SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાચાર-સાધનાનું પ્રથમ ચરણ વીર્યાચાર : * વીર્યાચાર એ જૈન પારિભાષિક શબ્દ છે, જે અન્ય કોઈ દર્શન મળતો નથી. જૈન ધર્મમાં એ વિશિષ્ટ અર્થમાં વપરાય છે. અહીં વીય’ શબ્દનો જે ઉલ્લેખ થાય છે તેને શારીરિક વીર્ય-સર્વ સાથે સંબંધ નથી. વીર્યાચારમાં વીર્ય શબ્દ ઉત્સાહ-ઉમંગ-પુરુષાર્થ એવા સંદર્ભમાં વપરાય છે. કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય, ધર્મ કરવો હોય તો તે માટે ઉત્સાહ હોવો જોઈએ અને પુરુષાર્થ કરવા પડે. તેથી કંઈ પણ ક્રિયા-અનુષ્ઠાન વગેરે કરવા માટે “વીર્ય ફોરવવું એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. વસ્તુના સ્વરૂપને જોઈને - જાણીને બેસી રહેવાથી કંઈ મળતું નથી. પણ કંઈ પ્રાપ્તિ કરવી હોય તો વીર્ય ફોરવવું પડે. અરે, જ્ઞાન મેળવવું હોય તો તે માટે પણ પ્રયાસ કરવો પડે. ચારિત્રનું પાલન કરવું હોય કે તપ કરવું હોય તોપણ તે માટે ઉત્સાહથી પુરુષાર્થ આદરવો પડે. આ ઉત્સાહ, ઉમંગ, પ્રવૃત્તિ, પુરુષાર્થ એ બધાને વર્યાચાર કહેવામાં આવે છે. વીર્ય ફોરવ્યા વિના કંઈ જ ન થઈ શકે. - જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે દરેક આત્મામાં અનંત વીર્ય પડેલું જ છે. એટલે કે તેની પાસે અનંત ક્ષમતા છે – શકિત છે પણ તે સુષુપ્ત છે. મુશ્કેલી એ છે કે આ અનંત શકિત આવૃત્ત છે - ઢંકાયેલી છે. તેથી અનંત સામર્થ્યનો સ્વામી એવો આત્મા, બિચારો-બાપડો થઈને ભવભ્રમણમાં ભટકયા કરે છે. સમ્યક ચારિત્ર મેળવવા માટે તો પુરુષાર્થ કરવો જ પડે પણ સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન મેળવવા માટે પણ વીર્ય તો ફોરવવું જ પડે. આત્માની અનંત શક્તિ આડેનાં બધાં આવરણો ખસી જાય છે, તૂટી જાય છે ત્યારે આત્માને
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy