SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાચા-સાધનાનું પ્રથમ ચરણ ભગવાન મહાવીરે મોક્ષ અવસ્થાનું જે નિરૂપણ કર્યું છે તે અવસ્થા કોરી કે રૂક્ષ નથી, તેમાં પરમ શાન્તિ છે. પણ તે સન્નાટો નથી - ભેંકાર નથી. મોક્ષ એ જીવની ભવોભવની યાત્રાની એક ત્યતિક ઘટના છે. ત્યાર પછી જીવે કંઈ મેળવવા જેવું બાકી રહેતું નથી. મહાવીરે દર્શાવેલ મોક્ષ એટલે પરમ આનંદ, પરમ ઐશ્વર્ય, પરમાત્મપદ. તે મેળવવા માટે તેમણે જે માર્ગ બતાવ્યો તે સ્પષ્ટ અને સુરેખ છે. તેમાં કશુંય અસ્પષ્ટ નથી. તેમાં રહસ્ય જેવું કંઈ ન લાગે. ઉન્નતિનું આવું ચરમ શિખર સર કરવા માટે તેમણે જે ત્રણ ડગલાંનું નિરૂપણ કર્યું છે તે છે – સભ્ય દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યફ ચારિત્ર. દર્શન એટલે જોવું, જ્ઞાન એટલે જાણવું, ચારિત્ર એટલે જોયેલા – જાણેલા માર્ગે પ્રયાણ કરવું. મોક્ષ એટલે એ માર્ગની આખરી મંજિલ - જીવનો છેલ્લો પડાવ. તેની આગળ પછી કંઈ નથી અને તેની પાછળ જવાય નહીં એટલે કે ફરીથી જન્મ ન લેવો પડે અને પછી તેની જરૂર પણ ન રહે. મહાવીરનો ધર્મ એટલે મોક્ષ માર્ગ, આમ જોઈએ તો દર્શન, જ્ઞાન અને ચારિત્ર એટલે કે આચાર તો બધા જ ધર્મોમાં છે. પણ મહાવીરના માર્ગમાં સમ્ય’ શબ્દ ખૂબ મહત્વનો છે. સમ્યફ માર્ગ એટલે સાચો-યોગ્ય માર્ગ જે આખરી મંજિલે પહોંચાડીને જ અટકે. આ માર્ગ સરળ પણ છે અને વિકટ પણ છે. જે પગ ઉઠાવે તેને માટે સરળ, પણ જે વિચાર કરતો બેસી રહે તેને માટે વિકટ. મોક્ષ માર્ગ સીધો જ હાથમાં નથી આવી જતો, કારણ કે તેને માટે જીવનમાં જે “સમ્યક છે તેની પકડ આવવી અનિવાર્ય છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર તો ભવોભવથી
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy