SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ શરણ – સાધનાનું અંતિમ ચરણ અફાટ એવા મહાસાગરને કિનારે ઊભો રહેલ કોઈ માણસ સાગર તરીને પાર ઊતરી જવાનું વિચારે તો આપણને તેને પક્ષ પૂછવાનું મન થાય કે તારી પાસે તે માટે સાધન શું છે? કોના આધારે તું ઘૂઘવતા સાગરને પાર કરી જવાની હૈયામાં હામ રાખે છે? આવી જ પરિસ્થિતિમાં આપણે સંસાર સાગરને કિનારે ઊભા રહેલા છીએ અને આપણે સાગર તરીને પાર ઊતરી જવું છે, પણ તે માટે આપણી પાસે સાધનો કયાં છે? આ સાધનો છેઃ પંચાચાર, છ આવશ્યક, બાર વ્રતો, કાયોત્સર્ગ અને શરણ. આ સાધનો ભલે નાનાં દેખાય પણ આખો ભવસાગર પાર ઉતારવાની તેમનામાં ક્ષમતા છે. આટલા આચારોનું પાલન કરવું મુશ્કેલ નથી. છતાંય તે પણ ન થઈ શકે તેમ હોય તો મહામનીષીઓએ એક ટૂંકામાં ટૂંકો માર્ગ બતાવ્યો તે છે દુષ્કૃત ગહ, સુકૃત અનુમોદના અને ચાર શરણનો. આવશ્યક ક્રિયાઓ કે આચારોના વિકલ્પમાં આ માર્ગ નથી. વાસ્તવિકતામાં તો તે સાધનાના અંતિમ ચરણમાં કરવાનું એક આવશ્યક જ છે. જે બાળજીવો હોય કે હજુ પ્રમાદમાં રહેલા હોય તેઓ આટલું કરતા રહે તો પણ કયારેક તેમના હાથમાં સાધનાનો રાજપથ આવી જાય જે પકડીને તેઓ અંતિમ લક્ષ્ય સુધી પહોંચી ૧૫૮
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy