SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન આચાર મીમાંસા સંક્રમણ થાય છે તે બધાને પરિણામે ફળની પ્રાપ્તિ થાય છે. તીર્થકરો સ્વયં સહાય ન કરે પણ તેમના નામસ્મરણથી સહાય થાય એ વાતનો ભેદ સમજી લેવા જેવો છે. તીર્થકરો વીતરાગ હોવાથી પ્રસન્ન કે નારાજ ન થાય કે કોઈનું ભલું-બૂરું ન કરે એટલા માત્રથી તેમના નામસ્મરણથી કે તેમની સ્તુતિ કરનારને ઇષ્ટની સિદ્ધિ ન થાય એવો અર્થ કાઢવો બરોબર નથી. તીર્થકરોનું કાર્ય જ ભવ્ય આત્માઓને રાગાદિ કલેશોનું નિવારણ કરાવીને ભવસમુદ્રનો પાર પમાડવાનું છે. તે કાર્યની નિષ્પત્તિ તેમની વિદ્યમાન અવસ્થામાં તેમની દેશના દ્વારા થાય છે. જ્યારે તેમના વિરહકાળમાં તેમના નામસ્મરણથી - તેમની સ્તુતિથી સિદ્ધ થાય છે. તીર્થકર પરમાત્માઓ સ્વયં પ્રત્યક્ષ મદદ ન કરે એ વાત ખરી પણ તેમના નામસ્મરણથી પરોક્ષ રીતે આપોઆપ મદદ થઈ જાય એ વાત ભૂલવા જેવી નથી. લોગસ્સને કાયોત્સર્ગ-કાઉસગ્ગ સાથે પણ વણી લેવામાં આવે છે. કાઉસ્સગ્ન દરમિયાન શ્વાસપ્રમાણ લોગસ્સનું ધ્યાન કરવાનો અને તેના સૂત્રનું ઉચ્ચારણ કરવાનો વિધિ છે. આમ લોગસ્સ પ્રાણ સાથે સંલગ્ન થઈ જાય છે. જે મંત્ર પ્રાણમય બને તેની સિદ્ધિ તુરત જ થાય એ તંત્રશાસ્ત્રનો નિયમ છે. કાયોત્સર્ગમાં લોગસ્સ સૂત્રનું રટણ કરવાથી સૂત્રના અક્ષરો પ્રાણ સાથે એકમેક થઈ જાય છે. જેને મંત્રશાસ્ત્રમાં લય યોગ કહે છે. આધ્યાત્મિક અનુષ્ઠાનોમાં લય યોગને ધ્યાન કરતાંય વધારે શકિતશાળી અને ફળદાયી ગણ્યો છે. આવા લય યોગની સિદ્ધિ. લોગસ્સ સૂત્રનો આશ્રય લેવાથી સહજ બને છે. તેથી લોગસ્સ સૂત્રનું આરાધન
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy