SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ છ આવશ્યક આચારસંહિતા સ્વરૂપ છે. પણ આ વાત વધારે સૂક્ષ્મ છે તેથી સાનુકૂળ આલંબન લેવા માટે તીર્થંકરોના બાર ગુણો વિશે ચિંતવન કરવામાં આવે છે. આ બાર ગુણોમાં આઠ પ્રતિહાર્ય અને ચાર અતિશયો આવે છે. આઠ પ્રતિહાર્યો તેમની રિદ્ધિ-સિદ્ધિનાં પ્રતીકો જેવાં છે. સમવસરણમાં બેસીને તીર્થંકર દેશના આપતા હોય ત્યારે તેમના ઉપર અશોક વૃક્ષ છાયા કરતું હોય છે. તેમના સિંહાસન ઉપર ત્રણ છત્રો ધરાયેલાં હોય છે. તેમનું સિંહાસન વિશિષ્ટ હોય છે. તેમની આસપાસ દેવો ચામર વીંઝતા હોય છે અને દુંદુભિ વગાડતા હોય છે. આકાશમાં દિવ્ય ધ્વનિ ગુંજતો હોય છે અને અંતરીક્ષમાંથી પુષ્પોની વૃષ્ટિ થતી હોય છે. ભગવાનની આસપાસ તેજોમય વર્તુળ રચાયેલું હોય છે જેને ભામંડળ કહે છે. આમ સમવસરણમાં તીર્થંકર પરમાત્માઓ આઠ દિવ્ય પ્રતીકોથી શોભતા હોય છે. આવા સમવસરણની રચના દેવો કરતા હોય છે. તીર્થંકરો જ્યારે ચારેય ઘાતીકર્મોનો નાશ કરે છે ત્યારે તેમનામાં ચાર અતિશયો પ્રગટે છે. અતિશય એટલે એવું કંઈ જે વિશિષ્ટ છે અને વધારે છે. આ ચાર અતિશયો છેઃ જ્ઞાનાતિશય, વચના– તિશય, અપાયાપગમાતિશય અને પૂજાતિશય. તીર્થંકરોમાં જ્ઞાનાતિશય હોય છે એટલે કે તેમને અતીન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ થયેલી હોય છે. તેઓ પોતાના જ્ઞાનથી સર્વ પદાર્થો-દ્રવ્યો અને તેના સઘળા પર્યાયોને જાણતા હોય છે. તેમના માટે આલોક કે અલોકમાં કંઈ અજાણ્યું નથી રહેતું. તેમનામાં વચનાતિશય હોય છે. તેમની વાણી મધુર અને સચોટ હોય છે. તેમના વચનાતિશયને કારણે તેમના પ્રતિબોધની જીવોને તત્કાળ અસર થાય છે. તેમના - ૫૯
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy