SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ - જેન આચાર મીમાંસા જેવા સામાયિકનાં દર્શન કર્યા. પણ જેમ દરેક જણની ક્ષમતા ગૌરીશંકર શિખર સર કરવા જેટલી નથી હોતી તેમ દરેક જીવ આવું સામાયિક સાધી શકતો નથી. પણ એક વાર આપણું દર્શન સ્પષ્ટ થઈ જાય તો પછી આપણાં પગલાં તે તરફ મંડાય અને દિશા તો ન છૂટી જાય. કિનારા ઉપર છબછબિયાં કરવામાં આપણે અનેક જન્મો ગુમાવ્યા પણ આ મનુષ્યભવમાં જ્યારે આ સામાયિક ધર્મ પ્રાપ્ત થયો છે - સામાયિક વિશે કંઈ જાણ્યું છે ત્યારે પણ તે પ્રાપ્ત કરવા પ્રયાસ નહીં કરીએ તો ક્યારે કરીશું? જૈન ધર્મ પામીને આપણે જો સામાયિકને સમજીએ નહીં, તેની અંનત સંપદાઓનો આપણને ખ્યાલ પણ ન આવે તો કરોડાધિપતિને ત્યાં જન્મીને પણ દરિદ્ર રહી જવા જેવી આપણી સ્થિતિ થશે. પ્રશ્ન થાય કે આવું સામાયિક સાધી શકાય? અને સાધી શકાય તો કેવી રીતે? આત્મામાં અનંત શક્તિ છે અને તેને માટે કશું અશક્ય નથી પણ તે માટે વિશ્વાસ જોઈએ અને અભ્યાસ જોઈએ. તેથી તો જૈનાચાર્યોએ ક્યારેય એકલા જ્ઞાનની વાત નથી કરી. તેમણે દર્શન, જ્ઞાન અને ચારિત્રની અને તે પણ સમ્યમ્ દર્શન, જ્ઞાન અને ચારિત્રની વાત કરી છે. પ્રથમ સામાયિકનું સ્પષ્ટ દર્શન કરીએ, પછી તેને વિશેષ રીતે જાણીએ અને પછી તેને પ્રાપ્ત કરવા પ્રયાસ કરીએ - ડગલાં ભરીએ. બહુ ઊંચાં ચઢાણ હોય તો તે ચડવા માટે લાકડીનો આધાર લઈએ છીએ પણ લાકડી ઉપર નથી ચડતી. ઉપર તો આપણે જ ચડવું પડે છે. તેથી શરૂઆતમાં આલંબન તરીકે કોઈ ક્રિયાઓનો આશ્રય કરીએ પણ તે ખ્યાલમાંથી ન ખસવું જોઈએ કે એ બધી ક્રિયાઓ સાધન
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy