SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાચાર-સાધનાનું પ્રથમ ચરણ ૫ શકાય. જૈનોમાં આ પંચાચાર જાણે-અજાણે પણ એટલો બધો પ્રચલિત છે કે સૌ ધર્મપ્રેમી વ્યક્તિ તેને વ7-ઓછે અંશે અનુસરે છે. અથવા તો તેને અનુસરવાની ભાવના રાખે છે. જે જીવ પંચાચારનું પાલન કરતો રહે છે તેના હાથમાં મોક્ષમાર્ગ આવી જતાં વાર નથી લાગતી અને તેનું પાલન કરતાં કરતાં તે સંસાર-સાગરની પાર ઊતરી જવા સક્ષમ બની જાય છે. : અ પંચાચાર જ સન્ દર્શનનું કારણ બને છે. તેનાથી શાન સમ્યફ બની જાય છે અને પછી આચરણ પણ સમ્યક બનતાં વાર નથી લાગતી. પંચાચાર એટલો બધો પ્રચલિત છે કે તેનું સ્વતંત્ર નિરૂપણ ઘણા ઓછા ચિંતકો કરે છે અને તેના ઉપર યોગ્ય ભાર ન મુકાવાને કારણે ઘણી વાર શ્રાવકોને તે અલ્પ લાગે છે અને તેની મહત્તા તેમના ધ્યાન બહાર રહી જાય છે. તેથી અહીં પંચાચારનું સ્વતંત્ર રીતે નિરૂપણ કરવાનું મેં યોગ્ય માન્યું. આકાશમાં સૂર્ય અને ચંદ્ર તો છે જ અને તેનો પ્રકાશ આખાય જગતને અજવાળે છે પણ ઘરને સદાય અજવાળવા માટે ઘરદીવડા આપણને જેટલા કામ લાગે છે કે સુલભ રહે છે એટલા તો સૂરજ અને ચંદ્ર પણ નથી રહેતા. પંચાચાર આમ ઘર-દીવડા જેવા સુલભ અને સરળ છે. જરૂર છે તેને સમજીને તેમાં પ્રાણ પૂરવાની, જેથી તેની તાકાત ઘણી વધી જાય અને આપણને તેનો પૂર્ણ લાભ મળે. જૈન ધર્મમાં પંચાચારમાં જે પાંચ આચારો ગણાવ્યા છે તે છે.? દર્શનાચાર, શાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર.
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy