SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાચાર-સાધનાનું પ્રથમ ચરણ સંપૂર્ણ રીતે ખાલી કરી શકાય નહીં. ધ્યાનના ઘણા ભેદ છે. ધ્યાન વિશે આપણે આગળ ઉપર સ્વતંત્ર રીતે વિચાર કરવાના છીએ, તેથી અહીં તેની વિસ્તારપૂર્વક ચર્ચા કરી નથી, પણ અહીં એટલી વાત તો કરી જ લઈએ કે જૈન ધર્મમાં ધ્યાન એટલે ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાનને જ તપની કોટિમાં ગણવામાં આવે છે અને તે જ સાધવાનાં હોય છે. ૨૯ અત્યંતર તપમાં છેલ્લે આવે છે કાયોત્સર્ગ, જે સાધનાનું બહુ ઊંચુ શિખર છે. તેની ગણના છ આવશ્યકમાં પણ થાય છે. અને છ આવશ્યકનું વિવરણ કરતી વખતે તેના ઉપર વિસ્તારપૂર્વક વાત કરેલી છે. એટલે અહીં તેનો ઉલ્લેખ કરીને જ અટકીએ છીએ. ઘણી જગ્યાએ છેલ્લા અત્યંતર તપનો ‘વ્યુત્સર્ગ’ તરીકે ઉલ્લેખ થયેલો છે. વ્યુત્સર્ગ એટલે છોડવું. શું છોડવાનું? વ્યુત્સર્ગ શબ્દ ઘણો વ્યાપક અને ઊંડાણવાળો છે. એમાં મૂળ વાત તો કષાયો છોડવાની છે. ક્રોધ, માન, માયા અને લોભ જે મુખ્ય કષાયો છે અને તેને સહાયક બીજા નવ નોકષાય છે ઃ હાસ્ય, રતિ, અરિત, ભય, શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નંપુસકવેદ એ બધા કષાયોને છોડવાના છે. કષાય એ જ સંસાર છે. કષાયથી મુક્તિ એ જ મુક્તિ છે. કષાયવિસર્જનમાં મમત્વનું વિસર્જન તો આવી જાય પણ દેહ સાથેના તાદાત્મ્ય ભાવનું પણ વિસર્જન થઈ જાય એટલે એમાંય દેહાધ્યાસ પણ છૂટી જાય. આ શરીર મારું છે. શરીરનાં સુખ-દુઃખ મારાં છે એ ભાવ છૂટતો જાય તેમ કાયોત્સર્ગ સધાતો જાય. વ્યુત્સર્ગની પરાકાષ્ઠા કષાયના વિસર્જનમાં છે. કર્મના
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy