मुनि-रत्नवल्लभविजय विहितं न्यायसंग्रह - बृहद्वृत्तिबृहन्न्यासोपरि परामर्श - नाम विवेचनम् । नत्वा वीरं गुरोः पादौ विशेषद्योतनाय च । परामर्शाभिधा वृत्तिः परामृश्य वितन्यते ॥ १ ॥ = ૧૧૮ =
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy