SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ જૈન આચાર મીમાંસા માટે કાયોત્સર્ગ જેવું ધ્યાન નથી. તેના જેવું બીજું કોઈ શ્રેષ્ઠ તપ નથી. દેહાત્મ બુદ્ધિથી ઉપર ઊઠી સ્વરૂપમાં કરવું અને એમાં રમણ કરવું એ સર્વ ધાર્મિક ક્રિયાઓનું ધ્યેય છે. કાયોત્સર્ગમાં જ્ઞાન-ધ્યાન અને ક્રિયાની આરાધના સમાવિષ્ટ થઈ જાય છે. સંસારની આપણી સઘળી પ્રવૃત્તિઓ આત્માની બહિરાવસ્થામાં થાય છે. કાયોત્સર્ગ અંતર્મુખતાનું પ્રથમ ચરણ છે. તે અંતરાત્મ દશા પ્રતિ દોરી જાય છે અને તે સધાતાં પછી પરમાત્મા દશા ઝાઝી દૂર રહેતી નથી. ભગવાને જે અનેક ઉપસર્ગો સહન કર્યા તે ફક્ત સહનશક્તિ અને ઇચ્છાબળને જોરે જ નહીં પણ ઊંડી અંતર્મુખતાને કારણે. તેથી તો તેમની ઉગ્ર તપશ્ચર્યામાં કાયોત્સર્ગ અગ્રસ્થાને રહ્યો હતો. ભગવાન નિજની અનુભૂતિમાં નિમગ્ન રહી કાયોત્સર્ગ દ્વારા કેવળજ્ઞાન પ્રતિ જઈ શક્યા હશે એમ માનીએ તો ખોટું નહીં. સાધનામાં ત્યાગ, તિતિક્ષા, ઉપવાસ, એકાંત, મૌન અને ધ્યાન મહત્વનાં છે અને એ બધાં એકસાથે કાયોત્સર્ગમાં સધાઈ જાય છે એ વાત જ કાયોત્સર્ગની મહત્તાની સૂચક છે. પ્રકંપનોનો સંસાર : આપણી સમગ્ર પ્રવૃત્તિઓ, ઇચ્છાઓ, આકાંક્ષાઓ હતાશાઓ એ બધાનું ઉગમસ્થાન આપણી અંદર છે. પણ એ બધું વ્યકત થાય છે. શરીર દ્વારા આપણો સમગ્ર સંસાર ચાર ગતિશીલ તત્ત્વોનો સંસાર છે. મન, વચન, કાયા અને શ્વાસ દ્વારા આપણે પ્રત્યેક ક્ષણે અસંખ્ય પ્રકંપનો બહાર ફેંકીએ છીએ. આમ અન્ય જીવો પણ પ્રત્યેક પળે સંખ્યાતીત પ્રકંપનો બહાર ફેકે છે. આપણાં પ્રકંપનો
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy